X
X

ફેક્ટ ચેકઃ ઈરાનમાં હિજાબ ફરજિયાત કાયદો ખતમ નથી થયો, નૈતિકતા પોલીસને તોડી પાડવાનો દાવો પણ ખોટો

  • By: Umam Noor
  • Published: Dec 30, 2022 at 02:48 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી હિજાબ વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક આ સંબંધીત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની સરકારે આ મુદ્દે ઘૂંટણ ટેકવીને હિજાબ પહેરવા અને ધાર્મિક પોલીસને વિખેરી નાખતા કાયદાને રદ કર્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલા આ બંને દાવા ખોટા છે. ઈરાનમાં ન તો ફરજિયાત હિજાબ નાબૂદ કરવામાં આવ્યો છે કે ન તો નૈતિકતા પોલીસને વિખેરી નાખવામાં આવી છે. વાયરલ પોસ્ટ ફેક છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વાયરલ પોસ્ટને શેર કરતા એક ફેસબુક યુઝરે લખ્યું કે, આખરે ઈરાનની ઈસ્લામિક સરકાર મહિલા અધિકાર આંદોલન સામે ઝૂકી ગઈ. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ નાબૂદ કરવામાં આવ્યો છે. ધાર્મિક પોલીસને વિખેરી નાખવામાં આવી છે.

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.

તપાસ

પ્રથમ દાવો – હિજાબ નાબૂદ

આ દાવાને ચકાસવા માટે અમે પહેલા સમાચારની તપાસ કરી. આ તપાસમાં અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી જે આ દાવાની પુષ્ટિ કરે છે.

ફ્રાંસ 24 ઇંગ્લિશની યુટ્યુબ ચેનલ પર અમને 16 ડિસેમ્બર 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળી આવ્યો હતો. જેમાં અહેવાલ છે કે મિસ્બા અમીનીના મૃત્યુના ત્રણ મહિના પછી પણ ઈરાનના કેટલાક ભાગોમાં હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.

WION ની યુટ્યુબ ચેનલ પર 18 ડિસેમ્બર 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો હતો. જેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈરાની અભિનેત્રી ટરનેહ અલીદુસ્તીને ઈરાનમાં પ્રદર્શનમાં સામેલ થવા બદલ કસ્ટડીમાં લેવામાં આવી છે.

વાયરલ દાવાની ચકાસણી કરવા માટે અમે ઈરાની પત્રકાર હામિદ રઝાનો સંપર્ક કર્યો અને તેમણે અમને કહ્યું, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. ઈરાનની સરકારે હિજાબ પહેરવાની ફરજને નાબૂદ કરી નથી.

બીજો દાવો – ધાર્મિક પોલીસને વિખેરી નાખવામાં આવી

વાયરલ પોસ્ટમાં બીજો દાવો કરવામાં આવ્યો છે કે, ‘ઈરાનની ધાર્મિક પોલીસને વિખેરી નાખવામાં આવી છે’.

6 ડિસેમ્બર 2022ના Time.com ના સમાચાર અનુસાર, ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ ઝફર મોન્ટેજેરીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું, નૈતિકતા પોલીસને ન્યાયતંત્ર સાથે કોઈ લેવાદેવા નથી અને તેને નાબૂદ કરવામાં આવી છે. તેમના નિવેદન બાદ ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે ઝફર મોન્ટેજેરીના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોઈ ઈરાની અધિકારીએ ધાર્મિક પોલીસને વિખેરી નાખવાની પુષ્ટિ કરી નથી.

સીએનબીસીએ ઈરાનના અલ-આલમ ન્યૂઝને ટાંકીને 5 ડિસેમ્બરના રોજ અહેવાલ આપ્યો હતો કે, ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના કોઈ અધિકારીઓએ નૈતિકતા પોલીસને વિખેરી નાખવાની પુષ્ટિ કરી નથી.

ઈરાનની ન્યૂઝ વેબસાઈટ etemadonlineના સમાચાર અનુસાર, કેટલાક વિદેશી મીડિયાએ દેશના એટર્ની જનરલના અવતરણને ટાંકીને દાવો કર્યો છે કે ઈરાનમાં ધાર્મિક પોલીસને હટાવી દેવામાં આવી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી.

ઈરાની પત્રકાર નતાશા ફતાહે 5 ડિસેમ્બર 2022ના રોજ આ જ મુદ્દા પર ટ્વીટ કરીને લખ્યું, એવા અહેવાલો છે કે ઈરાન તેની કુખ્યાત “નૈતિકતા પોલીસ” ને વિખેરી રહ્યું છે, જે શરિયા ડ્રેસ કોડ લાગુ કરે છે. પરંતુ આ સમાચાર સાચા નથી. આ ટ્વિટ સાથે ન્યૂઝ ક્લિપ પણ જોઈ શકાય છે.

આ જ મુદ્દે ઈરાનના વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ હસન નજમી તરફથી એક ટ્વીટ પણ મળી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘એટર્ની જનરલનું સંપૂર્ણ ભાષણ: સૌથી પ્રથમ અમારી પાસે નૈતિકતા પોલીસ નહોતી અને તેનું નામ સામાજિક સુરક્ષા દળ હતું. બીજું ન્યાયિક પ્રણાલીએ ક્યારેય એથિક્સ પોલીસને બંધ કરવા માટે સહેજ પણ પગલું ભર્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તો એટર્ની જનરલે એથિક્સ પોલીસને વિખેરી નાખવા વિશે કશું કહ્યું નથી.

વિશ્વાસ ન્યૂઝ સાથે આ વિશે વાત કરતા ઈરાનની ફેક્ટ ચેકર ફાતિમા કરીમ ખાને કહ્યું, એટર્ની જનરલના નિવેદન પછી એથિક્સ પોલીસને વિખેરી નાખવાના સમાચાર બધે વાયરલ થયા હતા. પરંતુ તેમાં કોઈ સત્ય નથી. સરકાર તરફથી આવો કોઈ આદેશ આવ્યો નથી. બે અઠવાડિયા પહેલા તેઓએ એક બેંક મેનેજરને બરતરફ કર્યો કારણ કે તેની બેંક ફરજિયાત હિજાબ વિના એક મહિલાને સેવા આપતી હતી. યુનિવર્સિટીઓમાં શિક્ષકો પણ હવે વિદ્યાર્થીઓને વર્ગમાં હિજાબ પહેરવાનું કહી રહ્યા છે. જે પહેલાં વર્ગમાં સામાન્ય નહોતું.

ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનીંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 18,000 લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલા આ બંને દાવા ખોટા છે. ઈરાનમાં ન તો ફરજિયાત હિજાબ નાબૂદ કરવામાં આવ્યો છે કે ન તો નૈતિકતા પોલીસને વિખેરી નાખવામાં આવી છે. વાયરલ પોસ્ટ ફેક છે.

  • Claim Review : ઈરાનની સરકારે હિજાબ પહેરવાની ફરજ પાડતો કાયદો રદ કર્યો છે અને ધાર્મિક પોલીસને વિખેરી નાખી છે.
  • Claimed By : Day Care Home -crech
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later