નવી દિલ્હી (વિશ્વાસ ન્યુઝ): ટીવી સિરિયલ સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનાર અભિનેતા શિવાજી સાટમને લઈને એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ શિવાજી સાટમ અને અભિનેતા દયાનંદની તસવીરના કોલેજને શેર કરીને દાવો કરી રહ્યા છે કે શિવાજીનું નિધન થઈ ગયું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શિવાજી સાટમના નિધનની પોસ્ટ અફવા છે. તેઓ સ્વસ્થ છે. આ પહેલા પણ તેમના નિધનને લઈને અફવાહ વાયરલ થઈ ચૂકી છે.
ફેસબુક યુઝર પ્રીતિ કુમારી (આર્કાઇવ કરેલી લિંક)એ 19 જાન્યુઆરીએ તસવીર શેર કરી. તેના પર લખેલું છે કે, ACP પ્રદ્યુમનનું ભજવનાર શિવાજીનું થયું નિધન.
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા તેને કીવર્ડ્સ વડે ગૂગલ પર સર્ચ કર્યું. આમાં અમને એવા કોઈ સમાચાર નથી મળ્યા, જે વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે. 20 ડિસેમ્બર, 2016ના રોજ ન્યૂઝ 18એ પ્રકાશિત કરેલા સમાચાર અનુસાર ટીવી સીરિયલ CIDના પાત્ર એસીપી પ્રદ્યુમનનું નિધવ થવાનું છે. શિવાજી સાટમ આ પાત્રને ભજવી રહ્યા છે. 26 ડિસેમ્બરના આવતા એપિસોડમાં ACPને હાર્ટ એટેક આવવાનો છે. તેઓ હવે આગળ CIDમાં જોવા નહીં મળે.
20 ડિસેમ્બર 2016ના રોજ ફર્સ્ટપોસ્ટમાં છપાયેલા સમાચાર મુજબ, 16 ડિસેમ્બર 2016થી અફવાઓ ફેલાવા લાગી હતી કે આ શો ઓફ એર થવા જઈ રહ્યો છે.
તેમજ ACP પ્રદ્યુમનનો અંત થઈ જશે. રિપોર્ટ્સ અનુસાર, 26 ડિસેમ્બરની રાત્રે આવનારા ટીવી શોમાં એસીપીના પાત્રનું હાર્ટ એટેકથી મૃત્યુ જોવા મળશે. આ સમાચાર ફેલાતાં લોકોમાં ભ્રમ ફેલાઈ ગયો કે સિરિયલમાં પણ હકીકતમાં શિવાજી સાટમનું નિધન થયું છે. તેના પછી સાટમે તેમના એક ઇન્ટરવ્યુની લિંકને રીટ્વીટ કરી, જેમાં તેમણે વાયરલ થયેલા સમાચારને અફવા ગણાવીને પોતે કુશળ હોવાની માહિતી આપી હતી.
આ પછી અમે શિવાજીની વાયરલ તસવીરને ગૂગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરી. છ વર્ષ પહેલા દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક સમાચારમાં આ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાચાર મુજબ સીરિયલ CIDના પાત્ર એસીપી પ્રદ્યુમનનું હાર્ટ એટેકથી મૃત્યુ થશે. ACPના મૃત્યુનો એપિસોડ 26 ડિસેમ્બરે પ્રસારિત થશે.
શિવાજી સાટમના વેરિફાઈડ ફેસબુક પેજ પર 20 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે એક પોસ્ટ કરવામાં આવી છે. તેમના ગીતના વીડિયોની યુટ્યુબ લિંક શેર કરવામાં આવી છે.
અભિનેતાના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 19 જાન્યુઆરીએ એક સમાચારનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ પુષ્ટિ માટે અમે મુંબઈમાં દૈનિક જાગરણના સંવાદદાતા સ્મિતા શ્રીવાસ્તવ સાથે વાત કરી. તેમનું કહેવું છે, ‘એવું કંઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ ફેક છે.‘
નકલી દાવો કરનાર ફેસબુક પેજ પ્રીતિ કુમારીને અમે સ્કેન કર્યું. 29 સપ્ટેમ્બર 2022ના રોજ આ પેજના લગભગ 17 હજાર ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: ટીવી સીરીયલ સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનાર અભિનેતા શિવાજી સાટમના નિધન અંગેની પોસ્ટ અફવાહ છે. પહેલા પણ આ પ્રકારની અફવા વાયરલ થઈ ચૂકી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923