Fact Check: જાન્યુઆરી 2021માં પંજાબમાં સર્જાયેલી દુર્ઘટનાનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ

Fact Check: જાન્યુઆરી 2021માં પંજાબમાં સર્જાયેલી દુર્ઘટનાનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાણીના ટેન્કરને કેટલીક મહિલાઓને એડફેટે લેતા જોઈ શકાય છે. આ ભયાનક વીડિયોને તાજેતરનો સમજીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. વાસ્તવમાં 2021ના જાન્યુઆરી મહિનામાં ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલી મહિલાઓને અમૃતસરના કસ્બા વાલ્લાની પાસે પાણીના ટેન્કરે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કેટલીક મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર દિલીપ કુમારે 29 મેના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને લખ્યું કે, “હવે તો જુલમની હદ થઈ ગઈ છે, ટ્રેક્ટર ચાલક આટલી ક્રુરતાથી લોકોને કચડી રહ્યો છે, આ બધુ જોઈને લાગે છે કે માણસાઈ બિલકુલ ખતમ થઈ ગઈ છે, આ પ્રકારની ઘટનાને અંજામ આપનારને કેવા પ્રકારની સજા આપવી જોઈએ.”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો સાથે સંબંધિત ઘટના વિશે જાણવા માટે ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કરવા પર અમને ઘણી મીડિયા વેબસાઇટ્સ પર તેનાથી સંબંધિત સમાચાર મળ્યા. Bhaskar.comએ 2 વર્ષ પહેલા એક સમાચાર પ્રકાશિત કરીને લખ્યું હતું કે, “પ્રજાસત્તાક દિને અમૃતસરમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર માર્ચમાં ભાગ લેવા જઈ રહેલી 5 મહિલાઓને વાલ્લા પ્રાથમિક શાળા પાસે બેકાબૂ પાણીના ટેન્કરે અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. લોકોએ ટ્રેક્ટર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો છે, જેની ઓળખ સુખલાલ ઉર્ફે બોબી તરીકે થઈ છે. મૃતક મહિલાઓની ઓળખ નરિંદર કૌર (55) અને સિમરજીત કૌર (55) તરીકે થઈ છે.” આ સમાચાર અહીં વાંચો.

NDTVની વેબસાઈટ પર પણ આને લગતા સમાચાર જોવા મળ્યા. 26 જાન્યુઆરી 2021ના રોજ પ્રસિદ્ધ થયેલા સમાચારમાં વાલ્લા પોલીસ સ્ટેશનના એસએચઓ સંજીવ કુમારના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, આ મહિલાઓ ખેડૂતોના પ્રદર્શનમાં જઈ રહી હતી. આ સમાચાર અહીં વાંચો.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, અમૃતસના ચીફ રિપોર્ટર વિપિન કુમાર રાણા સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેઓએ અમને જણાવ્યું કે, વીડિયો 2021નો છે.

તપાસના અંતિમ તબક્કામાં જૂના વીડિયોને વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર દિલીપ કુમારને છ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ યુઝરના 5000 ફેસબુક ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. જાન્યુઆરી 2021માં પંજાબમાં સર્જાયેલી દુર્ઘટનાના વીડિયોને અત્યારે વાયરલ કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આવી કોઈ ઘટના બની નથી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ