ફેક્ટ ચેકઃ વિરાટ કોહલીની નિવૃત્તિ સંબંધિત પોસ્ટમાં કોઈ સત્ય નથી

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક ફોટો અને વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ શેર કરવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં જ ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને લઈને એક દાવો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો છે. વિરાટ કોહલીએ નિવૃત્તિ લીધી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

શું છે વાયરલ પોસ્ટમાં ?

ફેસબુક યુઝર Oye Sakib Demrot 11 નવેમ્બરે વાયરલ દાવો પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં લખ્યું છે, ‘વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, વિરાટ કોહલીને ગુડબાય.’ આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં ક્લિક કરીને જોઈ શકો છો.

તપાસ

વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને વાયરલ દાવાની તપાસ કરવા વિશ્વાસ ન્યૂઝે સૌ પ્રમથ ગૂગલ સર્ચ કર્યું. આ દાવા સંબંધિત અનેક કીવર્ડ્સ ટાઈપ કરીને ગૂગલમાં સર્ચ કરવામાં આવ્યા. પરંતુ તેના સંબંધિત એક પણ ન્યૂઝ કે કોઈ માહિતી મળી નથી કે જે પુષ્ટિ કરતા હોય કે વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. જો વિરાટે આવું કર્યું હોત તો મીડિયા માટે આ મોટા સમાચાર હોત. અને મીડિયા દ્વારા તેના સંબધિત પોસ્ટ અને ન્યૂઝ પ્રકાશિત અવશ્ય થયા હોત.

તપાસ દરમિયાન અમને કેટલીક એવી પોસ્ટ્સ પણ મળી આવી જેમાં વિરાટ કોહલીનો પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો શેર કરીને વિરાટ કોહલીએ નિવૃત્તિ જાહેર કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ વીડિયો તે સમયનો છે જ્યારે ભારત એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે ખરાબ રીતે હરાવ્યું હતું. કોહલીનો નિવૃત્તિનો દાવો ખોટો છે.

અમને 5મી સપ્ટેમ્બર 2022ની તારીખે ઘણી YouTube ચેનલો પર અપલોડ કરાયેલો વાયરલ વીડિયો મળ્યો. ANIની ઓફિશિયલ ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની હાર બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યો હતો.

આ મામલે વધુ તપાસ કરતા વિશ્વાસ ન્યૂઝે વિરાટ કોહલીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સર્ચ કર્યું હતું. પરંતુ અમને ત્યાં પણ અમને તેમની નિવૃત્તિ સંબંધિત કોઈ પોસ્ટ મળી આવી ન હતી.

ત્યારબાદ વધુ ખરાઈ કરવા માટે અમે દૈનિક જાગરણ સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીનો સંપર્ક કર્યો. તેની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું કે આ વાત ખોટી છે.

તપાસના અંતે અમે ફેક પોસ્ટ કરનાર યુઝરના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર ઓયે સાકિબ ડેમરોટને 400 થી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ ઓગસ્ટ 2022 ના રોજ બનાવવામાં આવ્યું હતું. યુઝર રાજસ્થાનનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વ ન્યૂઝની તપાસમાં વિરાટ કોહલીની નિવૃત્તિ સંબંધિત વાયરલ પોસ્ટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરી નથી. તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હોવાની પોસ્ટ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ