X
X

Fact Check: ગુજરાત ડીલ પર ભાજપના ધારાસભ્યએ નથી આપ્યું આ વાયરલ નિવેદન

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): મેગા વેદાંત-ફોક્સકોન સેમીકંડક્ટર પ્લાન્ટની ડીલ મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાતને મળ્યાં બાદ મહારાષ્ટ્રની શિંદે સરકાર પર લોકો સવાલો ઉભા કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના ધારાસભ્ય અને પ્રવક્તા ગોપીચંદ પડલકરે કહ્યું કે જો MVA સરકારે MSRTC કર્મચારીઓને મર્જ કરી દીધા હોત તો સેમીકંડક્ટર ડીલ ગુજરાતને ન મળી હોત. વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં આ વાયરલ દાવાને ખોટો સાબિત કર્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક પર સોનાલી કુલકર્ણીએ ફેસબુક ગ્રુપ પર એક ગ્રાફિક પોસ્ટ કર્યું, અને ડિસ્ક્રિપ્શનમાં લખ્યું- આજે સૌથી વધુ રિસર્ચ કરવામાં આવેલ નિવેદન. વાયરલ ગ્રાફિકમાં ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરની તસવીર સાથે તેમનું નિવેદન કે જો VA સરકારે MSRTC કર્મચારીઓને મર્જ કરી દીધા હોત તો સેમીકંડક્ટર ડીલ ગુજરાતને ન મળી હોત.

આ ફેક પોસ્ટ જોવા અહીં ક્લિક કરો

તપાસ:

વિશ્વાસ ન્યૂઝે વાયરલ ગ્રાફિકની ગુગલ લેન્સની મદદથી તપાસ શરુ કરી. અમે ગ્રાફિક પર લખેલા ટેક્સ્ટને કોપી કરી ગુગલ પર સર્ચ કરવાનું શરુ કર્યું. જેનાથી હકીકતનો ખ્યાલ આવે કે ગોપીચંદ પડલકરે સાચેમાં આ નિવેદન આપ્યું છે કે નહીં.

અમને આ વિશે કોઈ જાણકારી ન મળી. પણ ગોપીચંદ પડલકરના તાજેતરના નિવેદન વિશે કઈંક જાણવા મળ્યું.

તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે પવારને શ્રીલંકાના નેતાઓની જેમ જ ભાગવું પડશે.

સમાચાર એક સપ્તાહ અગાઉના હતા.

પછી અમે આ વાયરલ ગ્રાફિકને ફેસબુક પર શોધ્યું. અમે ફેસબુક પર શેર કરવામાં આવેલ એક ગ્રાફિક મળ્યું. આ ગ્રાફિકને યંગ મહારાષ્ટ્ર નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું, “श्रीलंकेतील नेते जनसे पळून गे ले जावं लागणार!” જેનો અર્થ થાય છે, “Pawar will have to flee like the leaders of Sri Lanka.”

તપાસના છેલ્લા તબક્કામાં, વિશ્વાસ ન્યૂઝે ગોપીચંદ પડલકરના અંગત સહાયક સુજીત પવારનો સંપર્ક કર્યો, તેમણે જણાવ્યું કે વાયરલ દાવો નકલી છે. ગોપીચંદ પડલકરે તાજેતરના વેદાંત-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ ડીલ અંગે વાયરલ નિવેદન આપ્યું ન હતું.

તપાસના છેલ્લા તબક્કામાં વિશ્વાસ ન્યૂઝે પોસ્ટ શેર કરનાર યુઝરની સોશિયલ બેકગ્રાઉન્ડ તપાસી. સોનાલી કુલકર્ણી પુણેની રહેવાસી છે અને તેને ફેસબુક પર 321 લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે એક નિવેદન આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો MSRTC કામદારોનું મર્જર કરવામાં આવ્યું હોત, તો સેમિકન્ડક્ટર્સને ગુજરાતમાં જતા અટકાવી શકાયા હોત. વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું છે કે પડલકરે આ વાયરલ નિવેદન આપ્યું નથી.

Fact Check Viral statement did not given by bjp mla post is Fake- Fact Check: ગુજરાત ડીલ પર ભાજપના ધારાસભ્યએ નથી આપ્યું આ વાયરલ નિવેદન

  • Claim Review : જો MVA સરકારે MSRTC કર્મચારીઓને મર્જ કર્યા હોત તો સેમિકન્ડક્ટર ગુજરાતમાં ન ગયા હોત: BJP MLA ગોપીચંદ પડલકર
  • Claimed By : Facebook page एक कोटी अजित पवार आणि सुप्रिया सुळे समर्थक
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later