Fact Check : કુપવાડામાં ભૂકંપથી નથી થયા ત્રણ લોકોના મોત, વાયરલ તસવીર પણ ભારતની નથી

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): મંગળવારની રાત્રે (21 માર્ચ 2023) આવેલ ભૂકંપ પછી એક તસવીરને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. કુપવાડામાં આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ નથી થઈ. તપાસમાં જાણવા મળ્યું કે તુર્કીમાં આવેલ ભૂકંપની તસવીરને કુપવાડાની જણાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. કુપવાડા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂઠાણું ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ મુદાસ વ્લોગ્સ (Mudas vlogs) દ્વારા 21 માર્ચે એક તસવીરને પોસ્ટ કરતા દાવો કરવામાં આવ્યો હતો કે કુપવાડામાં ત્રણ લોકોના મોત થયા. આ તસવીરમાં એક ક્ષતિગ્રસ્ત ઈમારતને જોઈ શકાય છે.

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ માટે સૌથી પહેલા ગૂગલ રિવર્સ ઇમેજ ટૂલનો ઉપયોગ કર્યો. ઓરિજનલ તસવીર ગેટ્ટી ઈમેજીસની વેબસાઈટ પર મળી. આ તસવીર વિશે લખવામાં આવ્યું છે કે 6 ફેબ્રુઆરી 2023ના રોજ તુર્કીમાં આવેલા ભૂકંપ પછીની આ તસવીર છે. આ તસવીરને ફિરાત ઓઝડેમિરે ક્લિક કરી હતી.

સર્ચ દરમિયાન વાયરલ તસવીર NBC ન્યૂઝની વેબસાઇટ પર પણ મળી. 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવેલા ભૂકંપના સમાચાર સાથે આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કેપ્શનમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ તસવીરને ફોટો જર્નાલિસ્ટ ફિરાત ઓઝડેમિરે ક્લિક કરી હતી. આ તસવીરને તુર્કીની હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમને એક પણ એવા સમાચાર નથી મળ્યા, જ્યાં એવું લખ્યું હોય કે ભૂકંપના કારણે કુપવાડામાં ત્રણ લોકોના મૃત્યુ પામ્યા હોય. કુપવાડા પોલીસનું એક ટ્વિટ જરૂર મળ્યું. તેને 21 માર્ચે કરતા લખ્યું હતું કે કુપવાડામાં ભૂકંપના કારણે ત્રણ લોકોના મોતના સમાચાર ખોટા છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર નવીન નવાઝ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે કહ્યું કે આ પોસ્ટ ફેક છે. કુપવાડામાં આવી કોઈ ઘટના નથી બની.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે યુઝરને 55 હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ યુઝર શ્રીનગરમાં રહે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કુપવાડામાં ત્રણ લોકોના મોતના સમાચાર ખોટા સાબિત થયા. વાયરલ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલ તસવીર તુર્કી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ