X
X

Fact Check: સ્વાતિ માલીવાલ અને ધ્રુવ રાઠીની વાતચીતનો વાયરલ ઓડિયો AI જનરેટેડ

સ્વાતિ માલીવાલ અને ધ્રુવ રાઠીની વચ્ચે વાતચીતના દાવાની સાથે વાયરલ ઓડિયો AI જનરેટેડ છે. તેને સાચો માનીને યુઝર્સ શેર કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ અને યુટ્યુબર ધ્રુવ રાઠી વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. 43 સેકન્ડના આ ઓડિયોમાં સ્વાતિ માલીવાલને એવું કહેતા સાંભળી શકાય છે કે સુનીતા કેજરીવાલના કહેવા પર તેમને માર મારવામાં આવ્યો હતો. તે સમયે અરવિંદ કેજરીવાલ પણ ત્યાં હાજર હતા. તેને શેર કરીને કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વાયરલ ઓડિયો સ્વાતિ માલીવાલ અને ધ્રુવ રાઠી વચ્ચેની વાતચીતનો છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ ઓડિયો AI જનરેટેડ છે. તેને વોઈસ ક્લોનિંગની મદદથી બનાવવામાં આવ્યો છે. સ્વાતિ માલીવાલના મીડિયા હેડે તેને ફેક ગણાવ્યો છે, જ્યારે સ્વાતિ માલીવાલે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે ધ્રુવ રાઠી તેમના કૉલ્સ અને મેસેજને નજરઅંદાજ કરી રહ્યો છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર Vishambher Chaturvediએ 25 મેના રોજ વાયરલ ઓડિયોને શેર કરતા લખ્યું કે, ”દિલ્હી

સ્વાતિ માલીવાલ અને ધ્રુવ રાઠીનો વીડિયો થયો વાયરલ, સ્વાતિ માલીવાલે ધ્રુવ રાઠીને વીડિયો ન બનાવવા કહ્યું. કેજરીવાલ અને સુનીતાના કહેવાથી માર મારવામાં આવ્યો, ધ્રુવ વિપક્ષના એજન્ડા પર વીડિયો બનાવે છે.”

એક્સ યુઝર Sudheer Pandey (મોદી કા પરિવાર)એ પણ આ પોસ્ટને શેર કરી છે. 

તપાસ

વાયરલ ઓડિયોની તપાસ કરવા માટે અમે તેને શેર કરનાર એક્સ યુઝરની પોસ્ટને સ્કેન કરી.  ઘણા યુઝર્સે આના પર કોમેન્ટ કરી છે અને તેને ફેક અથવા AI જનરેટેડ ગણાવ્યો છે.

અમે આ મામલે સ્વાતિ માલીવાલનું એક્સ-હેન્ડલ પણ ચેક કર્યું. 26 મે, 2024ના રોજ એક પોસ્ટ (આર્કાઇવ લિંક)માં તેઓએ માહિતી આપી, ”મારી પાર્ટી એટલે કે ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા મારી વિરુદ્ધ અભિયાન ચલાવ્યા બાદ મને દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ બધું ત્યારે વધ્યું જ્યારે યુટ્યુબર ધ્રુવ રાઠીએ મારા વિશે એકતરફી વીડિયો પોસ્ટ કર્યો. જ્યાં સુધી પાર્ટી નેતૃત્વની વાત છે, તો તે એકદમ સ્પષ્ટ છે કે ફરિયાદ પાછી ખેંચવા માટે મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, મેં મારો પક્ષ જણાવવા માટે ધ્રુવ સુધી પહોંચવાનો પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મારા કોલ અને મેસેજને અવગણ્યા.”

ત્યારપછી અમે ઓડિયોમને Invid (બીટા વર્ઝન) ડીપફેક એનાલિસિસ ટૂલની મદદથી ચેક કર્યો અને જાણવા મળ્યું કે આ ઓડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની સંભાવના 74 ટકા છે. જેમાં વોઈસ ક્લોનિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઈલેવન લેબ્સ પર પણ અમે તેને ચેક કર્યો. અમને જાણવા મળ્યું કે 98 ટકા સંભાવના છે કે આ ઓડિયો ઈલેવન લેબ્સથી બનાવવામાં આવ્યો છે. 

અમે આ બાબતે સ્વાતિ માલીવાલના મીડિયા હેડ વંદના સિંહનો પણ સંપર્ક કર્યો. તેઓનું કહેવું છે કે ”વાઈરલ ઓડિયો ફેક છે. સ્વાતિ માલીવાલે પણ પોસ્ટ કરીને માહિતી આપી છે કે ધ્રુવ રાઠીએ તેમના કૉલ્સ અને મેસેજને ઈગનોર કર્યા છે.”

અમે AI-જનરેટેડ ઓડિયોને શેર કરનારા Facebook યુઝરની પ્રોફાઇલ સ્કેન કરી છે. ઉન્નાવમાં રહેતા યુઝરના લગભગ 1100 ફોલોઅર્સ છે.

निष्कर्ष: સ્વાતિ માલીવાલ અને ધ્રુવ રાઠીની વચ્ચે વાતચીતના દાવાની સાથે વાયરલ ઓડિયો AI જનરેટેડ છે. તેને સાચો માનીને યુઝર્સ શેર કરી રહ્યા છે.

  • Claim Review : વાયરલ ઓડિયો સ્વાતિ માલીવાલ અને ધ્રુવ રાઠી વચ્ચેની વાતચીતનો છે
  • Claimed By : FB User- Vishambher Chaturvedi
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later