Fact Check: ગુજરાતમાં પૂરમાં તણાઈને આવેલો મગરનો જૂનો વીડિયો આસામનો હોવાનું કહેવાય છે

ઓગસ્ટ 2019માં વડોદરામાં પૂરના કારણે મગર માનવ વસાહતમાં ઘૂસ્યા હતા. એનડીઆરએફે તેમને પકડીને વન વિભાગને સોંપી દીધા હતા. ઓગસ્ટ 2019ના વડોદરાનો વીડિયો આસામનો હોવાનું જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) . આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 15 સેકન્ડના આ વીડિયોમાં કેટલાક લોકો રહેણાક વિસ્તારમાં ડૂબી ગયેલા રસ્તા પર મગરને કંટ્રોલ કરતા જોઇ શકાય છે. આ વીડિયો શેર કરીને યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે, મગરે કરીમગંજમાં હુમલો કર્યો હતો. કરીમગંજ આસામનો એક જિલ્લો છે. વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં જાણવા મળ્યું કે ડૂબેલા રસ્તા પર મગરનો આ વાયરલ વીડિયો ગુજરાતના વડોદરાનો છે.

ઓગસ્ટ 2019માં ત્યાં આવેલા પૂરમાં કેટલાક મગર રહેણાંક વિસ્તારોમાં રસ્તા પર જોવા મળ્યા હતા.

વાયરલ પોસ્ટમાં શું છે?

ફેસબુક યુઝર Apna Assam (આર્કાઇવ લિંક)એ 20 જૂને વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે,
crocodile attack @karimganj #flood_affected
(પૂરગ્રસ્ત કરીમગંજમાં મગરનો હુમલો.)

ફેસબુક યુઝર Black Berry  (આર્કાઇવ લિંક)એ આ વીડિયોને આસામના સિલચરનો ગણાવ્યો છે.

સંપૂર્ણ શોધ

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે, અમે પહેલા કીવર્ડથી તેને શોધ્યો. આમાં અમને 4 ઓગસ્ટ 2019ના રોજ timesofindia માં પ્રકાશિત થયેલા વીડિયો ન્યૂઝની લિંક મળી. આમાં, અપલોડ કરેલા વીડિયોમાં વાયરલ વીડિયો જોઇ શકાય છે. જેમાં જણાવ્યા મુજબ વડોદરામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વડોદરાના રહેણાંક વિસ્તારમાં મગરમચ્છનો કિસ્સો સામે આવ્યો હતો.

2 ઓગસ્ટ, 2019ના રોજ deccanherald માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાને કારણે સાત મગરો શહેરમાં આવ્યા હતા. વન વિભાગે તેમને નદીકાંઠે આવેલા રાજમહેલ રોડ અને ફતેગંજ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે.

ANIએ 3 ઓગસ્ટ, 2019 ના રોજ કેટલાક ફોટા ટ્વીટ કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે એનડીઆરએફની ટીમે વડસર નગરમાંથી એક મગરને બચાવી લીધો છે. અને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

આજ તક માં છપાયેલા એક અહેવાલ અનુસાર સતત વરસાદને કારણે આસામમાં સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ૭૧ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ અંગે અમારી સાથે વાત કરતા પૂર્વ મોજોના સિનિયર એડિટર રાજર્ષિ સહરિયાએ જણાવ્યું હતું કે, “આ વીડિયો આસામનો નથી. અમે સ્થાનિક વન અધિકારીઓ સાથે પણ વાત કરી છે. તે ફેક ડિટેઈલ્સ સાથે વાયરલ થયો છે. ‘

સાથે જ વડોદરાના સ્થાનિક સમાચાર ‘ Our Vadodara ‘એ કહ્યું છે કે, “આ વડોદરાનો જૂનો વીડિયો છે. ‘

અમે ફેસબુક પેજ ‘अपना असम’ સ્કેન કર્યું હતું, જેમાં ગેરમાર્ગે દોરનારા દાવા સાથે વીડિયો શેર કરવામાં આવ્યો હતો. 17 જુલાઈ 2021ના રોજ બનેલા આ પેજને 400થી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: ઓગસ્ટ 2019માં વડોદરામાં પૂરના કારણે મગર માનવ વસાહતમાં ઘૂસ્યા હતા. એનડીઆરએફે તેમને પકડીને વન વિભાગને સોંપી દીધા હતા. ઓગસ્ટ 2019ના વડોદરાનો વીડિયો આસામનો હોવાનું જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ