Fact Check: અયોધ્યા રેલ્વે સ્ટેશનના નામે ગાંધીનગર સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો સાથે કરવામાં આવતો દાવો ખોટો છે. આ ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો વીડિયો છે, જે હવે અયોધ્યા સ્ટેશનના નામે શેર કરવામાં આવી રહ્યો છે.

Fact Check: અયોધ્યા રેલ્વે સ્ટેશનના નામે ગાંધીનગર સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) – એક સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિઓમાં રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ અને આસપાસનો વિસ્તાર જોઇ શકાય છે. વીડિયો શેર કરતી વખતે, વપરાશકર્તાઓ દાવો કરી રહ્યા છે કે અયોધ્યા રેલ્વે સ્ટેશન બનીને પૂર્ણ થઈ ગયું છે અને આ જ તેનો વીડિયો છે. વિશ્વાસ ન્યુઝે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો સાથે કરવામાં આવતો દાવો ખોટો છે. આ ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો વીડિયો છે, જે હવે અયોધ્યા સ્ટેશનના નામે શેર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ પોસ્ટમાં શું છે?

વીડિયો શેર કરતાં એક ફેસબુક યુઝરે લખ્યું કે, ‘અયોધ્યા સ્ટેશન તૈયાર છે. “જય શ્રી રામ”.

અહીં પોસ્ટનું આર્કાઇવ કરેલું સંસ્કરણ જુઓ.

તપાસ

અમારી તપાસ શરૂ કરવા માટે, અમે પહેલા વિડિઓને કાળજીપૂર્વક જોયો. વીડિયોમાં 52 સેકન્ડના ફ્રેમમાં ત્રિકોણાકારની ઉંચી ઇમારત જોવા મળી હતી. અમને આ મકાન ગુજરાતમાં મહાત્મા મંદિર જેવું લાગ્યું. ગૂગલ સર્ચમાં, અમે મહાત્મા મંદિરની શોધ કરી અને અમને બરાબર એ જ બિલ્ડિંગ છે જે વાયરલ વીડિયોના એક ફ્રેમમાં જોઇ શકાય છે.

તપાસ ચાલુ રાખતા, અમે તે જાણવા માગતો હતો કે મહાત્મા મંદિર નજીક કોઈ રેલ્વે સ્ટેશન છે કે નહીં. સ્થાનની સર્ચમાં, અમને ખબર પડી કે ગાંધીનગર રેલ્વે સ્ટેશન મહાત્મા મંદિરની ખૂબ નજીક છે.

હવે આ આધારે અમે વિડિઓની શોધ શરૂ કરી. શોધમાં, અમને તે જ વીડિયો ‘અમદાવાદ – હિંમતનગર – ઉદેપુર બ્રોડ ગેજ કન્વર્ઝન’ નામના ફેસબુક પેજ પર આજ વિડીયો મળ્યો, જેમાં વીડિયો શેર કરતી વખતે ગાંધીનગર રેલ્વે સ્ટેશનને શેર કરવામાં આવ્યો છે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો અંદરનો વીડિયો જોવા માટે અમે યુટ્યુબ સર્ચનો આશરો લીધો. અમે આવી ઘણી વિડિઓઝ આમરા હાથ લાગી , જ્યાં વાયરલ થયેલા વિડિઓ અને ગાંધી મંદિરનું ચોક્કસ દ્રશ્ય નજીકથી જોઇ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ થયેલા વીડિયો વિશે વધુ જાણવા માટે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત નેમાનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ વીડિયો ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો છે અને તે 5 સ્ટાર હોટલ હોવાથી પ્રખ્યાત પણ છે.

હવે આપણે અયોધ્યા રેલ્વે સ્ટેશનથી સંબંધિત માહિતી મેળવી લેવી જોઈએ. પીઆઈબીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, અયોધ્યા રેલ્વે સ્ટેશન 2021-22ની મધ્યમાં તૈયાર થઈ જશે.

ફેક ફેસબુક શેર કરનાર ફેસબુક વપરાશકાર મનોજ ભાટીની સોશ્યલ સ્કેનીંગમાં, અમે જોયું કે વપરાશકર્તા બીકાનેરનો રહેવાસી છે.

निष्कर्ष: નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો સાથે કરવામાં આવતો દાવો ખોટો છે. આ ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો વીડિયો છે, જે હવે અયોધ્યા સ્ટેશનના નામે શેર કરવામાં આવી રહ્યો છે.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ