X
X

Fact Check: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો 2017નો વીડિયો સોથિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. મે 2017ની ઘટનાને કેટલાક લોકો તાજેતરની જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભાની ચૂંટણીની ગતિવિધિઓની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પર ચંપલ ફેંકવાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કેટલાક યુઝર્સ તાજેતરનો સમજીને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા પર કોઈએ ચંપલ ફેંક્યું.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. મે 2017ની ઘટનાને કેટલાક લોકો તાજેતરની જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ ?

ફેસબુક યુઝર અર્જુન રાણાએ 6 એપ્રિલે 11 સેકન્ડનો એક વીડિયો અપલોડ કરીને દાવો કર્યો કે, “ભારત માતા કી જય, વંદે માતરમ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચંપલ ફેંક્યા. બોલો અબકી બાર જૂતા માર.”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. અમને આને લગતા ઘણા સમાચારો અને વીડિયો જુની તારીખોથી ઘણી જગ્યાએ મળ્યા.

ઈન્ડિયા ટીવીએ 29 મે 2017ના રોજ એક સમાચારમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પર એક યુવકે પર ચંપલ ફેંક્યા. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત માતા કી જયના ​​નારા લગાવતા એક યુવકે મંત્રી પર ચંપલ ફેંક્યા.

સર્ચ દરમિયાન એબીપી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચાર મળ્યા. તેને 29 મે 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યું કે, ગુજરાતના ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં કેન્દ્રીય મંત્રી પર ચંપલ ફેંકવામાં આવ્યું. 

અમર ઉજાલાએ તેની વેબસાઇટ પર વીડિયોનો ઉપયોગ કરીને 30 મે 2017ના રોજ એક સમાચારમાં જણાવ્યું હતું કે, ”ગુજરાતના ભાવનગરમાં મંત્રી મનસુખ માંડવિયા પર ચંપલ ફેંકવામાં આવ્યું. મનસુખ માંડવિયા ભાવનગરના એક જિલ્લા વલ્લભીપુરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા કે, ત્યારે જ એક વ્યક્તિએ તેનું ચંપ્પલ કાઢીને મંત્રીજી પર ફેંક્યું હતું.”

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ગુજરાતી જાગરણના સિનિયર એડિટર જીવન કપૂરિયા સાથે સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, ભાવનગરના વલ્લભીપુરના 2017ના જૂના વીડિયોને ભ્રામક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

તપાસના અંતે ફેસબુક યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું.  જાણવા મળ્યું કે યુઝર અર્જુન રાણા દિલ્હીનો રહેવાસી છે. આનાથી વધુ માહિતી આ એકાઉન્ટ વિશે મળી નથી.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. મે 2017ની ઘટનાને કેટલાક લોકો તાજેતરની જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • Claim Review : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચંપલ ફેંકવામાં આવ્યું.
  • Claimed By : FB USer Arjun Rana
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later