Fact Check: રામ મંદિરના નામે વાયરલ આ વીડિયો અત્યારનો નહીં, પણ જૂનો છે

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો સાબિત થયો. વીડિયોનો રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો સપ્ટેમ્બર 2023થી સોશિયલ મીડિયા પર હાજર છે, જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ છે. આવી સ્થિતિમાં એ સાબિત થાય છે કે જૂના વીડિયોને રામ મંદિર સાથે જોડીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં દાનના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલાઓને દાનપેટીમાં નોટોના બંડલ નાખતી જોઈ શકાય છે. વીડિયોની સાથે રામલલાની પ્રતિમાની તસવીર પણ લાગેલી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ તેને રામ મંદિરનો વીડિયો જણાવીને વાયરલ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો સાબિત થયો. વીડિયોનો રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો સપ્ટેમ્બર 2023થી સોશિયલ મીડિયા પર હાજર છે, જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ છે. આવી સ્થિતિમાં એ સાબિત થાય છે કે જૂના વીડિયોને રામ મંદિર સાથે જોડીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર પારસ જેઠવાએ 2 ફેબ્રુઆરીના રોજ 16 સેકન્ડનો એક વીડિયો અપલોડ કર્યો. વીડિયોમાં અયોધ્યાના રામલલાની પ્રતિમાની તસવીરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે લાગી રહ્યું છે કે દાનપેટીમાં પૈસા નાખતી મહિલાઓનો આ વીડિયો રામ મંદિરનો છે.

વાયરલ વીડિયોને રામ મંદિરનો સમજીને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે રામ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ઈનવિડ ટૂલની મદદથી તેના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી તેને સર્ચ કરવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલનો ઉપયોગ કરીને સર્ચ કરતા એક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અસલી વીડિયો મળ્યો.

10 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ શેઠજી કાડીવાનાએ અસલી વીડિયોને શેર કરતા તેને સાંવલિયા શેઠના મંદિરનો જણાવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવમાં આવ્યું છે કે, “ભાદસોડા સાવલિયાજી પર એક મહિલાએ 10 લાખ રૂપિયા સાવલિયાજીના ભંડારામાં નાખ્યા. શેઠોના શેઠ શ્રી સાંવરિયા શેઠની જય.”

તપાસને આગળ વધારતા અમે ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સર્ચથી અમને Asianet News.com પર એક સમાચાર મળ્યા. 11 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં વાયરલ ફૂટેજના ગ્રેબ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, “ચિત્તોડગઢના સાંવલિયા સેઠ એટલે કે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માત્ર દેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે. ભક્તોની મનોકામના પૂર્ણ થાય ત્યારે કરોડો રૂપિયાનું દાન કરે છે. હવે એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તેમણે બે મિનિટમાં 10 લાખ રૂપિયા ભગવાનને અર્પિત કર્યા.”

તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે જ્યારથી રામ મંદિર ભક્તો માટે ખુલ્યું છે, ત્યારથી ઘણું દાન આવી રહ્યું છે. છેલ્લા દસ દિવસોમાં લગભગ 12 કરોડ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. તેને સંબંધિત રિર્પોટને અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ અયોધ્યાના સંપાદકીય પ્રભારી રામા શરણ અવસ્થી સાથે સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે રામ મંદિરમાં ઘણું દાન આવી રહ્યું છે, પરંતુ વાયરલ વીડિયો રામ મંદિરનો નથી.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં એ સાબિત થઈ ગયું છે કે રામ મંદિર સાથે જોડીને જે વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે મંદિરના નિર્માણ પહેલાનો છે. વિશ્વાસ ન્યૂઝ સ્વતંત્ર રીતે એ વાતની પુષ્ટિ નથી કરી શકતું કે વાયરલ વીડિયો ક્યાંનો છે.

તપાસના અંતે જૂના વીડિયોને રામ મંદિર સાથે જોડીને વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર પારસ જેઠવાના લગભગ પાંચ હજાર ફ્રેન્ડ્સ છે. આનાથી વધુ માહિતી આ એકાઉન્ટ પર મળી નથી.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો સાબિત થયો. વીડિયોનો રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો સપ્ટેમ્બર 2023થી સોશિયલ મીડિયા પર હાજર છે, જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ છે. આવી સ્થિતિમાં એ સાબિત થાય છે કે જૂના વીડિયોને રામ મંદિર સાથે જોડીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ