Fact Check: પાકિસ્તાનમાં ઈરાની એર સ્ટ્રાઈકના રિપોર્ટિગ પર પ્રતિંબંધ લગાવવાનો દાવો કરતો આ પત્ર છે ફેક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ પત્ર (લેટર) ફેક હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની સરકારે મીડિયા સંસ્થાઓને આ પત્ર જાહેર કર્યો નથી.

Fact Check: પાકિસ્તાનમાં ઈરાની એર સ્ટ્રાઈકના રિપોર્ટિગ પર પ્રતિંબંધ લગાવવાનો દાવો કરતો આ પત્ર છે ફેક

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર સર્કુલરની એક કોપી વાયરલ થઈ રહી છે, જેને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાની સરકારે આ પત્ર જાહેર કરીને તમામ મીડિયા સંસ્થાઓને ઈરાનની એર સ્ટ્રાઈકના રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ તમામ પત્રકારોને હુમલાગ્રસ્ત વિસ્તારોમાં ન જવાનો આદેશ પણ આપ્યો છે. 

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ લેટર ફેક છે. પાકિસ્તાની સરકારે મીડિયા સંસ્થાઓને આવો કોઈ પત્ર જાહેર કર્યો નથી. 

શું છે વાયરલ પોસ્ટમાં?

યુઝરે વાયરલ સર્કુલરને શેર કરીને લખ્યું છે કે, ”પાકિસ્તાન સરકારે પાકિસ્તાની મીડિયાને સરહદની અંદર ઈરાનના હવાઈ હુમલાના સમાચાર કવર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે વિસ્તારોમાં હુમલા થયા છે, ત્યાં તમામ પત્રકારોને જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

17 જાન્યુઆરી 2024ના રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી પ્રેસ રીલીઝ અનુસાર, “ઈરાન દ્વારા કરવામાં આવેલ હવાઈ ક્ષેત્રના અકારણ ઉલ્લંઘન અને પાકિસ્તાની ક્ષેત્રની અંદર હુમલાની પાકિસ્તાન સખત નિંદા કરે છે, જેના પરિણામે બે માસૂમ બાળકોના મોત થયા છે,  જ્યારે ત્રણ છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ છે.”

https://twitter.com/ForeignOfficePk/status/1747351177287647457

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ટ્રિબ્યુનના 18 જાન્યુઆરીના સમાચાર અનુસાર, ‘બલૂચિસ્તાનના પંજગુરુ જિલ્લામાં આવેલા એક ગામ પર મિસાઈલ હુમલા બાદ પાકિસ્તાન-ઈરાનની સરહદ પરના પહાડોના રહેવાસીઓ ચિંતામાં છે.’

પાકિસ્તાન સરકારને ટાંકીને વાયરલ થઈ રહેલા આ કથિત સર્કુલરમાં PMO લખવામાં આવ્યું છે, પરંતુ અમને પાકિસ્તાન PMOની વેબસાઈટ પર આવો કોઈ સર્કુલર ન મળ્યો.

અમને આ પત્ર પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફેક્ટ ચેક ટ્વિટર હેન્ડલ પર મળ્યો, જ્યાં તેને ‘નકલી અને બનાવટી’ તરીકે વર્ણવવામાં આવ્યો છે.

પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીની વેબસાઈટ પર અમને મીડિયા સંસ્થાઓને 18 જાન્યુઆરીએ ઈરાન હુમલાને લઈને જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મળી, પરંતુ આમાં પણ ક્યાંય પ્રતિબંધનો ઉલ્લેખ નથી. 

અમે પોસ્ટની પુષ્ટિ માટે પાકિસ્તાની પત્રકાર ઉમર ઈનામનો સંપર્ક કર્યો. તેમણે પણ કહ્યું કે, “સરકારે પણ આવો કોઈ આદેશ આપ્યો નથી, આ વાયરલ લેટર ફેક છે.”

પોસ્ટને ફેક દાવાની સાથે શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 335 લોકો ફોલો કરે છે. 

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ પત્ર (લેટર) ફેક હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની સરકારે મીડિયા સંસ્થાઓને આ પત્ર જાહેર કર્યો નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ