Fact Check: કેદારનાથમાં યાત્રીઓ સાથે મારપીટ મામલે નથી કોઈ સાંપ્રદાયિક એંગલ, આરોપી અને પીડિત એક જ સમુદાયના છે

કેદારનાથમાં ઘોડાને માર મારવાનો વિરોધ કરવા બદલ ઘોડા સંચાલકોએ યાત્રીઓ પર હુમલો કર્યો હતો. આમાં આરોપી અને પીડિતા એક જ સમુદાયના છે. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) : ઉત્તરાખંડમાં હાલમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એમાં કેટલાક લોકોને મહિલા અને યુવકોને લાકડીઓથી માર મારતા જોઈ શકાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરી દાવો કરી રહ્યા છે કે કેદારનાથમાં ચારધામ યાત્રીઓ સાથે મુસ્લિમ ઘોડા અને ખચ્ચરના સંચાલકોએ મારપીટ કરી. યુઝર્સ વીડિયોને ભડકાઉ અને સાંપ્રદાયિક રંગ આપીને વાયરલ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે કેટલાક તીર્થયાત્રીઓએ ઘોડાને માર મારવાનો વિરોધ કર્યો ત્યારે સંચાલકોએ તેમના પર હુમલો કર્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં પીડિત અને આરોપી એક જ સમુદાયના છે. આમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘સંજય તિવારી‘ (આર્કાઇવ લિંક)એ 13 જૂને વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે,

“શરમજનક/દુ:ખદ – કેદારનાથમાં મુસ્લિમ આતંક, કેદારનાથમાં ચારધામ યાત્રીઓની સાથે મુસ્લિમ ઘોડા અને ખચ્ચરના સંચાલકોએ મારપીટ કરી, ઘોડાપડાવ/ભીમબલી વિસ્તારની ઘટના, યાત્રીઓને લાકડી-ડંડા વડે માર માર્યો, અમારી સાથે પણ તેઓએ ખૂબ ખરાબ વર્તન કર્યો, આ લોકોનો આતંક છે. આ બધુ જોઈને પણ ત્યાંની પોલીસ તેમને કંઈ નથી કહેતી. વહીવટીતંત્રએ આ યાત્રાનો અમલ કરવો જોઈએ.”

ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સે આ જ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સથી આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. આ દરમિયાન અમને નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર 13 જૂને પ્રકાશિત થયેલા સમાચાર મળ્યા. જેમાં લખવામાં આવ્યું છે કે, “મહિપાલપુર દિલ્હીના રહેવાસી તનુકા પૌંડારે સોનપ્રયાગ પોલીસને ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ બાબા કેદારનાથના દર્શન કરવા આવ્યા હતા. 10 જૂને જ્યારે તેઓ ગૌરીકુંડથી કેદારનાથ ધામની યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે ભીમબલી પુલની પાસે તેમને એક ઘોડો નીચે પડેલો જોવા મળ્યો. ઘોડાની હાલત નાજુક હતી. જે બાદ તેમણે ત્યાં હાજર લોકો પાસે મદદ માંગી, પરંતુ કોઈએ મદદ ન કરી. ત્યાં એક વ્યક્તિ અન્ય ઘોડાઓને માર મારી રહ્યો હતો. તેમણે તેનો વિરોધ કર્યો તો ઘણા ઘોડા સંચાલકો ત્યાં પહોંચી ગયા અને અપશબ્દો બાલી તેમની સાથે મારપીટ કરવા લાગ્યા. આરોપ છે કે આ દરમિયાન ઘોડા સંચાલકોએ ડંડાથી તેમને અને અન્ય યાત્રીઓને માર માર્યો હતો. સાથે જ તેમને ઉત્તરાખંડમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. તનુકા પૌંડારે 12મી જૂને પોલીસને આ ફરિયાદ આપી છે. તેમની ફરિયાદના આધારે પોલીસે પાંચ ઘોડા સંચાલકો સામે કેસ નોંધીને અંકિત સિંહ, સંતોષ કુમાર, રોહિત કુમાર અને ગૌતમની ધરપકડ કરી લીધી છે. આમાં એક સગીર પણ સામેલ છે. રુદ્રપ્રયાગના ડીએસપી હર્ષવર્ધની સુમને જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેઓના લાઇસન્સ રદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.”

દૈનિક જાગરણની વેબસાઈટ પર 13 જૂને પ્રકાશિત એક સમાચારમાં લખવામાં આવ્યું છે કે કેદારનાથ યાત્રા પર આવેલી એક મહિલા અને અન્ય તીર્થયાત્રીઓની સાથે પાંચ ઘોડા અને ખચ્ચરના સંચાલકોએ મારપીટ કરી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આરોપીઓના લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓ અંકિત સિંહ, સંતોષ કુમાર, રોહિત કુમાર, તમામ રુદ્રપ્રયાગ જિલ્લાના જયકાંડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે રુદ્રપ્રયાગના જાખનના ગૌતમ સિંહની પણ ધરપકડ કરી છે. આ કેસમાં એક સગીર પણ સામેલ છે.

રુદ્રપ્રયાગ પોલીસના ટ્વિટર હેન્ડલ (આર્કાઇવ લિંક)થી પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે. 13 જૂન, 2023ના રોજ કરવામાં આવેલ ટ્વીટમાં આરોપીઓના નામ અંકિત સિંહ, સંતોષ કુમાર, રોહિત કુમાર, ગૌતમસિંહ જણાવવામાં આવ્યા છે. સાથે આ મારામારીની ઘટનમાં એક સગીર પણ સામેલ હોવાની જાણકારી આપવામાં આવી છે.

આ વિશે વધુ માહિતી માટે અમે રૂદ્રપ્રયાગમાં દૈનિક જાગરણના ક્રાઈમ રિપોર્ટર બ્રિજેશ ભટ્ટ સાથે સંપર્ક કર્યો. તેમનું કહેવું છે, “આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સગીર આરોપી પણ હિન્દુ છે. તમામ આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. પોલીસે કેસ નોંધીને તેઓની ધરપકડ કરી લીધી છે.”

તપાસના અંતે અમે વીડિયોને સાંપ્રદાયિક રંગ આપીને ખોટા દાવા સાથે વાયરલ કરનાર ફેસબુક યુઝર ‘સંજય તિવારી’ની પ્રોફાઈલને સ્કેન કરી. એ મુજબ તે મધ્યપ્રદેશના કનોડમાં રહે છે અને તેના લગભગ 5000 ફ્રેન્ડ છે.

निष्कर्ष: કેદારનાથમાં ઘોડાને માર મારવાનો વિરોધ કરવા બદલ ઘોડા સંચાલકોએ યાત્રીઓ પર હુમલો કર્યો હતો. આમાં આરોપી અને પીડિતા એક જ સમુદાયના છે. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ