X
X

Fact Check: રામચરિત માનસને ‘રાષ્ટ્રીય ગ્રંથ’ જાહેર કરવા અંગેનો વાયરલ દાવો છે ખોટો

રામચરિત માનસને ‘રાષ્ટ્રીય ગ્રંથ’ જાહેર કરવા અંગેનો વાયરલ દાવો ખોટો છે. આ અંગે કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. માત્ર તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યએ આવો દાવો કર્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રામચરિત માનસને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રામચરિત માનસ ‘રાષ્ટ્રીય ગ્રંથ’ બનશે અને તેની નિંદા કરનાર પર દેશદ્રોહનો કેસ દાખલ થશે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જી હાં, તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યએ બિહારમાં આવો દાવો કર્યો હતો કે 2024માં ફરીથી ભાજપની સરકાર બનશે તો રામચરિત માનસને ‘રાષ્ટ્રીય ગ્રંથ’ જાહેર કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ખોટો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘બ્રિજેશ ગુડ્ડુ’ (આર્કાઇવ લિંક)એ 15 નવેમ્બરે લખ્યું, “રામચરિતમાનસ બનશે રાષ્ટ્રીય ગ્રંથ, નિંદા કરનાર પર લાગશે રાષ્ટ્રદ્રોહ જય શ્રી રામ”

ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સે પણ આ દાવાને પોસ્ટ કર્યો છે.

તપાસ

રામચરિત માનસને લઈને વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે કીવર્ડ્સથી આ વિશે ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ એવા કોઈ સમાચાર મળ્યા નથી, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે. જો આવી કોઈ જાહેરાત થઈ હોત, તો મીડિયા રિપોર્ટ જરુર આવ્યા હોત.

દૈનિક જાગરણની વેબસાઈટ પર 3 નવેમ્બરના રોજ પ્રકાશિત સમાચારમાં લખ્યું છે કે બિહારના ચંપારણમાં શ્રીરામ કથાવાંચન કાર્યક્રમ દરમિયાન તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યએ દાવો કર્યો છે કે રામચરિતમાનસને ‘રાષ્ટ્રીય ગ્રંથ’ બનાવવામાં આવશે અને તેની નિંદા કરનાર પર રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ થશે.

4 નવેમ્બરે હિન્દુસ્તાનમાં પણ આ વિશે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે મુજબ તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યનો દાવો છે કે 2024માં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. જે બાદ શ્રી રામચરિત માનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવામાં આવશે. તેમણે તેની નિંદા કરનાર સામે ચુપ નહીં બેસવાની વાત પણ કરી. 

અમે આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રી સાથે વાત કરી. તેઓનું કહેવું છે, ”ભાજપની આવી કોઈ યોજના નથી. જો આવું કંઈક વાયરલ થઈ રહ્યું છે, તો તે ખોટું છે. અમે તુલસી પીઠાધીશ્વર રામભ્રદ્રાચાર્યનું સન્માન કરીએ છીએ, પરંતુ આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.”

અંતે અમે ભ્રામક પોસ્ટ કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. તે મુજબ યુઝરના લગભગ 4500 ફોલોઅર્સ છે અને તે એક વિચારધારાથી પ્રભાવિત છે.

निष्कर्ष: રામચરિત માનસને ‘રાષ્ટ્રીય ગ્રંથ’ જાહેર કરવા અંગેનો વાયરલ દાવો ખોટો છે. આ અંગે કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. માત્ર તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યએ આવો દાવો કર્યો છે.

  • Claim Review : રામચરિત માનસ 'રાષ્ટ્રીય ગ્રંથ' બનશે અને તેની નિંદા કરનાર પર દેશદ્રોહનો કેસ દાખલ થશે.
  • Claimed By : FB User- Brijesh Guddu
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later