Fact Check: ઓમાનમાં સમુદ્રમાં ડૂબતા લોકોનો વીડિયો બિપરજોય વાવાઝોડાની સાથે જોડીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. સમુદ્રમાં 2 લોકોના ડૂબી જવાની ઘટના વર્ષ 2022માં ઓમાનના બીચ પર બની હતી. તેને બિપરજોય સાથે કોઈ લેવાદેવા નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) : ચક્રવાતી તોફાન બિપરજોયે દેશના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો દરિયાના પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ચક્રવાતી તોફાન બિપરજોયનો માનીને વાયરલ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને ભારત અને બિપરજોય સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો ઓમાનનો વર્ષ 2022નો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર સિંધ યંગ ટીચર્સ ફોરમ (Sindh Young Teachers Forum)એ 6 જૂનના રોજ 20 સેકન્ડના એક વીડિયોને બિપોરજોયનો જણાવીને દાવો કર્યોઃ Angry waves took away two lives ..as seen in VIDEO #CycloneBiporjoy #CycloneBiporjoy અનુવાદઃ સમુદ્રની લહેરોએ બે લોકોનો લીધો જીવ.. વીડિયોમાં જોવા મળી રહ્યું છે #CycloneBiporjoy #CycloneBiporjoy

તપાસ
સર્ચ દરમિયાન વિશ્વાસ ન્યૂઝને ધ ટ્રિબ્યુનની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો અપલોડ થયેલો મળ્યો. આ વીડિયોને લઈને જાણકારી આપવામાં આવી હતી કે ઓમાનના મુગસેલ બીચ પર એક ભારતીય પરિવાર દરિયામાં ડૂબી ગયો. આ વીડિયો 14 જુલાઈ, 2022ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

અમને આ વીડિયો ઈન્ડિયા ટુડેની યુટ્યુબ ચેનલ પર પણ 14 જુલાઈ 2022ના રોજ અપલોડ મળ્યો. અહીં પણ આને ઓમાનની ઘટના જણાવવા આવી હતી.

સર્ચ દરમિયાન અમને ટાઈમ્સ ઓફ ઓમાનની વેબસાઈટ પર આ ઘટનાનો ન્યૂઝ રિપોર્ટ પણ મળ્યો. આમાં જણાવવામા આવ્યું છે કે ઓમાનના સાલાહ અલ મુગસેલ બીચ પર 8 લોકો તણાયા. આમાંથી 3 લોકોને તે સમયે જ બચાવી લેવાયા હતા, જ્યારે 5 લોકોમાંથી 2 લોકોના મૃતદેહ મળ્યા. સંબંધિત સમાચારને અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા બિપરજોયને કવર કરનાર દૈનિક જાગરણના સૌરાષ્ટ્રના રિપોર્ટર નરેન્દ્ર આહિરનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં બિપરજોયની ભારે અસર જોવા મળી હતી, પરંતુ વાયરલ વીડિયો સૌરાષ્ટ્રનો નથી. આ વીડિયો ઓમાનનો 2022નો છે. તે સમયે પણ આ વીડિયો મુંબઈ અને ગુજરાતનો હોવાનો દાવો કરીને વાયરલ થયો હતો, પરંતુ તે ઓમાનનો હોવાનું સામે આવ્યું હતું.

સાયક્લોન બાયપરજોયના નામે ઘણી જૂની અને બિનસંબંધિત તસવીરો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આવા જ એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે આ તાજેતરના ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે થયેલી તબાહીનો છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વીડિયો જૂનો છે, જેને ભ્રામક દાવા સાથે બિપરજોયના નામ સાથે શેર કરવામાં આવ્યો છે. અમારા ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

Biparjoy તોફાન સંબંધિત અન્ય વાયરલ વીડિયો અને સોશિયલ મીડિયાના દાવાની તપાસને વિશ્વાસ ન્યૂઝની વેબસાઇટ પર વાંચી શકાય છે.

તપાસના અંતે ઓમાનના વીડિયોને મુંબઈનો જણાવીને વાયરલ કરનાર યુઝર સિંધ યંગ ટીચર્સ ફોરમની તપાસ કરવામાં આવી. ટ્વિટર પર યુઝરના 654 ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. સમુદ્રમાં 2 લોકોના ડૂબી જવાની ઘટના વર્ષ 2022માં ઓમાનના બીચ પર બની હતી. તેને બિપરજોય સાથે કોઈ લેવાદેવા નથી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ