Fact Check: મણિપુરમાં સેનાના બે જવાનોની હત્યાની અફવા વાયરલ

મણિપુરમાં સેનાના બે જવાનોને માર મારીને હત્યા કરવામાં આવી હોવાનો ખોટો દાવો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. સેનાના પ્રવક્તાએ પણ આ દાવાને ફેક ગણાવ્યો છે. મણિપુરમાં આવી કોઈ ઘટના બની નથી.

Fact Check: મણિપુરમાં સેનાના બે જવાનોની હત્યાની અફવા વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)

મણિપુરને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં ખેતરમાં કેટલીક મહિલાઓને જવાનો સાથે મારામારી કરતા જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે મણિપુરમાં ભારતીય સેનાના બે જવાનોને ખેતરોમાં કામ કરતી મહિલાઓએ મારી નાખ્યા.

વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ દાવાની તપાસ કરી ત્યારે પોસ્ટ માત્ર અફવા નીકળી. આ પ્રકારનો કોઈ મામલો મણિપુરમાંથી સામે આવ્યો નથી. સેનાની છબી ખરાબ કરવાના હેતુથી આ પ્રકારની પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. સેનાના પ્રવક્તાએ આ દાવાને ફેક ગણાવ્યો છે.  

શું થઈ રહ્યું છે વાયરલ?

એક્સ યુઝર Ironclad (આર્કાઇવ લિંક)એ 10 જાન્યુઆરીએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, “મણિપુરમાં ભારતીય સેનાના બે જવાનોએ જ્યારે નજીકના ખેતરોમાં કામ કરતી મહિલાઓના એક ગ્રુપ સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો તો તેમને માર મારીને હત્યા કરી નાખવામાં આવી.”

ફેસબુક યુઝર EM News Hyd (આર્કાઇવ લિંક)એ 11 જાન્યુઆરીએ આ વીડિયોને પોસ્ટ કરીને સમાન દાવો કર્યો છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા આ વિશે કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ એવો કોઈ મીડિયા રિપોર્ટ ન મળ્યો, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે. 

આ પછી અમે ઈનવિડ ટૂલની મદદથી વાયરલ વીડિયોના કીફ્રેમ્સ કાઢ્યા અને ગૂગલ લેન્સની મદદથી તેને સર્ચ કર્યા. સેમ ટ્રાવેલ્સ નામની યુટ્યુબ ચેનલે 6 જાન્યુઆરી, 2024ના રોજ વાયરલ વીડિયો ક્લિપને શેર કરી છે. તેનું ટાઈટલ લખેલું છે કે મણિપુરની ‘મીરા પાઈબી’ મહિલાઓએ સેનાના જવાનોને પકડી લીધા.

JohnNgamneo Haokip Kuki નામની યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ ક્લિપને અપલોડ કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે સેનાના જવાન ‘મીરા પાઈબી’ મહિલાઓના હાથોમાં ફસાઈ ગયા. 

આ વિશે અમે ભારતીય સેનાના પ્રવક્તા સાથે સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે, આ ફેક છે. આવું કઈ થયું નથી.

અમે મણિપુરમાં ANIના સંવાદદાતા એલસીકે સિંહ સાથે પણ વાયરલ વીડિયો શેર કર્યો. તેમણે કહ્યું કે, ”આવું કંઈ થયું નથી. જવાનોને તે વિસ્તારમાંથી એમ કહીને ભગાવી દેવામાં આવ્યા હતો કે તેઓ તે વિસ્તારમાં તૈનાત ન રહે અને બીજો કોઈ મુદ્દો ઉભો ન કરે. આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી.”

દૈનિક જાગરણની વેબસાઈટ પર પીટીઆઈને ટાંકીને 21 જુલાઈ, 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, મણિપુરમાં મહિલાઓના આંદોલનને મીરા પાઈબીના નામે ઓળખવામાં આવે છે. તેઓ મશાલ લઈને ચાલે છે. સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે મહિલાઓના જૂથ ‘મીરા પાઈબી’ દ્વારા ઊભા થયેલા ખતરાનો સામનો કરવા માટે વધુ મહિલા બટાલિયનની જરૂર છે. આ મહિલાઓ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોની અવરજવરમાં અવરોધો ઉભા કરવાની સાથે જ ગંભીર ગુનાઓને અંજામ આપવામાં પણ મદદ કરી રહી છે. 

ફેક દાવો કરનાર એક્સ યુઝર Ironcladના 1445 ફોલોઅર્સ છે. યુઝરે ભારતીય સેના વિરુદ્ધ કેટલીક વધુ પોસ્ટ પણ કરી છે.

निष्कर्ष: મણિપુરમાં સેનાના બે જવાનોને માર મારીને હત્યા કરવામાં આવી હોવાનો ખોટો દાવો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. સેનાના પ્રવક્તાએ પણ આ દાવાને ફેક ગણાવ્યો છે. મણિપુરમાં આવી કોઈ ઘટના બની નથી.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ