Fact Check: બાલ ગોપાલની મૂર્તિ બનાવી રહેલા અરુણ યોગીરાજની તસવીર ફેક દાવાની સાથે વાયરલ

બાલ ગોપાલની મૂર્તિ બનાવી રહેલા અરુણ યોગીરાજની તસવીર જૂની છે. તેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)અયોધ્યાના રામ મંદિરના રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. તેમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવતા જોવા મળી રહ્યા છે. તેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અરુણ યોગીરાજ રામલલા બાદ હવે બાલ ગોપાલની મૂર્તિ બનાવી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે બાલ ગોપાલની મૂર્તિ બનાવી રહેલા અરુણ યોગીરાજની આ તસવીર જૂની છે. સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા શેર કરવામાં આવી રહી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર એસ રાજેશ્વરમા ( S Rajeshverma)એ 26 જાન્યુઆરીએ ફોટાને પોસ્ટ કરીને લખ્યું કે, ”શ્રી રામલલા બાદ….શ્રી કૃષ્ણલલા..સમજી રહ્યા છોને..? અમરેન્દ્ર બાહુબલી!!!  જય શ્રી કૃષ્ણ”

ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સે પણ આ તસવીરને સમાન દાવાની સાથે પોસ્ટ કરી છે. 

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરી. અરુણ યોગીરાજના નામે બનેલા એક્સ હેન્ડલ પરથી આ તસવીરને 4 માર્ચ 2023ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં લખ્યું છે કે મૂર્તિનું કામ ચાલી રહ્યું છે.

2 જાન્યુઆરી 2024ના રોજ ડેક્કન ક્રોનિકલની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચારમાં પણ આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, બાલકૃષ્ણની મૂર્તિને આખરી ઓપ આપતા અરુણ યોગીરાજનો ફાઈલ ફોટો.

આ વિશે કીવર્ડથી ગૂગલ પર સર્ચ કરવા પર અમને અમર ઉજાલાની વેબસાઈટ પર 28 જાન્યુઆરી 2024ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મળ્યા. આ મુજબ, ”અયોધ્યામાં રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપને આકાર આપશે. જેમાં મહાભારત દરમિયાન અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલા સંવાદને દર્શાવવામાં આવશે. આ મૂર્તિ પણ નેપાળની ગંડક નદીમાંથી કાઢવામાં આવેલા શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવશે. આ મૂર્તિ નિર્માણાધીન 18 માળના જ્ઞાન મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.”

આ અંગે અમે અરુણ યોગીરાજના નંબર પર સંપર્ક કર્યો અને તેમને વાયરલ તસવીર મોકલી. તેમની પત્ની વિજેતાનું કહેવું છે કે, ”આ તસવીર જૂની છે. ચાર-પાંચ વર્ષ પહેલા તેમને આ કામ મળ્યું હતું. હવે આ મૂર્તિ બની ચૂકી છે.”

ભ્રામક દાવો કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. તેઓ તમિલનાડુના તિરુપુરના રહેવાસી છે.

निष्कर्ष: બાલ ગોપાલની મૂર્તિ બનાવી રહેલા અરુણ યોગીરાજની તસવીર જૂની છે. તેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ