Fact Check: મહિલાઓની સુરક્ષાના નામે વાયરલ થઈ રહેલો હેલ્પલાઈન નંબર ફેક છે

અમારી તપાસમાં આ મેસેજને લગતી બે બાબતો મળી આવી. પ્રથમ – આ સર્વિસ માત્ર મુંબઈ શહેર માટે હતી અને બીજી – માર્ચ 2014માં શરૂ થયેલી આ સર્વિસ માર્ચ 2017 માં બંધ કરી દેવામાં આવી હતી. વાયરલ મેસેજ સાચો નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે ઓટો અથવા ટેક્સી નંબર 9969777888 પર મેસેજ (sms) કરવાથી તે વાહન પર GPRSથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો મેસેજ સંપૂર્ણ રીતે સાચો નથી. અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ સર્વિસ માત્ર મુંબઈ શહેર માટે હતી અને માર્ચ 2014માં શરૂ થયેલી આ સર્વિસ માર્ચ 2017માં બંધ કરી દેવામાં આવી હતી.

શું છે વાયરલ પોસ્ટમાં?

વિશાલ મુદ્ગલ (આર્કાઇવ) નામના ફેસબુક યુઝરે આ પોસ્ટ 7 ડિસેમ્બરે શેર કરી હતી. વાયરલ મેસેજમાં લખ્યું છે કે, “ખૂબ જ મહત્વપૂર્ણ સૂચના: એકલી મુસાફરી કરતી મહિલાઓના હિતમાં જાહેર. તમે જ્યારે પણ રાત્રે ઓટો કે ટેક્સીમાં એકલા બેસો ત્યારે તે ઓટો કે ટેક્સીનો નંબર 9969777888 પર SMS કરી દો, તમારા ફોન પર મેસેજ આવશે એકનોલેજમેન્ટનો, તમારા વાહન પર GPRS દ્વારા નજર રાખવામાં આવશે. બને તેટલો વધુ આ મેસેજને શેર કરો.”

તપાસ

આ મેસેજની સત્યતા જાણવા માટે અમે આ નંબર વિશે સર્ચ કર્યું. તપાસમાં અમને જાણવા મળ્યું કે મુંબઈ પોલીસે માર્ચ 2014માં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના સહયોગથી આ સેવા શરૂ કરી હતી. 26 માર્ચ 2014ના રોજ ઈન્ડિયા ટુડેની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ”મુંબઈ પોલીસે એક એવી જાહેરાત કરી છે, જેનાથી મહિલાઓ ખુશ થઈ શકે છે. કેચ લાઇનની સાથે, “એકલી હોય ત્યારે સલામત રીતે મુસાફરી કરો”, તેઓએ શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓની સુરક્ષા માટે એક SMS અભિયાન શરૂ કર્યું, જેમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડે મુંબઈની સાથે ભાગીદારી કરી છે. જે મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ લે છે અને વિષમ સમયમાં મુસાફરી કરતી વખતે અસુરક્ષિત અનુભવે છે, તેઓ ટોલ ફ્રી નંબર 9969777888 પર તેમના સ્થાન, ગંતવ્ય અને વાહનના નોંધણી નંબર વિશે એક SMS મોકલીને પોલીસનો સંપર્ક કરી શકે છે. પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ)ને પણ આ ખાતરી કરવા માટે પણ કહેવામાં આવશે કે તમામ ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકો તેમના વાહનોના ડેશબોર્ડ પર ટોલ-ફ્રી નંબરો દર્શાવે.”

આ પછી અમને 2 માર્ચ 2017ના મિડ-ડેના એક સમાચાર મળ્યા, જેમાં આ સર્વિસ બંધ થવા વિશે કહેવામાં આવ્યું હતું. સમાચાર અનુસાર, ”એસ્તેર અનુહયાના કથિત બળાત્કાર અને હત્યા બાદ શરૂ કરવામાં આવેલી એક હેલ્પલાઈનને મુંબઈ પોલીસે બંધ કરી દીધી છે. હેલ્પલાઈન – 9969777888 – 2014માં મહિલા દિવસ પર શરૂ કરવામાં આવી હતી. હેલ્પલાઈનને SMS દ્વારા નંબર રજિસ્ટર કર્યા બાદ મોબાઈલ ફોનની ટ્રેક કરવાની સુવિધા આપવામાં આવી હતી. શરૂઆતથી જ આ નંબરને મહિલા યુઝર્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. નવ મહિનામાં મહિલાઓ પાસેથી માત્ર 1,266 SMS પ્રાપ્ત થયા હતા, જે ઘટીને 389 રહી ગયા. ત્યારે પોલીસે હેલ્પલાઇન બંધ કરી દીધી.”

અમને આ મામલે બેંગલુરુ પોલીસનું એક ટ્વીટ પણ મળ્યું, 2018માં પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં આ મેસેજને નકલી ગણાવવામાં આવ્યો હતો.

અમે આ મામલે મુંબઈના પત્રકાર વરુણ સિંહનો સંપર્ક કર્યો.  તેમણે જણાવ્યું કે, “આ એક મુંબઈ વિશિષ્ટ સેવા હતી, જે 2014માં શરૂ કરવામાં આવી હતી અને 2017માં બંધ કરવામાં આવી હતી.”

વિશાલ મુદ્ગલ નામના ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરી હતી. યુઝર દિલ્હીનો રહેવાસી છે. યુઝરના ફેસબુક પર લગભગ 13000 ફોલોઅર્સ છે.

निष्कर्ष: અમારી તપાસમાં આ મેસેજને લગતી બે બાબતો મળી આવી. પ્રથમ – આ સર્વિસ માત્ર મુંબઈ શહેર માટે હતી અને બીજી – માર્ચ 2014માં શરૂ થયેલી આ સર્વિસ માર્ચ 2017 માં બંધ કરી દેવામાં આવી હતી. વાયરલ મેસેજ સાચો નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ