Fact Check : LPGની કિંમતોને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ સમાચાર એડિટ કરીને બનાવાયા છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની તસવીર લાગેલ ન્યૂઝપેપરના એક કટિંગને શેર કરી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 25 માર્ચથી 1100 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 575 રૂપિયામાં મળશે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ ન્યૂઝપેપરના કટિંગને એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા LPG ગેસ સિલિન્ડરની કિંમત અડધી કરવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ચેતલાલ રવિદાસે 27 માર્ચ 2023ના રોજ વાયરલ સ્ક્રીનશોટને શેર કર્યો છે. ન્યૂઝપેપરની કટિંગ પર લખેલું છે, “બ્રેકિંગ ન્યૂઝ LPG ગેસ સિલિન્ડરને રાષ્ટ્રપતિની મળી મંજૂરી. હવે સિલિન્ડર 1100માં નહીં ₹575માં મળશે. ગેસ સિલિન્ડરોના ગ્રાહકો માટે સારા સમાચાર, 25 માર્ચથી નવો નિયમ લાગુ.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ નથી મળ્યા, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે.

પીટીઆઈની વેબસાઈટ પર 25 માર્ચ 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ મુજબ, સરકારે ઉજ્જવલા યોજનાને લઈને એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન હેઠળ હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાંધણ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળશે. સરકારે ઉજ્જવલા યોજનાના 9.6 કરોડ લાભાર્થીઓને એક નાણાકીય વર્ષ દરમિયાન 12 LPG સિલિન્ડર પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવાની મંજૂરી આપી છે.

અન્ય ન્યૂઝ વેબસાઇટોએ પણ આ રિર્પોટને પ્રકાશિત કર્યા છે.

ઈકોનોમિક ટાઈમ્સ હિન્દીની વેબસાઈટ પર 14 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ મુજબ, રાજસ્થાન સરકારે એ જાહેરાત કરી છે કે ગરીબી રેખા નીચે અને ઉજ્જવલા યોજનાઓના લાભાર્થીઓને 1 એપ્રિલથી LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.

અન્ય ન્યૂઝ વેબસાઇટોએ પણ આ રિર્પોટને પ્રકાશિત કર્યા છે.

વિશ્વાસ ન્યૂઝે ગેસ સિલિન્ડરની કિંમતો વિશે જાણવા માટે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટમાં શોધવાનું શરૂ કર્યું. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીમાં સબસિડી વગરના LPG ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. તો દેશના અન્ય રાજ્યોમાં પણ LPG સિલિન્ડરની કિંમત 1100થી વધુ જ છે.

બિઝનેસ ટુડે પર 25 માર્ચ 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ મુજબ, 1 માર્ચે ઘરેલુ ગેસના ભાવમાં વધારો થયા પછી દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા થઈ ગઈ હતી. હવે સબસિડી પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 14.2 કિલોના ગેસ સિલિન્ડર માટે 903 રૂપિયા ચૂકવવા પડશે.

અમારી અત્યાર સુધીની તપાસથી એ સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની કિંમત અડધી કરવામાં આવી નથી. જોકે, સરકાર તરફથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કેટલીક છૂટછાટ જરુર આપવામાં આવી છે. હવે વારો હતો, વાયરલ કટિંગની સત્યતા જાણવાનો. અમે વાયરલ ન્યૂઝપેપરના કટીંગને નજીકથી જોયું તો જાણવા મળ્યું કે તેમાં હેડિંગની નીચે લખ્યું હતું: ‘ઉછાળો: જુલાઈમાં 4,000 રૂપિયાથી ઓછા હતા ગુવારના ભાવ, હવે સરેરાશ ભાવ 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતાં વધુ.’ તેનો અર્થ સ્પષ્ટ હતો કે મૂળ સમાચાર ગુવારના ભાવ સાથે સંબંધિત હતા.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા આ સમાચાર વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ સમાચાર ભાસ્કરની વેબસાઈટ પર બે વર્ષ પહેલા પ્રકાશિત થયેલા મળ્યા. રિર્પોટ મુજબ, આ સમાચારને રાજસ્થાનના હનુમાનગઢથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. દૈનિક ભાસ્કરના ઈ-પેપરમાં અમને મૂળ સમાચાર 23 ઓગસ્ટ 2021ના રોજ પ્રકાશિત થયેલા મળ્યા. આ પછી તે સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે અસલી સમાચારને ટૂલ્સની મદદથી એડિટ કરી બદલવામાં આવ્યા છે.

વધુ માહિતી માટે અમે દિલ્હી સ્થિત એક ગેસ એજન્સીના મેનેજર પ્રમોદ કુમાર દીક્ષિત સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, “વાયરલ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની કોઈ છૂટ હાલમાં નથી આપવામાં આવી. જોકે, સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને થોડી છૂટછાટ આપી છે. પરંતુ આ યોજના બધા માટે લાગુ પડતી નથી. આજે પણ જે સબસિડી વગરના સિલિન્ડરો ગયા છે તેની કિંમત 1103 રૂપિયા હતી. અમારી પાસે સરકાર તરફથી આવો કોઈ પરિપત્ર આવ્યો હતો.”

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝર ચેતલાલ રવિદાસનું સોશિયલ સ્કેનીંગ કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું કે ફેસબુક યુઝરના લગભગ 343 ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે રાંધણ ગેસની કિંમત અડધી કરવાનો દાવો ખોટો છે અને આ દાવા સાથે વાયરલ થઈ રહેલી ન્યૂઝપેપરની કટિંગ પણ એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ