X
X

Fact Check : પ્રશાંત કિશોર ભાજપમાં નથી જોડાયા, ફેક લેટર થયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાંત કિશોર ભાજપમાં જોડાયા નથી. ભાજપના નેશનલ કોર્ડીનેટર અરુણ સિંહે વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા પુષ્ટિ કરી કે આ પત્ર ફેક છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ભારતીય જનતા પાર્ટી (BJP)ના નામે એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરને પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પત્રને સાચો માનીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાંત કિશોર ભાજપમાં જોડાયા નથી. ભાજપના નેશનલ કોર્ડીનેટર અરુણ સિંહે વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા પુષ્ટિ કરી કે આ પત્ર ફેક છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ઈન્સ્ટાગ્રામ યુઝર jharkhand.mukti.morcha.fan  (Archive link) એ 22 મે, 2024ના રોજ વાયરલ પત્ર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “PK તો ભાજપની ટીમમાંથી જ નીકળ્યા, એટલા માટે તો મોદીજીને જીતાવી રહ્યા હતા!!’  પોસ્ટમાં શેર કરાયેલા પત્રમાં લખ્યું છે કે “Organisational Appointment BJP National President Shri Jagat Prakash Nadda has appointed Shri Prashant Kishore, as the National Chief Spokesperson of BJP. This appointment comes into immediate effect.” 

તેનું ગુજરાતીમાં અનુવાદ થાય છે કે સંગઠનાત્મક નિમણૂક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ શ્રી પ્રશાંત કિશોરને ભાજપના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ પત્ર પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહના હસ્તાક્ષર છે.

તપાસ

વાયરલ લેટર વિશે સત્ય જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. પ્રશાંત કિશોરના બીજેપીમાં જોડાવાના સમાચાર અમને ક્યાંય મળ્યા નથી.

અમે ભાજપ અને પ્રશાંત કિશોરના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ ચેક કર્યા, પરંતુ પ્રશાંત કિશોર બીજેપીમાં જોડાયા તે અંગે અમને ક્યાંય પણ માહિતી મળી નથી.

વાયરલ પત્રમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરુણ સિંહની સહી હોવાથી અમે તેમનો સીધો સંપર્ક કર્યો. વિશ્વાસ ન્યૂઝ સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું કે, “વાઈરલ લેટર એડિટેડ છે, આ પોસ્ટ સંપૂર્ણપણે પાયાવિહોણી છે.”

અમે આ બાબતે પ્રશાંત કિશોર સાથે પણ વાત કરી તો તેમણે પણ આ પોસ્ટને ફેક ગણાવી.

પ્રશાંત કિશોરે જન સૂરાજનું એક ટ્વિટ પણ અમારી સાથે શેર કર્યું છે, જેમાં એક વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ છે, જેને જોઈને લાગે છે કે કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ પત્ર કોઈને મોકલ્યો છે. આ ટ્વિટમાં આ પત્રને નકલી ગણાવીને કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

(વિશ્વાસ ન્યૂઝ આ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ સાચો હોવાની પુષ્ટી નથી કરતું.)

21 મેના રોજ ન્યૂઝ ચેનલ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે ભાજપની જીતની ભવિષ્યવાણી કરી હતી.

તમને જણાવી દઈએ કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે 2014ની ચૂંટણી દરમિયાન ભાજપ સાથે કામ કર્યું હતું. આ સિવાય તેમણે કોંગ્રેસ, TMC, JDU, RJD સહિત અનેક રાજકીય પક્ષો માટે પણ સમય સમય પર કામ કર્યું છે.

અંતે અમે ખોટા દાવા સાથે પોસ્ટ શેર કરનાર યુઝરનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે jharkhand.mukti.morcha.fan યુઝરના માત્ર 100 ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાંત કિશોર ભાજપમાં જોડાયા નથી. ભાજપના નેશનલ કોર્ડીનેટર અરુણ સિંહે વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા પુષ્ટિ કરી કે આ પત્ર ફેક છે

  • Claim Review : પ્રશાંત કિશોરને BJPના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
  • Claimed By : jharkhand.mukti.morcha.fan
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later