Fact Check: વિરાટ કોહલી તેમની માતાની સાથે નહોતા ગયા બાગેશ્વર ધામ, ખોટો છે દાવો

Fact Check: વિરાટ કોહલી તેમની માતાની સાથે નહોતા ગયા બાગેશ્વર ધામ, ખોટો છે દાવો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): મધ્યપ્રદેશ સ્થિત બાગેશ્વર ધામ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ પ્રકારની પોસ્ટ વાયરલ થતી રહે છે. ક્યારેક પીએમ મોદી તો ક્યારેક અક્ષય કુમારના બાગેશ્વર ધામ જવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હવે એક વીડિયોને વાયરલ કરીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ક્રિકેટર વિરાટ કોહલી તેમની માતા સાથે બાગેશ્વર ધામ ગયા હતા. વિશ્વાસ ન્યૂઝે આ દાવાની હકીકત તપાસી. વાયરલ દાવો પાયાવિહોણો અને ખોટો સાબિત થયો.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘Come Sell’એ 4 માર્ચે 2:17 મિનિટના એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, “જ્યારે વિરાટ કોહલી અને તેમની માતા પહોંચ્યા બાગેશ્વર ધામ સરકારના દરબારમાં.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા તેના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી ગૂગલ લેન્સ ટૂલની મદદથી તેને સર્ચ કર્યા. અસલી વીડિયો બાગેશ્વર ધામ સરકારની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જોવા મળ્યો. તેને 10 ડિસેમ્બર 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક યુવકને તેનું નામ અને સરનામું પૂછી રહ્યા છે. યુવક કહે છે કે તેનું નામ સની છે અને તે દિલ્હીના પશ્ચિમ વિહારનો રહેવાસી છે.

આ જ વીડિયો બાગેશ્વર ધામ સરકારના પેજ પર પણ જોવા મળ્યો હતો. આને અહીં 10 ડિસેમ્બર 2022ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, ‘નેગેટિવ એનર્જીથી પરેશાન દિલ્હીથી આવેલા યુવકને મળ્યા આશીર્વાદ….’

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે બાગેશ્વરના સ્થાનિક પત્રકાર રિકી સિંહનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, વાયરલ પોસ્ટ ફેક છે. વિરાટ કોહલી ક્યારેય બાગેશ્વર ધામ આવ્યા નથી.

નઇ દુનિયાના છતરપુરના પ્રભારી અબ્બાસ અહેમદે પણ માહિતી આપતા કહ્યું હતું કે વિરાટ કોહલી કે તેમની માતા ક્યારેય બાગેશ્વર ધામમાં નથી આવ્યા. તેમ જ તેઓ ક્યારેય બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ મળ્યા નથી. વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર ‘Come Sell’ મધ્યપ્રદેશના ઈન્દોરનો રહેવાસી છે. તેના એકાઉન્ટને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ જાન્યુઆરી 2022 ના રોજ બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને વિરાટ કોહલી કે તેમની માતા સાથે કોઈ લેવાદેવા નથી. વીડિયોમાં દેખાતા યુવકનું નામ સની છે. વાયરલ દાવો ફેક સાબિત થયો.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ