Fact Check: કેન્દ્ર સરકારે નથી આપ્યો રાત્રે 11.30થી સવારે 6 વાગ્યા સુધી વોટ્સએપને બંધ રાખવાનો આદેશ, નકલી વીડિયો ક્લિપ થઈ રહી છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વોટ્સએપને લઈને એક વીડિયો ક્લિપ અમને અમારા ટિપલાઈન નંબર પર પ્રાપ્ત થઈ. વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દરરોજ રાત્રે 11.30થી સવારે 6 વાગ્યા સુધી વોટ્સએપ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ મેસેજને ફોરવર્ડ કરવાની અપીલ કરવામાં આવી છે. આવું ન કરવા પર 48 કલાકમાં એકાઉન્ટને ડિલેટ કરી દેવામાં આવશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ તેને ફરીથી એક્ટિવેટ કરાવવા માટે 499 રૂપિયા ચૂકવવા પડશે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો ક્લિપ ડોક્ટરેડ છે. કેન્દ્ર સરકાર અને વોટ્સએપ દ્વારા પણ આ મેસેજને ફેક ગણાવવામાં આવ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વિશ્વાસ ન્યૂઝના ટીપલાઈન નંબર +91 95992 99372 પરના અમારા યૂઝરે આ વીડિયો અમને ચેક કરવા માટે મોકલ્યો. આની સાથે લખ્યું છે, “વોટ્સએપ રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી બંધ રહેશે. આ મેસેજ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવ્યો છે. જો તમારે આ સમસ્યાથી બચવું છે તો તમારે આ મેસેજ તમારા બધા કન્ટેક્ટ લિસ્ટમાં મોકલવો પડશે. અમે જાણીએ છીએ કે ગત રાતથી વોટ્સએપ પર વીડિયો અને ફોટા ડાઉનલોડ થવાનું બંધ થઈ ગયું છે. પરંતુ વોટ્સએપ પર સતત તેના યુઝર્સની સંખ્યાઓ વધી રહી છે અને તેનો ઉપયોગ પણ ખૂબ વધુ થઈ રહ્યો છે જે દેશ માટે નુકસાનકારક છે. જો તમે આ મેસેજને તમારા બધા કોન્ટેક્ટને નહીં મોકલો તો તમારું વોટ્સએપ ઇનવેલિડ થઈ જશે અને 48 કલાકની અંદર તમારું વોટ્સએપ એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ જશે. આ મેસેજને ઈગ્નોર ન કરો અને જ્યારે તમારું વોટ્સએપ બંધ થઈ જશે ત્યારે તેને ફરીથી શરૂ કરવા માટે તમારે 499 રૂપિયાનો ચાર્જ દર મહિને ચૂકવવો પડશે અને તે તમારા ખાતામાંથી કાપવામાં આવશે. આ સમસ્યા ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે પરંતુ અત્યારે તમારે આ સમસ્યાથી બચવા માટે ઓછામાં ઓછા 50 લોકોને આ મેસેજ મોકલવો પડશે. જો આમાંથી દસ લોકો પણ રિસીવ કરે છે તો તમારો વોટ્સએપ લોગો છે તે વાદળી રંગનો થઈ જશે. તમારે તેને એક્ટિવ રાખવા માટે આઠ લોકોને મેસેજ મોકલવા પડશે. જો આમ નહીં કરો તો શનિવારથી તમારું વોટ્સએપ બંધ થઈ જશે.”

તપાસ

વાયરલ વીડિયોમાં ઈન્ડિયા ટીવીનો લોગો લાગેલો છે. આ જોઈને અમે કીવર્ડ્સથી તેના વિશે ગૂગલ પર સર્ચ કર્યું. 17 સપ્ટેમ્બર 2019ના રોજ ઈન્ડિયા ટીવી (આર્કાઇવ્ડ લિંક)ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ વીડિયો ક્લિપને ડોકટરેડ તરીકે વર્ણવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે ઇન્ડિયા ટીવીની ડોક્ટરેડ વીડિયો ક્લિપ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. આમાં વોટ્સએપ વિશે માહિતી આપવામાં આવી છે. ઈન્ડિયા ટીવીએ આમાં કહ્યું છે, “એડિટેડ વીડિયો દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠાણા પર ધ્યાન ન આપો.”

આ પછી અમે WhatsAppને લઈને આવા કોઈ સરકારી આદેશના વિશે ગૂગલ પર સર્ચ કર્યું. 6 જુલાઈ 2019ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસમાં સમાચાર પ્રકાશિત થયા છે, “WhatsAppના ઘણા યુઝર્સને ફેક મેસેજ મળી રહ્યા છે કે એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અથવા ભવિષ્યમાં એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તેમની પાસેથી ચાર્જ લેવામાં આવશે. આ મેસેજ ફેક છે. વોટ્સએપ પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો. એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વોટ્સએપ દરરોજ રાત્રે 11.30થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ સૂચના આપવામાં આવી છે. યુઝર્સ આવા મેસેજને ઈગ્નોર કરે.” મતલબ આ પ્રકારનો મેસેજ 2019માં પણ વાયરલ થઇ ચૂક્યો છે.

6 ઓક્ટોબર 2021ના રોજ PIB (આર્કાઇવ લિંક) દ્વારા ટ્વીટ કરીને આ દાવાને નકલી ગણાવવામાં આવ્યો છે. ટ્વિટ અનુસાર “કેન્દ્ર સરકારે આવો કોઈ આદેશ નથી આપ્યો.”

આ વિશે અમે WhatsAppના બ્લોગ પર પણ તપાસ કરી. આમાં એપના નવા ફીચર્સ વિશે સમયાંતરે અપડેટેડ માહિતી આપવામાં આવે છે. આમાં પણ અમને કોઈ એવી માહિતી નથી મળી, જે વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે.

તેની વધુ પુષ્ટિ માટે અમે WhatsAppના પ્રવક્તા સાથે વાત કરી. તેમનું કહેવું છે, ”આ મેસેજ ફેક છે. આ પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે.”

નિષ્કર્ષ: કેન્દ્ર સરકારે આવો કોઈ આદેશ નથી આપ્યો, જેના કારણે વોટ્સએપ દરરોજ 11.30થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ચેનલની ડોક્ટરેડ વીડિયો ક્લિપ વાયરલ કરીને ખોટો દાવો કરવામાં આવ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ