ફેક્ટ ચેક: પીએમ મોદીના એક દિવસના ભોજનના ખર્ચને લઈને ચોંકાવનારો દાવો, જાણો સચ્ચાઈ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદીના ભોજનના ખર્ચને લઈને વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ છે. પહેલા પણ આવી પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી.

નવી દિલ્હી: વડા પ્રધાન મોદીના ભોજનના ખર્ચને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, માહિતીના અધિકાર અનુસાર મળેલી માહિતી મુજબ પીએમ મોદીના એક દિવસના ભોજનનો ખર્ચ 41579 રૂપિયા છે. વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે આ વાયરલ પોસ્ટની કોઈ સત્યતા નથી. આવી પોસ્ટ પહેલા પણ ઘણીવાર વાયરલ થઈ ચૂકી છે. તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદી પોતાના ભોજનનો ખર્ચ જાતે ઉઠાવે છે. આ માહિતી આરટીઆઈ દ્વારા મળી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબૂક યૂઝર બ્રજેશ પાંડેએ 8 સપ્ટેમ્બરના રોજ એક પોસ્ટ કરી હતી. જેમાં દાવ કરવામાં આવ્યો હતો કે, આરટીઆઈમાં જાણવા મળ્યું કે પીએમ મોદીના એક દિવસના જમવાનો ખર્ચ 41,579 રૂપિયા છે.

ફેસબૂક પોસ્ટના કેન્ટેટને અહિયા જેમનું તેમ લખવામાઁ આવ્યું છે. આ પોસ્ટને અન્ય યૂઝર પણ સાચી માનીને વાયરલ કરી રહ્યા છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ પોસ્ટની તપાસ ગૂગલ પર ઓપન સર્ચથી કરી. સૌથી પહેલા વાયરલ પોસ્ટના આધારે કિ વર્ડ સર્ચ કરવામાં આવ્યા. અમને આવા કોઈ સમાચાર ન મળ્યા, જે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની પુષ્ટી કરતા હોય. જો આવા કોઈ સમાચચાર હોત તો સોશિયલ મીડિયા પર જરૂરથી વાયરલ થયા હોત. સર્ચ દરમિયાન અમને એવા ઘણા સમાચાર મળ્યા જેમાં જાણવા મળ્યું કે પીએમ મોદી પોતાના ભોજનનો ખર્ચ જાતે ઉઠાવે છે.

31 ઓગસ્ટ 2022ના રોજ નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, એક આરટીઆટીમાં પીએમ મોદીના ભોજન પર થતા ખર્ચ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં જણાવવામાં આવ્યું કે, પીએમ મોદી પોતાના જમવાનો ખર્ચ જાતે ઉઠાવે છે. તેમના ભોજન પર કોઈ સરકારી ખર્ચ નથી થતો.

દૈનિક જાગરણ પર પ્રકાશિત રિતેશ દ્વિવેદીના લેખમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદીના ભોજન પર સરકારી ખર્ચ થતો નથી. તેમનો ખર્ચ તે જાતે ઉઠાવે છે. આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી માહિતી પર પ્રધાનમંત્રી કાર્યાલયના કેન્દ્રીય લોક સૂચના અધિકારીએ આ જાણકારી આપી

સર્ચ દરમિયાન અમને દૈનિક જાગરણના ઈ પેપર પર મુરાદાબાદના એડિશનમાં 31 ઓગસ્ટના રોજ પીએમ મોદીના ભોજનને લઈને એક સમાચાર મળ્યા.

આ ઉપરાંત આજ તક પર પણ આ અંગે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે પીએમ મોદી જાતે ભોજનનો ખર્ચ ઉઠાવે છે.

વિશ્વાસ ન્યૂઝે વધુ તપાસ માટે દૈનિક જાગરણના પત્રકાર રિતેશ દ્વિવેદીનો સંપર્ક કર્યો. તેમણે અમારી સાથે આરટીઆઈમાં મળેલા જવાબને શેર કરતા કહ્યું કે, પીએમ મોદીના ભોજનને લઈને તેમણે જ એક અરજી કરી હતી. તેના જવાબમાં કહેવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી પોતાના ભોજનનો ખર્ચ જાતે ઉઠાવે છે.

તપાસના અંતમાં ફેક પોસ્ટ કરનારની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે, ફેસબૂક યૂઝર બ્રજેશ પાંડેને 196 લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદીના ભોજનના ખર્ચને લઈને વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ છે. પહેલા પણ આવી પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ