X
X

Fact Check : PM મોદીએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના લીધા હતા આશીર્વાદ, વાયરલ થઈ ફેક પોસ્ટ

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. અનંત અંબાણીના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોતિર્મઠ અને દ્વારકા પીઠ બંનેના શંકરાચાર્યોના આશીર્વાદ લીધા હતા. તેમણે પહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ લીધા હતા અને પછી દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ લીધા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પીએમ મોદીને પોતાના ગળામાંથી ઉતારીને પવિત્ર માળા પણ પહેરાવી હતી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.  આ શાહી લગ્નમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ, રાજનીતિ અને ઉદ્યોગજગત સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અંબાણીના લગ્નમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ લેતા જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના તો આશીર્વાદ લીધા, પરંતુ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ ન લીધા.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. અનંત અંબાણીના લગ્નમાં વડાપ્રધાન મોદીએ જ્યોતિર્મઠ અને દ્વારકા પીઠ બંનેના શંકરાચાર્યોના આશીર્વાદ લીધા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ સનાતન ધર્મએ 18 જુલાઈના રોજ વાયરલ પોસ્ટને શેર કરી, જેમાં પીએમ મોદીને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ લેતા જોઈ શકાય છે. પોસ્ટને શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું કે, “અંબાણીના પ્રસંગમાં આવેલા બે શંકાચાર્યમાંથી એક શંકરાચાર્યના મોદીજીએ ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. બીજા શંકરાચાર્ય કે જેઓ રામ મંદિર પર પ્રશ્નો ઉઠાવતા રહ્યા અને આમંત્રણનો અસ્વીકાર કરીને રામ મંદિરના ઉદ્ધાટનમાં પણ નહોતા ગયા. મોદીજીએ તેમની તરફ જોયું પણ નહીં. ઘોર અપમાન, જેવા સાથે તેવા…”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને સર્ચ કર્યું. અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પર સમાચાર મળ્યા કે PM મોદીએ અનંત અંબાણીના લગ્નમાં જ્યોતિર્મઠ અને દ્વારકા પીઠ બંનેના શંકરાચાર્યોના આશીર્વાદ લીધા.

ગૂગલ ઓપન સર્ચ દ્વારા સર્ચ કરવા પર અમને ‘બાલિયાન’ નામના એક્સ હેન્ડલ દ્વારા 13 જુલાઈના રોજ કરવામાં આવેલ ટ્વિટમાં મહાત્માઓના આશીર્વાદ લેતા પીએમ મોદીનો અલગ-અલગ એન્ગલથી લેવામાં આવેલો એક વીડિયો મળ્યો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના ગળામાંથી માળા કાઢીને પીએમ મોદીને પહેરાવી. આ પછી પીએમ મોદીએ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ લીધા, જેમણે તેમને કેસરી રંગનું અંગવસ્ત્ર અર્પણ કર્યું હતું.

અમને અનંત અંબાણીના લગ્નના બીજા પણ ઘણા વીડિયો મળ્યા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને પછી શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ લીધા.

વધુ પુષ્ટિ માટે વિશ્વાસ ન્યૂઝે વારાણસી ખાતેના શ્રી વિદ્યામઠના મીડિયા ઈન્ચાર્જ સંજય પાંડેનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, ”અંબાણી પરિવારના પ્રસંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને તેનો હેતુ શંકરાચાર્યની છબીને નુકસાન પહોંચાડવાનો છે.”

છેલ્લે અમે ખોટા દાવા સાથે પોસ્ટ શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે સનાતન ધર્મ પેજના 75 હજારથી વધુ ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. અનંત અંબાણીના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોતિર્મઠ અને દ્વારકા પીઠ બંનેના શંકરાચાર્યોના આશીર્વાદ લીધા હતા. તેમણે પહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ લીધા હતા અને પછી દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ લીધા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પીએમ મોદીને પોતાના ગળામાંથી ઉતારીને પવિત્ર માળા પણ પહેરાવી હતી.

  • Claim Review : પીએમ મોદીએ ન લીધા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ
  • Claimed By : ફેસબુક પેજ સનાતન ધર્મએ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later