X
X

Fact Check: PM મોદીએ નથી કરી બંધારણ બદલવાની વાત, ખોટો છે દાવો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદીની વાયરલ ક્લિપની સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. પીએમ મોદીએ સંવિધાનને બદલવાની કોઈ વાત કરી નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે જોડાયેલી એક વીડિયો ક્લિપ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓએ સંવિધાન બદલવાની વાત કરીને મનુસ્મૃતિવાળા સંવિધાનને લાવવાની વાત કહી છે. પોસ્ટને સાચી સમજીને તેને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ ખોટું સાબિત થયું. પીએમ મોદીએ તેમના ભાષણમાં ક્યાંય સંવિધાન (બંધારણ) બદલવાની કે મનુસ્મૃતિની વાત કરી નથી.

શું વાયરલ થઈ રહ્યું છે?

ફેસબુક યુઝર વિક્રમ યાદવે 13 એપ્રિલના રોજ પીએમ મોદીની એક વીડિયો ક્લિપને અપલોડ કરતા લખ્યું કે, “હું જૂના સંવિધાનને બદલીને મનુસ્મૃતિવાળું સંવિધાન બનાવીશ, જેને સ્વયં બાબા સાહેબ આંબેડકર પણ આવીને નાબૂદ કરી શકશે નહીં. નરેન્દ્ર મોદી આ શું કહેવા માંગે છે?”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. અસલી વીડિયો અમને નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર મળ્યો. 12 એપ્રિલના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં 19:25 મિનિટે વાયરલ ક્લિપના ભાગને જોઈ શકાય છે. જેમાં પીએમ મોદીને કોંગ્રેસ પર પ્રહાર કરતા સાંભળી શકાય છે.

સંવિધાન પર તેમને બોલતા સાંભળી શકાય છે કે જ્યાં સુધી સંવિધાનનો સવાલ છે. તમે સ્વીકારી લો. આ મોદીના શબ્દો છે. લખીને રાખો. બાબા સાહેબ પોતે આવી જાય તો પણ સંવિધાનને ખતમ કરી શકશે નહીં. આપણું સંવિધાન સરકાર માટે ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, બાઈબલ છે, કુરાન છે.

વિશ્વાસ ન્યૂઝે આખા વીડિયોને ધ્યાનથી સાંભળ્યો. આમાં ક્યાંય પીએમ મોદીએ સંવિધાનને બદલવાની વાત નથી કહી, જેવો વાયરલ ક્લિપની સાથે દાવો કરવામાં આવ્યો છે. પીએમ મોદી રાજસ્થાનના બાડમેરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

સર્ચ દરમિયાન ઘણા મીડિયા રિપોર્ટ્સમાં બાડમેર સાથે જોડાયેલા સમાચાર મળ્યા. અમર ઉજાલાએ તેમની વેબસાઈટ પર વિગતવાર આ રેલી સાથે જોડાયેલા સમાચારને પ્રકાશિત કર્યા છે. 12 એપ્રિલના રોજ પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ”રાજસ્થાનના બાડમેરમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સભાને સંબોધિત કરી. અહીં બીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બાડમેર-જેસલમેર બેઠક પરથી ભાજપના કૈલાશ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.”

અમર ઉજાલા વેબસાઇટ પર પ્રકાશિત સમાચારનો સ્ક્રીનશોટ

સમાચારમાં પીએમ મોદીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ”બાબા સાહેબ આંબેડકર પોતે આવી જાય તો પણ સંવિધાનને ખતમ નહીં કરી શકે. આ સંવિધાન અમારા માટે ગીતા, કુરાન, બાઈબલ બધું જ છે. આ ઈન્ડિયા એલાયન્સના લોકો કેટલા નફરતથી ભરેલા છે, તે તેમના મેનિફેસ્ટોમાં દેખાઈ આવે છે.” આ સમાચાર અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, જયપુરના વરિષ્ઠ સંવાદદાતા નરેન્દ્ર શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે,  વડાપ્રધાને બાડમેરની રેલીમાં સંવિધાન બદલવાને લઈને કોઈ નિવેદન આપ્યું ન હતું. વાયરલ પોસ્ટ ખોટી છે. 

તપાસના અંતે ફેસબુક યુઝર વિક્રમ યાદવની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું તે યુઝરને નવ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર પટનાનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદીની વાયરલ ક્લિપની સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. પીએમ મોદીએ સંવિધાનને બદલવાની કોઈ વાત કરી નથી.

  • Claim Review : પીએમ મોદીએ કહ્યું કે હું જૂના સંવિધાનને બદલીને મનુસ્મૃતિ પર આધારિત સંવિધાન બનાવીશ.
  • Claimed By : ફેસબુક યૂઝર- વિક્રમ યાદવ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later