ફેક્ટ ચેક: દિવાળીની ખરીદીને લઈને પીએમ મોદીના નામે ફેક પત્ર વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદીના નામ સાથે વાયરલ કરવામાં આવેલે પત્ર ફેક છે. વાયરલ પત્રનો ફોટો ખોટો છે અને તે 2016થી સોશિયલ મીડિયા પર વાયરલ છે. પીએમ મોદી દ્વારા આ રીતનો કોઈ પત્ર દેશવાસીઓ માટે જાહેર કરવામાં નથી આવ્યો.

ફેક્ટ ચેક: દિવાળીની ખરીદીને લઈને પીએમ મોદીના નામે ફેક પત્ર વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં પીએમ મોદીના નામે એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીએ એક પત્ર જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે, આ દિવાળીને માત્ર ભારતમાં જ બનેલી વસ્તુઓ ખરીદો.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ વાયરલ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ પત્રનો ફોટો ફેક છે અને તે વર્ષ 2016થી સોશયિલ મીડિયા પર વાયરલ છે. પીએમ મોદી દ્વારા આ રીતનો કોઈ પત્ર દેશવાસીઓ માટે જારી કરવામાં નથી આવ્યો.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યૂઝર Sarvottam Nayak એ આ તસવીર શેર કરતા લખ્યું, આપણા પ્રિય પ્રધાનમંત્રી તરફથી સંદેશ.

ફેસબુક પોસ્ટના કંન્ટેટને અહિંયા જેમનું તેમ લખવામાં આવ્યું છે. પોસ્ટને સાચી માનીને અન્ય લોકો પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્જનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ પોસ્ટની સચ્ચાઈ જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ સર્ચ કર્યા. આ દરમિયાન અમને આ દાવા સાથે સંબંધિત એક રિપોર્ટ બિઝનેસ સ્ટાન્ડર્ડની વેબસાઈટ પર 2016માં પ્રકાશિત મળી. રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ દિવાળી પર ફક્ત ભારતમાં બનેલી આઈટમનો ઉપયોગ કરવાનું નથી કહ્યું. વાયરસ પત્ર ફેક છે અને કમ્પ્યૂટરની મદદથી બનાવેલો છે.

ફાઈનેંશિયલ એક્સપ્રેસ સહિત બીજી ઘણી વેબસાઈટે આ સમાચારને પ્રકાશિત કર્યા છે.

તપાસને આગળ વધારતા અમે પીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલની તાપસ કરી. આ દરમિયાન અને આ દાવા સાથે સંબંધિત 31 ઓગસ્ટ 2016નું એક ટ્વીટ મળ્યું. આ ટ્વીટમાં એક ઝાંખી તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાયરલ પત્રને મળતી આવે છે. આ તસવીર શેર કરીને તેને ફેક બતાવવામાં આવી છે.

વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણના નેશનલ બ્યૂરો હેડ આશુતોષ ઝાનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું, વાયરલ દાવો ખોટો છે. પીએમ મોદી દ્વારા આવો કોઈ પણ જાહેર કરવામાં નથી આવ્યો.

ફેક પોસ્ટ શેર કરનાર યૂઝર Sarvottam Nayak ની પ્રોફાઈસ સ્કેનિંગ કરી તો અમને જાણવા મળ્યું કે તેના 668 ફ્રેન્ડ છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે યૂઝર મહારાષ્ટ્રનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદીના નામ સાથે વાયરલ કરવામાં આવેલે પત્ર ફેક છે. વાયરલ પત્રનો ફોટો ખોટો છે અને તે 2016થી સોશિયલ મીડિયા પર વાયરલ છે. પીએમ મોદી દ્વારા આ રીતનો કોઈ પત્ર દેશવાસીઓ માટે જાહેર કરવામાં નથી આવ્યો.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ