Fact Check: PM મોદી નથી ગયા બાગેશ્વર ધામ, ગુજરાતના જૂના વીડિયોને એડિટ કરીને કરાયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં PM મોદીની બાગેશ્વર ધામની મુલાકાતનો વાયરલ દાવો ખોટો નીકળ્યો. વાયરલ વીડિયો એડિટેડ છે. તેને એડિટિંગ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં પીએમ મોદી ગુજરાતના મોઢેશ્વરી માતાના મંદિરે પૂજા કરવા ગયા હતા. આ જ વીડિયોની ક્લિપને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

Fact Check: PM મોદી નથી ગયા બાગેશ્વર ધામ, ગુજરાતના જૂના વીડિયોને એડિટ કરીને કરાયો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)મધ્યપ્રદેશમાં આવેલા બાગેશ્વર ધામને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થતી રહે છે. ક્યારેક કોઈ એક્ટરની તો ક્યારેક કોઈ નેતાની મુલાકાતની ફેક તસવીરો અને વીડિયોના માધ્યમથી જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે એક પોસ્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાગેશ્વર ધામ પહોંચીને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ફેક છે. વાયરલ વીડિયો એડિટેડ છે. તેને એડિટિંગ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં પીએમ મોદી પૂજા-અર્ચના કરવા માટે ગુજરાતમાં માઢેશ્વરી માતાના મંદિરે ગયા હતા. આ વીડિયોની એક ક્લિપને એડિટ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘મોદી ગેમિંગ’એ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “બાગેશ્વર ધામ પહોંચ્યા પીએમ મોદી, મહારાજજી પણ થયા પ્રસન્ન”

પોસ્ટની આર્કાઇવ લિકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાનું સત્ય જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સથી  સર્ચ કરવાનું શરૂ કર્યું. અમે દાવા સાથે જોડાયેલા કોઈ વિશ્વસનીય ન્યૂઝ રિપોર્ટ મળ્યા નહીં.  

અમે પીએમ મોદી અને બાગેશ્વર ધામના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં શોધવાનું શરૂ કર્યું. અમને ત્યાં પણ દાવા સાથે સંબંધિત કોઈપણ પોસ્ટ ન મળી. 

તપાસને આગળ વધારતા અમે વીડિયોના ઘણા કીફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચની મદદથી સર્ચ કર્યા. અમને પીએમ મોદીના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર અસલી વીડિયો મળ્યો. આ વીડિયોને 9 ઓક્ટોબર 2022ના રોજ શેર કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી અનુસાર, PM મોદીનો આ વીડિયો ગુજરાતના મોઢેશ્વરી માતાના મંદિરનો છે. જ્યારે તેઓ પૂજા-અર્ચના કરવા માટે ત્યાં પહોંચ્યા હતા.

તપાસ દરમિયાન અમને પીએમ મોદીના ઓફિશિયલ એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ  પર આનાથી સંબંધિત ઘણી તસવીરો મળી. 9 ઓક્ટોબર, 2022ના રોજ તસવીરો શેર કરીને તેને મોઢોરા ખાતે આવેલા મોઢેશ્વરી માતાના મંદિરની જણાવવામાં આવી છે. 

અમે નઇદુનિયાના છતરપુરના બ્યુરો ચીફ ભરત શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “વાયરલ દાવો ખોટો છે. પીએમ મોદી હજુ સુધી બાગેશ્વર ધામ આવ્યા નથી.”

અગાઉ પણ આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. આ અહેવાલને અહીં વાંચી શકાય છે.

અંતે અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર્સ માત્ર બાગેશ્વર ધામ અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લગતી પોસ્ટ જ શેર કરે છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ