X
X

Fact Check: પટના સાહિબ ગુરુદ્વારામાં PM મોદીની લંગર સેવાની તસવીર ખોટા દાવા સાથે વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં લંગર સેવા કરી હતી. તેમણે પંગતમાં બેઠેલા લોકોને પ્રસાદ વહેંચ્યો હતો. આ તસવીરને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024માં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં તેઓ ગુરુદ્વારામાં લંગર સેવા કરતા જોવા મળે છે. કેટલાક યુઝર્સ તેને શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધતા દાવો કરી રહ્યા છે કે પીએમ મોદી ખાલી ડોલ લઈને પંગતમાં બેઠેલા લોકોની સેવા કરી રહ્યા છે. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર તખ્ત શ્રી પટના સાહિબ ગુરુદ્વારાની છે. પીએમ મોદીની આ મુલાકાતનો વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે તેમની ડોલ ખાલી નહોતી. તેમણે ત્યાં ત્યાં લંગર સેવા કરતા પંગતમાં બેઠેલા લોકોને ભોજન પીરસ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ દાવો ખોટો છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

એક્સ યુઝર ‘saliltripathi’એ 14 મેના રોજ તસવીરને શેર કરતા લખ્યું કે, “Pictures don’t lie. The bucket? Empty. The serving spoon? Empty. The plate? Empty. The recipients? Grateful. The server? Smug and self-assured. The public? Applauding. Who else? Where else?”

ફેસબુક યુઝર Kiran Patil એ પણ આ તસવીરને શેર કરીને આવો જ દાવો કર્યો.  

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે ગૂગલ લેન્સની મદદથી વાયરલ તસવીરને સર્ચ કરી. 13 મેના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર પ્રકાશિત ફોટો ગેલેરીમાં વાયરલ તસવીર જોઈ શકાય છે. આ મુજબ આ તસવીર પટના સાહિબ ગુરુદ્વારાની છે. પીએમ મોદીએ ગુરુદ્વારા પટના સાહિબની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે પ્રાર્થના કરી અને પંગતમાં બેઠેલા લોકોને ભોજન પીરસ્યું. પાઘડી પહેરીને પીએમ મોદીએ પોતે ગુરુદ્વારામાં ડોલથી લંગર પીરસ્યું હતું.

આ વીડિયો પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તેને 13 મેના રોજ યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. આમાં 5 મિનિટે વાયરલ તસવીરવાળી ફ્રેમને જોઈ શકાય છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી ડોલમાંથી પ્રસાદ કાઢીને પંગતમાં બેઠેલા લોકોને પીરસી રહ્યા છે.

આ મુલાકાતનો વીડિયો (આર્કાઇવ લિંક) ANIના એક્સ હેન્ડલ પર પણ જોઈ શકાય છે. આમાં પીએમ મોદીને પંગતમાં બેઠેલા લોકોને ભોજન પીરસતા જોઈ શકાય છે.

14 મેના રોજ દૈનિક જાગરણના પટના એડિશનમાં છપાયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે બિહારના તખ્ત શ્રી હરિ મંદિર પટના સાહિબના લંગર હોલમાં પીએમ મોદીએ દાળ અને ખીર બનાવવામાં મદદ કરી. આ પછી તેમણે ડોલથી લોકોને ખીર પીરસી.

આ વિશે વધુ જાણકારી માટે અમે પટના દૈનિક જાગરણના તંત્રી પ્રભારી અશ્વિની કુમાર સિંહનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો દાવો ખોટો છે. પીએમની ડોલ ખાલી નહોતી.

તસવીરને ખોટા દાવાની સાથે શેર કરનાર એક્સ યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. એક વિચારધારાથી પ્રભાવિત યુઝરના 1 લાખ 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. 

निष्कर्ष: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં લંગર સેવા કરી હતી. તેમણે પંગતમાં બેઠેલા લોકોને પ્રસાદ વહેંચ્યો હતો. આ તસવીરને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

  • Claim Review : પીએમ મોદી ખાલી ડોલ લઈને પંગતમાં બેઠેલા લોકોની સેવા કરી રહ્યા છે.
  • Claimed By : X User- saliltripathi
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later