Fact Check: ગુજરાતમાં કોંગ્રેસની સભાનો જૂનો વીડિયો એડિટ કરીને વાયરલ કરાયો

ગુજરાતના ગાંધીનગરમાં ઓક્ટોમ્બર 2017માં નવસર્જન જનસંદેશ મહાસંમેલન યોજાયું હતું. તે સભાની વીડિયો ક્લિપને પીએમ મોદીના સમર્થનમાં નારાના ઓડિયોને અલગથી ઉમેરીને વાયરલ કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024 પહેલા સોશિયલ મીડિયા પર કોંગ્રેસની રેલીનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જનતાને ‘મોદી-મોદી’ના નારા લગાવતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ગુજરાતના અહમદનગરમાં લોકોએ કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીના સમર્થનમાં નારા લગાવ્યા.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે. હકીકતમાં, લગભગ સાડા છ વર્ષ પહેલા કોંગ્રેસની ગુજરાતમાં રેલી યોજાઈ હતી, જેમાં લોકોએ રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. વીડિયોમાં પીએમ મોદીના સમર્થનના ઓડિયોને અલગથી ઉમેરવામાં આવ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘સુરેન્દ્ર પાલ સિંહ’ (આર્કાઇવ લિંક)એ 18 માર્ચે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, ”જાહેર સભામાં કોંગ્રેસનું આટલું અપમાન તમે લોકોએ આજ સુધી નહીં જોયું હોય… ગુજરાતના અહમદનગરમાં કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાનું જનતાને કહ્યું, તો જુઓ જનતાએ શું કહ્યું… જનતાના મોદી ઝિંદાબાદના નારા સાંભળીને પપ્પુ પણ પોતાનું માથું પકડી લીધું.”

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે વીડિયોની કીફ્રેમ્સ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. તેને લગતો વીડિયો અમને ગુજરાત કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર 24 ઓક્ટોબર 2017ના રોજ અપલોડ કરેલો મળ્યો. આ મુજબ આ ગાંધીનગરમાં આયોજિત નવસર્જન જનસંદેશ મહાસંમેલનનો વીડિયો છે. વીડિયો પર 23 ઓક્ટોબર 2017ની તારીખ આપવામાં આવી છે. વીડિયોમાં 33 મિનિટ પછી વાયરલ ક્લિપને જોઈ શકાય છે. એમાં અલ્પેશ ઠાકોરના કહેવા પર સભામાં હાજર લોકોએ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ-ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

તેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો ક્લિપ એડિટેડ છે. અસલી વીડિયોમાં રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લાગ્યા હતા. આ અંગે અમે ગુજરાતી દૈનિક જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરિયા સાથે સંપર્ક કરીને તેમને વાયરલ વીડિયો મોકલ્યો. તેમણે કહ્યું કે, આ વીડિયો લગભગ સાડા સાત વર્ષ જૂનો છે. ગાંધીનગરમાં નવસર્જન જનસંદેશ મહાસંમેલન યોજાયું હતું, તેના વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે.

એડિટેડ વીડિયોને શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. યુઝરના 608 ફ્રેન્ડ્સ છે. 

निष्कर्ष: ગુજરાતના ગાંધીનગરમાં ઓક્ટોમ્બર 2017માં નવસર્જન જનસંદેશ મહાસંમેલન યોજાયું હતું. તે સભાની વીડિયો ક્લિપને પીએમ મોદીના સમર્થનમાં નારાના ઓડિયોને અલગથી ઉમેરીને વાયરલ કરવામાં આવી રહી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ