Fact Check: પાકિસ્તાનના ટ્રાફિક જામની જૂની તસવીરને ઉત્તરાખંડની જણાવી કરાઈ વાયરલ

Fact Check: પાકિસ્તાનના ટ્રાફિક જામની જૂની તસવીરને ઉત્તરાખંડની જણાવી કરાઈ વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં વાહનોની લાંબી કતારોને જોઈ શકાય છે. ફોટોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રાફિક જામની આ તસવીર ઉત્તરાખંડની ચારધામ યાત્રાની છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક સાબિત થયો. વાસ્તવમાં, આ ફોટો પાકિસ્તાનનો છે, જેને હવે ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો જણાવીને ભ્રામક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર “Shishpal Singh Bablou Aswal”એ (આર્કાઇવ લિંક) 28 મે 2024ના રોજ તસવીરને શેર કરતા લખ્યું કે, ”ચારધામ યાત્રા, બાબા શ્રી કેદારનાથ ભગવાન બદ્રીનારાયણ બદ્રીનાથ જીના દર્શન કરવા માટે જતા યાત્રિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ત્યાંના ટ્રાફિકની સ્થિતિને જોઈને જાય, રસ્તાઓ પર પગ રાખવાની પણ જગ્યા નથી, તમે તમારા પર્સનલ વાહનને બદલે ટૂરિસ્ટ બસો દ્વારા મુસાફરી કરો, જેથી કરીને રસ્તાઓ પરની જામની સ્થિતિ દૂર થઈ શકે અને તમે ટ્રાફિકમાં ફસાયા વિના તમારી યાત્રા પૂર્ણ કરી શકો અને તમારા આ પગલાથી યાત્રા રૂટના વિસ્તારના લોકોને જે તકલીફ થઈ રહી છે તેમને અને તમને આવવા-જવામાં સુવિધા મળશે.”

તપાસ

વાયરલ તસવીરની તપાસ માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજનો ઉપયોગ કર્યો. અમને તસવીર સંબંધિત વીડિયો રિર્પોટ ARY Newsની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. 26 જુલાઈ 2021ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં તેને પાકિસ્તાનની કાઘાન ઘાટીમાં સર્જાયેલા ટ્રાફિક જામનો જણાવવામાં આવ્યો છે.

સર્ચ દરમિયાન અમને તસવીર સાથે સંબંધિત સમાચાર dailytimes.com.pkની વેબસાઈટ પર મળ્યા. 26 જુલાઈ 2021ના ​​રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ”ઈદ-ઉલ-અઝહા પર ખૈબર પખ્તુનખ્વાના માનસેરા જિલ્લાની કાઘાન ઘાટીમાં રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા અને લાખો વાહનોના કારણે રસ્તાઓ જામ થઈ ગયા.”

સર્ચ દરમિયાન, અમને Halaat Updates નામના ફેસબુક પેજ પર પણ આ વીડિયો એપલોડ થયેલો મળ્યો. 25 જુલાઈ 2021ના રોજ શેર કરવામાં આવેલા વીડિયોમાં તેને કાઘાન ઘાટીનો જણાવવામાં આવ્યો છે.

આ પહેલા પણ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે સમયે તેને હિમાચલની જણાવીને શેર કરવામાં આવી હતી. અમારા તે ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

અમે તસવીરને લઈને રૂદ્રપ્રયાગમાં દૈનિક જાગરણના રિપોર્ટર બ્રિજેશ ભટ્ટ સાથે સંપર્ક કર્યો. તેમનું કહેવું છે, “આ તસવીર અહીંની નથી.”

દૈનિક જાગરણ પર 31 મે, 2024ના રોજ પ્રકાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, “10 મે 2024ના રોજ ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. તેમજ બદ્રીનાથ ધામના કપાટ 12 મેના રોજ અને 25 મેના રોજ હેમકુંડ સાહિબના કપાટ પણ ખુલી ગયા. કપાટ  ખુલતાની સાથે જ ભક્તોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સમાચારમાં જણાવવામાં આવ્યું કે આ વર્ષે કેદારનાથમાં સૌથી વધુ 5.70 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.”

લાઈવ હિન્દુસ્તાનના 1 જૂન, 2024ના રોજ પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે કેદારનાથ ધામમાં યાત્રાળુઓની સંખ્યા પણ સતત વધી રહી છે. દરરોજ લગભગ 20 હજાર ભક્તો બાબા કેદારના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

અંતે અમે વાયરલ તસવીરને શેર કરનાર યુઝરના એકાઉન્ટનું સ્કેન કર્યું. જાણવા મળ્યું કે યુઝરને લગભગ 5 હજાર લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર હાજર માહિતી અનુસાર, યુઝર ઉત્તરાખંડનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તરાખંડની ચારધામ યાત્રાના નામે વાયરલ ટ્રાફિક જામની તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાસ્તવમાં આ તસવીર ત્રણ વર્ષ જૂની છે, જે સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવાની સાથે વાયરલ છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ