Fact Check : વારાણસીમાં ધર્માંતરણના વિવાદમાં નથી થઈ કોઈ હત્યા, વાયરલ પોસ્ટ બનાવટી અને ફેક છે

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દલિત હિન્દુ મહિલા દ્વારા 6 મુસ્લિમ યુવકોની હત્યા કરવામાં આવી હોવાનો વાયરલ દાવો બનાવટી છે. આ પ્રકારની કોઈ ઘટના વારાણસીમાં બની નથી. વારાણસી પોલીસે આ દાવાઓને નકારી કાઢ્યા છે. યુપી તકે પણ આ સમાચારને ફેક અને એડિટ ગણાવ્યા છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) : સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેપરનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક દલિત મહિલાએ દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનની ધમકીથી કંટાળીને 6 મુસ્લિમ યુવકોની હત્યા કરી નાખી. યુઝર્સ આ સમાચારને સાચા માનીને શેર કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવો સંપૂર્ણપણે બનાવટી અને ફેક છે. આ પ્રકારની કોઈ ઘટના વારાણસીમાં બની નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર અનામિકા સિંહે 18 જૂન, 2023ના રોજ વાયરલ તસવીરને શેર કરી કેપ્શનમાં લખ્યું છે, “દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનની ધમકી આપતા 6 મુસ્લિમ યુવકોના ગળા કાપી દલિત હિન્દુ યુવતી ફરાર; બાબતપુર સ્થિત કાલી મંદિરમાંથી 6 કપાયેલા માથા મળી આવ્યા, નારી શક્તિ, જય હિન્દુ રાષ્ટ્ર જય શ્રી રામ જય ભવાની.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે યુપી તકની વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શોધવાનું શરૂ કર્યું. અમને 19, જૂન 2023ના રોજ ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલી એક પોસ્ટ મળી. વાયરલ તસવીરને શેર કરીને આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “સોશિયલ મીડિયા પર યુપી તકના નામ (લોગો)ની સાથે ફેલાવવામાં આવી રહેલા આ કાલ્પનિક સમાચાર સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે. મહેરબાની કરીને આવા ભ્રામક સમાચાર પર ધ્યાન આપવું નહીં. વારાણસીના કમિશનરે પણ આ સમાચારને નકારી કાઢ્યા છે. પોલીસ આવી પોસ્ટ શેર કરનાર વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરશે”

ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવા પર અમને વારાણસીના પોલીસ કમિશનરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર દાવા સાથે જોડાયેલી એક પોસ્ટ મળી. 19 જૂન, 2023ના રોજ વાયરલ તસવીરને ટ્વીટ કરતાં તેઓએ લખ્યું છે, “મહત્વની સૂચના… ટ્વિટર હેન્ડલ્સ દ્વારા એક ફેક ન્યૂઝને પોસ્ટ કરી વાયરલ કરવામાં આવી રહી છે. જે સંપૂર્ણપણે અસત્ય અને ભ્રામક છે. વારાણસી કમિશનર આ ખોટા અને ભ્રામક સમાચારનું ખંડન કરે છે.”

વારાણસી ગોમતી ઝોનના DCPએ પણ ટ્વીટ કરીને આ દાવાને નકારી કાઢ્યો છે.

વધુ જાણકારી માટે અમે વારાણસી દૈનિક જાગરણના ક્રાઈમ રિપોર્ટર દિનેશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું, વાયરલ પોસ્ટને એડિટ કરી તૈયાર કરવામાં આવી છે. પોલીસે આનું ખંડન કર્યું છે. આ પ્રકારની કોઈ ઘટના અહીં બની નથી.

અંતે અમે પોસ્ટને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝરને 7 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર ડિસેમ્બર 2021થી ટ્વિટર પર એક્ટિવ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દલિત હિન્દુ મહિલા દ્વારા 6 મુસ્લિમ યુવકોની હત્યા કરવામાં આવી હોવાનો વાયરલ દાવો બનાવટી છે. આ પ્રકારની કોઈ ઘટના વારાણસીમાં બની નથી. વારાણસી પોલીસે આ દાવાઓને નકારી કાઢ્યા છે. યુપી તકે પણ આ સમાચારને ફેક અને એડિટ ગણાવ્યા છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ