X
X

Fact Check : સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને માર મારવાના નામે લખનઉનો વીડિયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. લખનઉના એક વીડિયોને કેટલાક લોકો સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના આરોપીઓને માર મારવાના નામે વાયરલ કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ આરોપીઓની ધરપકડ બાદ મારપીટના નામે એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આમાં ભીડને કેટલાક લોકોને માર મારતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા આ વીડિયોને વાયરલ કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજપૂતોએ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને માર માર્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઠાકુર વિનય સિંહે 9 ડિસેમ્બરે એક વીડિયોને પોસ્ટ કર્યો. તેના પર લખેલું છે કે રાજપૂતોએ કર્યો વાર. સુખદેવસિંહ ગોગામેડીના બંને હત્યારાઓની ધરપકડ.

વીડિયોને સમાન દાવાની સાથે અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમજ લખવામાં આવ્યું છે. તેનું આર્કાઈવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદવસિંહ ગોગામેડીની હત્યાના આરોપીઓને માર મારવાના નામે વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા ઈનવિડ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના દ્વારા વીડિયોની ઘણી ક્રિફેમ્સ કાઢી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કર્યું.

અસલી વીડિયો અમને ભારત સમાચાર ન્યૂઝ ચેનલના એક્સ હેન્ડલ પર મળ્યો. તેને 29 સપ્ટેમ્બર 2023ના રોજ પોસ્ટ કરતા લખવામાં આવ્યું હતું કે લખનઉ યુનિવર્સિટીમાં મારામારી, લખનઉ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી, પોલીસકર્મીઓ મુશ્કેલીથી યુવકને બચાવીને લઈ ગયા, ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓ ગાડીની સામે બેસી ગયા, ભૂતકાળમાં પણ વિવાદ થયો હતો.

સર્ચ કરવા પર વાયરલ વીડિયો Patrika.com પર પણ મળ્યો. 29 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે લખનઉ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસની સામે જ યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ પણ  યુનિવર્સિટી કેમ્પસમાં વિવાદ થયો હતો. પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી, આજે એ જ બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ ફરી સામસામે આવી ગયા હતા. 

આ સમાચારની અંદર અસલી વીડિયોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમાચાર અહીં વાંચો.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા લખનઉમાં યુનિવર્સિટીને કવર કરનાર દૈનિક જાગરણના સંવાદદાતા વિવેક રાય સાથે સંપર્ક કર્યો. તેઓએ માહિતી આપતા જણાવ્યું કે વાયરલ વીડિયો લખનઉ જ છે.

નોંધનીય છે કે, જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના હત્યા કેસમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 2 શૂટર સહિત તેમને ભગાડવામાં મદદ કરનાર અને અન્ય સુવિધાઓ પ્રદાન કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. સંબંધિત સમાચાર અહીં વાંચો.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. લખનઉના એક વીડિયોને કેટલાક લોકો સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના આરોપીઓને માર મારવાના નામે વાયરલ કરી રહ્યા છે.

  • Claim Review : રાજપૂતોએ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારોને માર્યો માર
  • Claimed By : ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ઠાકોર વિનય સિંહ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later