Fact Check: મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી કમલનાથે નથી આપ્યું રાજીનામું, ફેક પોસ્ટ વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કમલનાથના રાજીનામા અંગે વાયરલ થઈ રહેલો દાવો ખોટો છે. કમલનાથે રાજીનામું આપ્યું નથી. કોંગ્રેસે પણ વાયરલ દાવાને નકારી કાઢ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપની જીત અને કોંગ્રેસની હારથી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ કમલનાથે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. કમલનાથે રાજીનામું નથી આપ્યું. કોંગ્રેસે પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર અજીત સિંહે 7 ડિસેમ્બરના રોજ વાયરલ પોસ્ટને શેર કરીને લખ્યું છે, “કમલનાથજીએ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે જોડાયેલ ન્યૂઝ રિર્પોટ નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર મળ્યો. 7 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત રિર્પોટ મુજબ, કમલનાથે રાજીનામું આપ્યું નથી.

તપાસને આગળ વધારતા અમે કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટને ચેક કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત એક પોસ્ટ કમલનાથના મીડિયા સલાહકાર પીયૂષ બબેલેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર મળી. પીયૂય બબેલે 7 ડિસેમ્બર 2023ના રોજ પોસ્ટ કરીને લખ્યું છે કે, “પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલનાથના રાજીનામા અંગે ચાલી રહેલા સમાચાર પાયાવિહોણા છે.”

મધ્યપ્રદેશ કોંગ્રેસે પણ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટથી વાયરલ થયેલા દાવાનું ખંડન કર્યું છે. 7 ડિસેમ્બર 2023ના રોજ પોસ્ટ કરીને મધ્યપ્રદેશ કોંગ્રેસે લખ્યું છે કે, ”પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથજીના રાજીનામા અંગેના સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિ આ વાતનું ખંડન કરે છે.”

અંતે અમે વાયરલ પોસ્ટને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 6.6 હજાર લોકો ફોલો કરે છે. પ્રોફાઈલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, યુઝર ફેબ્રુઆરી 2012થી ફેસબુક પર એક્ટિવ છે.

વધુ માહિતી માટે અમે મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રવક્તા કે.કે મિશ્રા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આ દાવો ખોટો છે. અમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આનું ખંડન પણ કર્યું છે.”

અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. યુઝર ફેબ્રુઆરી 2012થી ફેસબુક પર એક્ટિવ છે. યુઝરે પ્રોફાઈલ પર પોતાને મધ્યપ્રદેશનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કમલનાથના રાજીનામા અંગે વાયરલ થઈ રહેલો દાવો ખોટો છે. કમલનાથે રાજીનામું આપ્યું નથી. કોંગ્રેસે પણ વાયરલ દાવાને નકારી કાઢ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ