Fact Check: સ્મશાનઘાટ પર લાગ્યું ન હતું PM મોદીનું હોર્ડિંગ, ફેક પોસ્ટ થઈ વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી વાયરલ પોસ્ટને વાયરલ કરવામાં આવી છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી તસવીરમાં કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારને બતાવવામાં આવ્યા છે. જ્યાં લોકોના મૃતદેહો સળગી રહ્યા છે, ત્યાં ભાજપનું એક કથિત હોર્ડિંગ બતાવવામાં આવ્યું છે. તેમાં પીએમ મોદીની તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે સબકા હોગા અંતિમ સંસ્કાર, ફીર એકબાર મોદી સરકાર. વાયરલ પોસ્ટમાં એક અન્ય વાંધાજનક તસવીરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસમાં તસવીર એડિટેડ હોવાનું સામે આવ્યું. ભોપાલની એક તસવીરની સાથે છેડછાડ કરીને વાયરલ પોસ્ટની તસવીરને તૈયાર કરવામાં આવી છે. તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. વાયરલ પોસ્ટમાં વપરાયેલી બીજી તસવીર પણ ખૂબ વાંધાજનક અને ફેક સાબિત થઈ.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ શિબુ આદિવાસીએ 19 ઓક્ટોબરે એક પોસ્ટ કરી છે. જેમાં એક સ્મશાનઘાટ પર મોટી સંખ્યામાં મૃતકોના અંતિમ સંસ્કાર થતા જોઈ શકાય છે. સાથે પીએમ મોદી અને ભાજપનું એક હોર્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ પોસ્ટને સમાન દાવાની સાથે શેર કરી છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે સૌથી પહેલા ગૂગલ લેન્સ ટૂલની મદદથી તેને શોધવાનું શરૂ કર્યું. અસલી તસવીર Bhaskar.com પર ત્રણ વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક સમાચારમાં મળી. તસવીરના કેપ્શનમાં તેને ભોપાલના ભદભદા વિશ્રામઘાટમાં થયેલા અંતિમ સંસ્કારની જણાવવામાં આવી છે.

તપાસને આગળ વધારતા વાયરલ તસવીર અને ઓરિજિનલ તસવીરનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભોપાલના ભદભદા વિશ્રામઘાટની તસવીરની સાથે છેડછાડા કરીને નકલી હોર્ડિંગને અલગથી ઉમેરવામાં આવ્યું છે.

તપાસને આગળ વધારતા પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી બીજી તસવીરની પણ તપાસ કરી. ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલથી સર્ચ કર્યા પછી અસલી તસવીર અમને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાના એક્સ હેન્ડલ પર મળી. 22 ઓગસ્ટ 2018ના રોજ પોસ્ટ કરવામાં આવેલી અસલી તસવીરની સાથે જણાવવામાં આવ્યું છે કે દેવેગૌડા YSV દત્તાની પત્ની નિર્મલાનાં નિધન પર શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા.

તપાસના આગલા તબક્કામાં અમે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે પણ તેને ફેક ગણાવતા કહ્યું કે ભાજપ અને વડાપ્રધાનની લોકપ્રિયતાથી ચિડાયેલા તત્વો જ આવી હરકતો કરી શકે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી વાયરલ પોસ્ટને વાયરલ કરવામાં આવી છે

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ