રેલવે સ્ટેશન પર આગ લાગવાનો વીડિયો પશ્ચિમ બંગાળના સંતોષપુર રેલવે સ્ટેશનનો છે. તેનો મીરા રોડ પર થયેલી હિંસા સાથે કોઈ સંબંધ નથી. તેને સાંપ્રદાયિક રંગ આપીને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મુંબઈના મીરા રોડ પર હિંસાને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા. આમાંથી એક વીડિયોમાં રેલવે સ્ટેશન પર લાગેલી આગને જોઈ શકાય છે. આ દરમિયાન કેટલાક લોકો રેલવે ટ્રેક પર કપડા ફેંકતા પણ જોવા મળી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે વાયરલ વીડિયો મીરા રોડ રેલવે સ્ટેશનનો છે, જ્યારે કેટલાક તેની પાછળ મુસ્લિમોનો હાથ જણાવી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગયા વર્ષે એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સંતોષપુર રેલવે સ્ટેશન પર આગ લાગી ગઈ હતી. તે ઘટનાના વીડિયોને ખોટા દાવાની સાથે મીરા રોડ પરની હિંસા સાથે જોડવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેએ પણ સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.
એક્સ યુઝર StrokeOGenius (આર્કાઇવ લિંક)એ 24 જાન્યુઆરીએ વીડિયો શેર કરીને તેને મીરા રોડ રેલવે સ્ટેશનનો જણાવ્યો છે.
ફેસબુક યુઝર Gyan Prakash (આર્કાઇવ લિંક)એ પણ આ વીડિયોને મીરા રોડ રેલવે સ્ટેશનનો હોવાનું જણાવીને મુસ્લિમો પર નિશાન સાધ્યું.
વાયરલ વીડિયોની તપાસ કરતા સૌથી પહેલા અમે આ વીડિયોને મીરા રોડનો જણાવનાર એક્સ યુઝર StrokeOGeniusની પોસ્ટને ધ્યાનથી જોઈ. વીડિયોની કોમેન્ટમાં પશ્ચિમ રેલવેએ પ્રતિક્રિયા આપતા આ દાવાને ખોટો ગણાવ્યો છે.
આ જ પોસ્ટના જવાબમાં GRP મુંબઈના એકાઉન્ટમાંથી પણ આ વીડિયોને મહારાષ્ટ્રની બહારનો જૂનો વીડિયો ગણાવવામાં આવ્યો છે.
આ પછી વાયરલ વીડિયોની કીફ્રેમ્સ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું. સર્ચમાં અમને Sangbad Pratidin યુટ્યૂબ ચેનલ પર 6 એપ્રિલ 2023ના રોજ અપલોડ થયેલો વીડિયો મળ્યો. તેના ડિસ્ક્રિપ્શનમાં તેને સંતોષપુર રેલવે સ્ટેશનનો જણાવવામાં આવ્યો છે.
કીવર્ડ્સથી સર્ચ કરવા પર દૈનિક જાગરણની વેબસાઇટ પર તેની સાથે સંબંધિત સમાચાર મળ્યા. તેને 7 એપ્રિલ 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં પીટીઆઈને ટાંકીને લખ્યું હતું કે સંતોષપુર રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં છે. ત્યાં પ્લેટફોર્મ પર આગ લાગવાથી નાની દુકાનો રાખ થઈ ગઈ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આ અંગે કોલકાતામાં દૈનિક જાગરણના પત્રકાર જેકે બાજપાઈનું કહેવું છે કે વાયરલ વીડિયો પશ્ચિમ બંગાળના સંતોષપુર રેલવે સ્ટેશનનો છે. ત્યાં ગયા વર્ષે આગ લાગી હતી.
26 જાન્યુઆરીએ નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં લખ્યું છે કે મુંબઈના મીરા રોડ પર 21 જાન્યુઆરીએ હિંસા થઈ હતી. આ પછી મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરી હતી.
વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર એક્સ યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. ડિસેમ્બર 2023થી યુઝર એક્સ પર સક્રિય છે.
निष्कर्ष: રેલવે સ્ટેશન પર આગ લાગવાનો વીડિયો પશ્ચિમ બંગાળના સંતોષપુર રેલવે સ્ટેશનનો છે. તેનો મીરા રોડ પર થયેલી હિંસા સાથે કોઈ સંબંધ નથી. તેને સાંપ્રદાયિક રંગ આપીને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923