X
X

Fact Check: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વિરાટ કોહલીના નામે વાયરલ નિવેદન ફેક

ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈને વિરાટ કોહલીના નામે વાયરલ કથિત નિવેદન ફેક છે. વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આ વખતે પાકિસ્તાન કરી રહ્યું છે. ભારતીય ટીમની પાકિસ્તાનમાં રમાનારી મેચોને લઈને હજુ સુધી BCCI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનું એક કથિત નિવેદન વાયરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા માંગે છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. ટીમ ઈન્ડિયાના પાકિસ્તાનમાં જઈને રમવા અંગે BCCIએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર Rayeen Tasleemએ 19 જુલાઈના રોજ વાયરલ પોસ્ટને શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “વિરાટ કોહલીએ કહ્યું અમે 2008 પછી ક્યારેય પાકિસ્તાન ક્રિકેટ રમવા માટે ગયા નથી, પરંતુ 2025ની ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે. અમે ઈચ્છીએ છીએ કે BCCI અમને ત્યાં જવા દે જેથી ત્યાં પણ અમે તિરંગો લહેરાવી શકી.”

પોસ્ટની ઉપર લખ્યું છે: વિરાટ કોહલીએ કહ્યું કે, હું 2008 પછી ક્યારેય પાકિસ્તાનમાં મેચ રમવા ગયો નથી પરંતુ 2025ની ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે, હું ઈચ્છું છું કે BCCI અમને પાકિસ્તાન જવા દે જેથી અમે ત્યાં પણ ધ્વજ લહેરાવી શકીએ!!

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમને વિરાટ કોહલીના કથિત નિવેદન સાથે જોડાયેલ કોઈપણ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ ન મળ્યો. જો વિરાટ કોહલીએ ચેમ્પિયન ટ્રોફીને લઈને આવું કોઈ નિવેદન આપ્યું હોત, તો તેના સાથે સંબંધિત રિપોર્ટ ચોક્કસ હોત.

તપાસને આગળ વધારતા અમે વિરાટ કોહલીના વેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ ચેક કર્યા. અમને વાયરલ દાવા સાથે જોડાયેલી કોઈ પોસ્ટ ન મળી.

વાયરલ પોસ્ટને અમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર સૈયદ હુસૈનની સાથે શેર કરી. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.

તપાસમાં આગળ અમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સર્ચ કર્યું. અમને ABP Liveની વેબસાઈટ પર 19 જુલાઈ 2024નો એક રિર્પોટ મળ્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની યજમાની છીનવાઈ શકે છે. દૈનિક ભાસ્કરમાં 18 જુલાઈના રોજ પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પાસેથી વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીની યજમાની છીનવાઈ શકે છે. સમાચારમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ચેમ્પિયન ટ્રોફી શ્રીલંકા અથવા દુબઈમાં યોજાઈ શકે છે.

અંતે અમે પોસ્ટને શેર કરનાર યુઝરની પ્રોફાઈલને સ્કેન કરી. જાણવા મળ્યું કે યુઝરને 5 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર મુંબઈનો રહેવાસી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વિરાટ કોહલીના નામે વાયરલ થઈ રહેલું કથિત નિવેદન ફેક છે. કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.

Claim Review: વિરાટ કોહલીએ કહ્યું છે કે તેઓ ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં રમવા માંગે છે.

Claimed By: ફેસબુક યુઝર  – Rayeen Tasleem

निष्कर्ष: ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈને વિરાટ કોહલીના નામે વાયરલ કથિત નિવેદન ફેક છે. વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.

  • Claim Review : વિરાટ કોહલીએ કહ્યું છે કે તેઓ ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં રમવા માંગે છે.
  • Claimed By : ફેસબુક યુઝર - Rayeen Tasleem
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later