રતન ટાટાએ ક્યારેય નથી કહ્યું કે તેઓ જેએનયૂના વિદ્યાર્થીઓને નોકરી નહીં આપે. સોશિયલ મીડિયા પર તેમના નામે ફેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ખુદ ટાટા ગ્રુપે આ પોસ્ટને ફેક ગણાવી છે.
નવી દિલ્હી: રતન ટાટાના નામે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં રતન ટાટાનો ફોટો લાગેલો છે અને લખવામાં આવ્યું છે કે, રતન ટાટાએ જેએનયૂના વિદ્યાર્થીઓને નોકરી ન આપવાની જાહેરાત કરી છે.
વિશ્વાસ ન્યૂઝે આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પોસ્ટ ફેક છે. રતન ટાટાએ જેએનયૂના વિદ્યાર્થીઓને નોકરી ન આપવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ટાટા ગ્રુપ પહેલા જ આ સમાચારને ફેક ગણાવી ચૂક્યું છે.
ફેસબુક યૂઝર Arjun Gurjar (આર્કાઈવ લિંક)એ 20 સપ્ટેમ્બરના રોજ આ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. તેમાં રતન ટાટાનો ફોટો લાગેલો છે અને લખ્યું છે,
રતન ટાટાએ કહ્યું કે તેમની કંપની # JNU #ના કોઈપણ વિદ્યાર્થીઓને નોકરી આપે, તેમણે કહ્યું કે, જે દેશના ન થયા તે કંપનીના શું થશે.
વાયરલ પોસ્ટની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડ વડે સર્ચ કર્યું. તેમાં જાણવા મળ્યું કે, આવો દાવો ફેબ્રુઆરી 2016માં પણ વાયરલ થયો હતો. ફેસબુક યૂઝર Pratik’s Blog પર તેને મળતા આવતા દાવાને જોઈ શકાય છે, જો 15 ફેબ્રુઆરી 2016ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
અમે ટ્વિટર પર તેને સર્ચ કર્યું. તેના વિશે 15 ફેબ્રુઆરી 2016ના રોજ ટાટા ગ્રુપના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, રતન ટાટાએ આવું કોઈ નિવેદન આપ્યું નથી
કીવર્ડ્સ દ્વારા સર્ચ કરવામાં આવતા અમને કેટલાક મીડિયા આઉટલેટ્સ પર પણ આવા સમાચારો મળ્યા. તે તમામ સમાચારોમાં જણાવવામાં આવ્યું છે કે, રતન ટાટાએ જેએનયૂ વિશે આવું કોઈ નિવેદન આપ્યું નથી. તે સમાચારોને નીચે વાંચી શકાય છે.
તેની વધુ માહિતી માટે અમે રતન ટાટાના પ્રવક્તા દેબાશીષ રે નો સંપર્ક કર્યો. તેમની સાથે અમે વાયરલ પોસ્ટ શેર કરી તેમણે કહ્યું આ ફેક છે.
રતન ટાટાને લઈને વાયરલ થયેલી પોસ્ટની તપાસ વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ કરી ચૂક્યું છે. સમગ્ર ફેક્ટ ચેક રિપોર્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો.
ફેક પોસ્ટને શેર કરનાર ફેસબૂક યૂઝર, અર્જુન ગુર્જરની પ્રોફાઈલને સ્કેન કરવામાં આવી. તેમણે પોતાની પ્રોફાઈલ લોક કરી રાખી છે.
निष्कर्ष: રતન ટાટાએ ક્યારેય નથી કહ્યું કે તેઓ જેએનયૂના વિદ્યાર્થીઓને નોકરી નહીં આપે. સોશિયલ મીડિયા પર તેમના નામે ફેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ખુદ ટાટા ગ્રુપે આ પોસ્ટને ફેક ગણાવી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923