X
X

Fact Check: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર નીતિન ગડકરીના નામે ફેક નિવેદન વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રામ મંદિરને લઈને વાયરલ દાવો ખોટો છે. નીતિન ગડકરીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. દુષ્પ્રચાર ફેલાવવાના હેતુથી ફેક નિવેદનને શેર કરવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. દેશની મોટી-મોટી હસ્તીઓને આ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન મોદીના પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાની વિરુદ્ધ નિવેદન આપ્યું છે. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો અને રાજકીય દુષ્પ્રચાર છે. નીતિન ગડકરીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી તેમના નામે આ ફેક નિવેદનને શેર કરવામાં આવી રહ્યું છે. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝરે 16 જાન્યુઆરી 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ”જે રેલમંત્રીને લીલી ઝંડી ન બતાવવા દે…હાઈવે મંત્રીને હાઈવેનું ઉદ્ઘાટન કરવા ન દે… જે શંકરાચાર્યોને શાસ્ત્રો સાથે સુસંગત કામ કરવા ન દે…તેમનું નામ આપો.”

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “જેમણે મને 5 વર્ષમાં એક પણ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા ન દીધું, રેલવે મંત્રીને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ન કરવા દીધી, શું તેઓ કોઈ મહંત કે શંકરાચાર્યને રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા દેશે?”

પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમે દાવા સાથે સંબંધિત કોઈ ન્યૂઝ રિપોર્ટ ન મળ્યા. સર્ચ દરમિયાન મળેલા રિપોર્ટમાં નીતિન ગડકરીએ રામ મંદિર અને પીએમ મોદીને લઈને સકારાત્મક વાતો કહી છે. અમને ક્યાંય એવો કોઈ રિપોર્ટ નથી મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હોય કે નીતિન ગડકરીએ પીએમ મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું છે.

તપાસને આગળ વધારતા, અમે નીતિન ગડકરીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને ત્યાં પણ દાવા સાથે સંબંધિત કોઈ પોસ્ટ ન મળી.

વધુ જાણકારી માટે અમે ભાજપના પ્રવક્તા વિજય સોનકર સાથે સંપર્ક કર્યો. તેમણે આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમથી વિરોધ પક્ષ ખુશ નથી. એટલા માટે તેઓ આવી ફેક પોસ્ટ ફેલાવી રહ્યા છે.

અમે ઈમેલ દ્વારા નીતિન ગડકરીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો છે. જવાબ આવશે ત્યારે રિપોર્ટને અપડેટ કરવામાં આવશે.

છેલ્લે અમે ખોટા દાવાની સાથે પોસ્ટ શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ શેર કરે છે. યુઝર મહારાષ્ટ્રનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રામ મંદિરને લઈને વાયરલ દાવો ખોટો છે. નીતિન ગડકરીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. દુષ્પ્રચાર ફેલાવવાના હેતુથી ફેક નિવેદનને શેર કરવામાં આવી રહ્યું છે.

  • Claim Review : નીતિન ગડકરીએ કહ્યું
  • Claimed By : મધુકાંત શુક્લા
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later