Fact Check : રાહુલ ગાંધીની વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે વાયરલ કરાઈ ફેક પોસ્ટ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કોંગ્રેસ સાંસદના નામે વાયરલ થયેલી પોસ્ટ ફેક સાબિત થઈ. તેમણે ક્યારેય આવું કોઈ નિવેદન આપ્યું નથી. ન્યૂઝ ચેનલના લોગોનો દુરુપયોગ કરીને વાયરલ પોસ્ટને બનાવવામાં આવી છે.

Fact Check : રાહુલ ગાંધીની વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે વાયરલ કરાઈ ફેક પોસ્ટ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક્સ પોસ્ટના નામે ફરી એકવાર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ વાયનાડથી નાગરિકતા બિલને લઈને એક પોસ્ટ કરી છે. આ પોસ્ટને સાચી માનીને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહી છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ ફેક સાબિત થઈ. અમારી તપાસમાં એ સાબિત થયું છે કે રાહુલ ગાંધીએ આવી કોઈ પોસ્ટ કરી નથી, જેવો વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ પહેલા પણ ઘણી વખત વાયરલ થઈ ચૂકી છે. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર વિશ્વજીત ઠાકુરે 18 જૂને એક ફેક એક્સ-પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ કર્યો. તેમાં દાવો કરવામાં આવ્યો કે રાહુલ ગાંધીએ વાયનાડથી આ ટ્વિટ કર્યું છે. જેમાં રાહુલ ગાંધીની તસવીર અને એબીપી ન્યૂઝના લોગાનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને ટાંકીને લખવામાં આવ્યું છે કે, ”રાહુલ ગાંધીનું ટ્વિટ, નાગરિકતા બિલ પાસ કરાવીને ભાજપ હિન્દુ રાષ્ટ્રના એજન્ડા પર ચાલી રહી છે. આપણા પૂર્વજોનો એજન્ડા હંમેશા ઇસ્લામિક દેશ પર રહ્યો છે. એટલા માટે અમે બે ઈસ્લામિક દેશો બનાવ્યા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ. હવે અમે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનતા જોઈ શકતા નથી.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે રાહુલ ગાંધીના નામે વાયરલ થયેલી પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. વાયરલ પોસ્ટના આધારે કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરવામાં આવ્યું. અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી, જે વાયરલ દાવાની સત્યતાની પુષ્ટિ કરતા હોય.

સર્ચ દરમિયાન અમને ફેસબુક પર જૂની ઘણી એવી પોસ્ટ મળી, જે વાયરલ પોસ્ટના કન્ટેન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટને ધ્યાનથી જોઈ. આમાં અમને હિન્દીની બેસિક ભૂલો દેખાઈ. તેમજ  વાયરલ પોસ્ટને એવી રીતે બનાવવામાં આવી કે દર્શકોને લાગે કે આ કોઈ ન્યૂઝ ચેનલની પ્લેટ છે. તેમાં રાહુલ ગાંધીની જે તસવીર લગાવવામાં આવી છે, તે ક્યાંકથી કટ પેસ્ટ કરવામાં આવી છે.

તપાસને આગળ વધારતા અમે વાયરલ પોસ્ટને રાહુલ ગાંધીના એક્સ હેન્ડલ પર સર્ચ કરી. ત્યાં પણ અમને આવી કોઈ પોસ્ટ મળી નથી. નાગરિકતા સંશોધનને લઈને રાહુલ ગાંધીએ 10 ડિસેમ્બર 2019ના રોજ એક પોસ્ટ કરી હતી. તેને નીચે જોઈ શકાય છે.

ગૂગલ સર્ચ દરમિયાન રાહુલ ગાંધી અને નાગરિકતા સંશોધન બિલને લઈને ઘણા સમાચાર મળ્યા. 10 ડિસેમ્બર 2019ના રોજ NDTVની વેબસાઇટ પર પ્રકાશિત સમાચારમાં રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે આ બિલ બંધારણ પર હુમલો છે. આ બિલને સમર્થન આપવું એ ભારતના પાયાને ખતમ કરવાનો પ્રયાસ હશે. નોંધનીય છે કે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી અત્યાચાર સહન કરીને ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. જો કે, સમાચારમાં વાયરલ દાવા જેવો કોઈ ઉલ્લેખ મળ્યો નથી.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ગિરીશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે કહ્યું કે વાયરલ પોસ્ટમાં કરાવામાં આવેલી વાત રાહુલ ગાંધીએ ક્યારેય કરી નથી. તેમજ તેમણે આવી કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી નથી. આઈટી સેલના લોકો જાણી જોઈને આવી ફેક પોસ્ટ્સ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે વાત કરવા માટે કોઈ મુદ્દો નથી.

તપાસના અંતે ખોટા દાવાવાળી પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર વિશ્વજીત ઠાકુર શ્રીગંગાનગરમાં રહે છે. આનાથી વધુ માહિતી આ એકાઉન્ટ વિશે મળી નથી.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કોંગ્રેસ સાંસદના નામે વાયરલ થયેલી પોસ્ટ ફેક સાબિત થઈ. તેમણે ક્યારેય આવું કોઈ નિવેદન આપ્યું નથી. ન્યૂઝ ચેનલના લોગોનો દુરુપયોગ કરીને વાયરલ પોસ્ટને બનાવવામાં આવી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ