Fact Check: રાજસ્થાનના CM અશોક ગેહલોતના વિમાન દુર્ઘટનાની અફવા વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું વિમાન દિલ્હી જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું. કરણપુરની ખીણમાં તેમનું વિમાન ટકરાઈ ગયું. આ દુર્ઘટનામાં તેમનું મોત થયું.

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. અશોક ગેહલોતના વિમાન દુર્ઘટનાવાળી પોસ્ટ અફવાહ છે. આમાં કોઈ સત્ય નથી. ગેહલોત સુરક્ષિત છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ઇન્સ્ટાગ્રામ યુઝર ‘હરિઓમ પોસવાલ’ (આર્કાઇવ લિંક)એ 19 માર્ચે એક પોસ્ટ શેર કરી હતી. આમાં વીડિયોની સાથે અશોક ગેહલોતનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. તેના પર લખેલું છે, Miss You રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, વિમાનમાં દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે દુર્ઘટનાનો શિકાર બન્યા, કરણપુરની ખીણ સાથે ટકરાયું વિમાન અશોક ગેહલોતનું મોત, પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દુર્ઘટનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડથી ગૂગલ પર આના વિશે સર્ચ કર્યું, પરંતુ અમને વિમાન દુર્ઘટના જેવા કોઈ સમાચાર નથી મળ્યા. જો આવી કોઈ ઘટના બની હોત તો મીડિયામાં હેડલાઈન્સ બની હોત.

અમે અશોક ગેહલોતનું ટ્વિટર હેન્ડલ પણ ચેક કર્યું. આના પર 11 એપ્રિલ, 2023ના રોજ તેમનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓને રાજસ્થાનના લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જોઈ શકાય છે.

આ પછી અમે વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢી તેને ગૂગલ રિવર્સ ઇમેજની મદદથી સર્ચ કર્યું. જાણવા મળ્યું કે આ વીડિયો નેપાળમાં જાન્યુઆરી 2023માં થયેલા વિમાન દુર્ઘટનાનો છે. ગાર્ડિયન ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર 15 જાન્યુઆરી 2023ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયો ન્યૂઝમાં વાયરલ વીડિયો ક્લિપ જોઈ શકાય છે. તેના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે નેપાળમાં થયેલી વિમાન દુર્ઘટનામાં લગભગ 68 લોકોના મોત થયા છે.

આ અંગે અમે દૈનિક જાગરણ રાજસ્થાનના બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા સાથે વાત કરી. તેઓનું કહેવું છે, “અશોક ગેહલોત કોઈ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા નથી. તેઓ કુશળ છે.”

ફેક પોસ્ટ શેર કરનાર ઇન્સ્ટાગ્રામ યુઝર ‘ હરિઓમ પોસવાલ’ની પ્રોફાઇલ અમે સ્કેન કરી. તે મુજબ તે સચિન પાયલટનો સમર્થક છે. તેના 1176 ફોલોઅર્સ છે.

નિષ્કર્ષઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમના પ્લેન દુર્ઘટનાની પોસ્ટ માત્ર અફવા છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ