Fact Check: 2024ની ચૂંટણીની સાથે જોડીને PM મોદીના નામે વાયરલ થઈ ફેક લિંક

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં PM મોદીના નામે રિચાર્જનો વાયરલ દાવો ફેક નિકળ્યો. PM મોદી તરફથી આવું કોઈ રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી. ક્લિકબેટ URL ખોટી માહિતીની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની લિંક્સ પર ક્લિક કરશો નહીં.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે. તેની સાથે જોડીને એક લિંકને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભારતીય યુઝરને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યુ છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નિકળ્યો. પીએમ મોદી તરફથી આવું કોઈ રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી. ક્લિકબેટ URL ખોટી જાણકારીની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આવી લિંક્સ પર ક્લિક કરશો નહીં.

શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર અંકિત રાજવંશીએ 16 જૂન 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી* દ્વારા તમામ ભારતીય યુઝર્સને ₹239નું 28 દિવસ માટેનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. જેથી 2024ની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો BJPને મત આપી શકે અને ફરીથી ભાજપની સરકાર બની શકે. મેં પણ આનાથી મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કર્યું છે, તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ મેળવી શકો છો.

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ
વાયરલ લિંકની સત્યતા જાણવા માટે અમે તેના પર ક્લિક કર્યું, પરંતુ અમે અમારા યુઝર્સને આ સલાહ આપીએ છીએ કે જો તમારા ફોન અથવા સિસ્ટમમાં કોઈ એન્ટીવાયરસ સોફ્ટવેર ન હોય, તો કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો. લિંક પર ક્લિક કર્યા પછી અમે short url નામની એક વેબસાઇટ પર પહોંચી ગયા. જાણકારી મુજબ, વેબસાઇટ લાંબી URLને ટૂંકી કરે છે.

કીવર્ડ્સની મદદથી સર્ચ કરવા પર અમને દાવા સાથે સંબંધિત આવા કોઈપણ સમાચાર કોઈપણ ભરોસાપાત્ર મીડિયા વેબસાઇટ પર નથી મળ્યા.

વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું, આ એક ક્લિકબેટ લિંક છે. આ પ્રકારની લિંક્સનો ઉપયોગ ટ્રાફિક અને વ્યૂ લાવવા માટે કરવામાં આવે છે. આ લિંક્સ પર ક્લિક કરતા જ તમે કોઈ બીજી વેબસાઇટ પર પહોંચી જશો, જેથી તે વેબસાઇટ પર વ્યૂ આવી શકે. ઘણી વખત આ પ્રકારની લિંક્સનો ઉપયોગ સિસ્ટમમાં મૈલવેયર નાખવા માટે કરવામાં આવે છે. મૈલવેયર દ્વારા સિસ્ટમનો કંટ્રોલ હાસિલ કરીને સરળતાથી ફ્રોડ કરી શકાય છે.

આ પહેલીવાર નથી, જ્યારે સોશિયલ મીડિયા પર ફ્રી રિચાર્જને લઈને પોસ્ટ વાયરલ થઈ છે. પહેલા પણ આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે. વિશ્વાસ ન્યૂઝે દર વખતે આવા દાવાઓની તપાસ કરી સત્ય સામે રાખ્યું છે. આ દાવાને તમે અહીં વાંચી શકો છો.

અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 843 ફ્રેન્ડ્સ અને 1,264 ફોલોઅર્સ છે. પ્રોફાઇલ પર હાજર માહિતી અનુસાર, યુઝર બિહારનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં PM મોદીના નામે રિચાર્જનો વાયરલ દાવો ફેક નિકળ્યો. PM મોદી તરફથી આવું કોઈ રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી. ક્લિકબેટ URL ખોટી માહિતીની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની લિંક્સ પર ક્લિક કરશો નહીં.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ