X
X

Fact Check: બિહારમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ નથી કરાઈ રદ, વાયરલ દાવો ભ્રામક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે બિહાર સરકારે સ્કૂલોની રજાઓ રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે સ્કૂલોની રજાઓ 23થી ઘટાડીને 11 કરી દીધી છે. 22થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12મી નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારમાં રાજ્ય સરકારે સ્કૂલોની રજાઓમાં મોટો ફેરફાર કરીને દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓને રદ કરી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. રાજ્ય સરકારે સ્કૂલોની રજાઓને રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે સ્કૂલોની રજાઓને 23થી ઘટાડીને 11 કરી દીધી છે. 22થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12મી નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘રોશન કુમાર’એ 31 ઓગસ્ટ 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરીને લખ્યું છે કે, “બિહાર સરકાર દ્વારા “દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા”ની રજાઓ રદ કરવામાં આવી છે…કોને ખુશ કરી રહ્યા છે નિતિશ કુમાર?”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સબંધિત એક રિપોર્ટ આજતકની વેબસાઇટ પર 30 ઓગસ્ટ 2023ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર, “બિહારમાં આ વર્ષના બાકીના દિવસ માટે સ્કૂલોની રજાઓને 23થી ઘટાડીને 11 કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્કૂલોમાં દિવાળીથી લઈને છઠ પૂજા સુધી એટલે કે 13 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી રજાઓ હતી. નવા આદેશ મુજબ હવે 9 દિવસની રજા ઘટાડીને 4 દિવસ કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં હવે દિવાળીની રજા 12 નવેમ્બરે હશે, 15 નવેમ્બરે ચિત્રગુપ્ત પૂજાની રજા હશે, છઠ પૂજાની રજા 19 અને 20 નવેમ્બરે હશે. આ રીતે દુર્ગા પૂજા નિમિત્તે સ્કૂલોમાં 6 દિવસની રજા રાખવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં રવિવાર ઉમેરીને 3 દિવસની રજા કરવામાં આવી છે.”

નવભારત ટાઈમ્સે પણ આ રિપોર્ટને પ્રકાશિત કર્યો હતો.

તપાસ દરમિયાન અમને બિહાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર ANIના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર થયો મળ્યો. ANIએ 30 ઓગસ્ટ, 2023ના રોજ સકુર્લરની તસવીરને ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “બિહાર શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સરકારી શાળાઓમાં તહેવારોની રજાઓના દિવસો 23થી ઘટાડીને 11 કરી દીધા છે.” નવા પરિપત્ર મુજબ 22થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12મી નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે.

દૈનિક જાગરણની વેબસાઇટ પર 1 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ “સ્કૂલોમાં રજાઓ રદ કરવાથી નારાજ બિહાર રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગોપ જૂથના જિલ્લા એકમ દ્વારા શુક્રવારે બ્લોક રિસોર્સ સેન્ટર યુનિટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બિહાર રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગોપ જૂથના જિલ્લા પ્રમુખ ધર્મ ચંદન રજક અને સચિવ અનિલ કુમાર સિંહે સંયુક્ત રીતે જણાવ્યું કે બિહાર સરકારના નિર્દેશો પર બિહારમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોની રજાઓ રદ કરવાને કારણે શિક્ષકોમાં ભારે નારાજગી છે.”

વધુ જાણકારી માટે અમે દૈનિક જાગરણ, પટના યુનિટના એડિટોરિયલ ઈન્ચાર્જ અશ્વિની કુમાર સિંહનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “વાયરલ દાવો ખોટો છે. દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરવામાં આવી નથી. તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપને લઈને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને આ મુદ્દાને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.”

અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝરના લગભગ 9 હજાર ફોલોઅર્સ છે. પ્રોફાઇલ પર હાજર માહિતી અનુસાર, યુઝર બિહારનો રહેવાસી છે. યુઝર નવેમ્બર 2016થી ફેસબુક પર છે.

  • Claim Review : બિહારમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરવામાં આવી છે.
  • Claimed By : ફેસબુક યુઝર - રોશન કુમાર
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later