X
X

Fact Check: વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનું નથી થયું નિધન, ખોટો છે વાયરલ દાવો

  • By: Umam Noor
  • Published: Aug 10, 2023 at 04:21 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર રવિવાર રાતથી વૃંદાવનના પ્રેમાનંદ મહારાજના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. યુઝર તેમની તસવીરને શેર કરીને દાવો કરી રહ્યા છે કે પ્રેમાનંદ મહારાજનું નિધન થઈ ગયું છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો દાવો ખોટો છે. પ્રેમાનંદ મહારાજનું નિધન થયું નથી, આ માત્ર અફવા છે. તેમના આશ્રમે પણ આ ફેક ન્યૂઝનું ખંડન કર્યું છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું છે કે,”દુઃખદ સમાચાર, આજે પૂજ્ય ગુરુદેવ શ્રી પરમાનંદજી મહારાજનું નિધન થયું છે. પ્રભુ તેમની આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા અમે સૌથી પહેલા ન્યૂઝ સર્ચ કર્યા. સર્ચમાં અમને જાગરણની વેબસાઇટ પર આજે સવારે 10 વાગ્યાના સમાચાર મળ્યા. સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ, “વૃંદાવનવાસી સંત પ્રેમાનંદ મહારાજ દેવલોક પામ્યાની અફવા રવિવારે મોડી રાતથી ઈન્ટરનેટ મીડિયા પર ફરતી થઈ હતી. જ્યારે તેમના અનુયાયીઓને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ મોટી સંખ્યામાં તેમના આશ્રમની બહાર એકઠા થઈ ગયા હતા. જ્યારે આશ્રમના મેનેજમેન્ટે પ્રેમાનંદ મહારાજ એકદમ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી ત્યારે અનુયાયીઓએ રાહતનો શ્વાસ લીધો.”

ફેસબુક પેજ “શ્રદ્ધેય શ્રી પ્રેમાનંદ જી મહારાજ” પર આપવામાં આવેલી માહિતી અનુસાર, “આ ફેક ન્યૂઝ ‘રામાયણ’ નામના એક ગ્રુપે ફેલાવ્યા હતા.”

DNAની વેબસાઈટ પર 24 જુલાઈએ આપવામાં આવેલા સમાચારમાં પણ એવું કહેવામાં આવ્યું કે પ્રેમાનંદજી મહારાજના નિધનના સમાચાર ફેક છે. જોકે, પ્રેમાનંદજીની બંને કિડની ખરાબ છે. આ કારણે તેમની તબિયત બગડતી રહે છે. પ્રેમાનંદ મહારાજજી પણ સત્સંગમાં પોતાના ભક્તોને આ માહિતી આપતા રહે છે.

વિશ્વાસ ન્યૂઝે પુષ્ટિ માટે દૈનિક જાગરણના મથુરાના બ્યુરો રિપોર્ટર વિનીત મિશ્રા સાથે સંપર્ક કર્યો અને તેમણે પણ પુષ્ટિ કરી કે આ સમાચાર ફેક છે, પ્રેમાનંદ મહારાજ બિલકુલ ઠીક છે.

ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 3.8 હજાર લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પ્રેમાનંદ મહારાજના નિધનના સમાચાર ફેક નીકળ્યા, આ માત્ર એક અફવા છે. તેમના આશ્રમે પણ આ ફેક ન્યૂઝનું ખંડન કર્યું છે.

  • Claim Review : આજે પૂજ્ય ગુરુદેવ શ્રી પરમાનંદજી મહારાજ દેવલોક પામ્યા
  • Claimed By : FB User: Tinku Rajput
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later