X
X

Fact Check: CIDમાં દયાની ભૂમિકા ભજવનાર અભિનેતાના નિધનની પોસ્ટ અફવા

  • By: Umam Noor
  • Published: May 2, 2023 at 11:10 AM
  • Updated: Jul 7, 2023 at 06:16 PM

નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): CIDમાં દયાનું પાત્ર ભજવતા અભિનેતા દયાનંદ શેટ્ટી સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ કેટલીક તસવીરોના એક કોલાજને શેર કરીને દાવો કરી રહ્યા છે કે દયાનંદ શેટ્ટીનું અવસાન થયું છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું વાયરલ દાવો ખોટો છે. દયાનંદ શેટ્ટી એકદમ સ્વસ્થ છે. વાયરલ થઈ રહેલી કેટલીક તસવીરો CIDના એપિસોડની છે અને એક તસવીર તે સમયની છે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ થઈ થઈ રહેલી પોસ્ટને શેર કરતા લખ્યું છે કે, “CIDમાં દયાનું પાત્ર ભજવનાર દયાનંદ શેટ્ટીનું થયું નિધન, CIDના કલાકારો પર તૂટી પડ્યો દુઃખનો પહાડ.”

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

અમે અમારી તપાસ શરૂ કર્યા બાદ અમે સૌથી પહેલા ન્યૂઝ સર્ચ કર્યા અને દયાનંદ શેટ્ટીના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો. સર્ચમાં અમને એવા કોઈ સમાચાર નથી મળ્યા, જે વાયરલ કરવામાં આવેલા દાવાની પુષ્ટિ કરે છે.

વાયરલ કોલાજમાં કેટલીક તસવીરો જોઈ શકાય છે, પ્રથમ તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે સીઆઈડીના એપિસોડની છે. તો બીજી તસવીરને અમે ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી અને ટેલી ચક્કર નામની વેબસાઇટ પર ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત થયેલા આર્ટિકલમાં આ તસવીર મળી. જોકે, અહીંની તસવીરમાં માળા નથી એટલે કે માળાને એડિટ કરીને વાયરલ ફોટામાં ઉમેરવામાં આવી છે.

ત્રીજી તસવીર અમને ડિસેમ્બર 2022ના એક ન્યૂઝ વેબસાઇટ પર અપલોડ થયેલા સમાચારમાં મળી, જેમાં આપેલી માહિતી અનુસાર, તે હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયાની તસવીર છે.

કોલાજની સાથે સાથે શેર કરવામાં આવેલી રહેલી ચોથી તસવીર અમને એક ન્યૂઝ પોર્ટલ પર જુલાઈ 2015ના રોજ અપલોડ થયેલી મળી. અહીં આ તસવીરની સાથે સોની ટીવીનો લોગો જોવા મળી રહ્યો છે, એટલે કે આ તસવીર પણ સીઆઈડીના એપિસોડની છે.

વાયરલ પોસ્ટ વિશે વાત કરતા અમને મુંબઈના વરિષ્ઠ મનોરંજન પત્રકાર (Entertainment journalist) પરાગ છાપેકરે જણાવ્યું કે, દયાનંદ શેટ્ટી એકદમ સ્વસ્થ છે, આ સમાચાર માત્ર અફવા છે.

ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનીંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 5.2 હજાર લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દયાનંદ શેટ્ટીના નિધન સાથે સંબંધિત પોસ્ટ ફેક છે, તેઓ એકદમ સ્વસ્થ છે. વાયરલ થઈ રહેલી કેટલીક તસવીરો CIDના એપિસોડની છે અને એક તસવીર તે સમયની છે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

  • Claim Review : સીઆઈડીમાં દયાની ભૂમિકા ભજવનાર શ્રી દયાનંદ શેટ્ટીનું અવસાન થયું
  • Claimed By : Pawan Singh Bisen
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later