Fact Check: કેન્દ્ર સરકાર નથી ચલાવી રહી ‘એક પરિવાર એક નોકરી’ યોજના, વાયરલ દાવો ભ્રામક

કેન્દ્ર સરકારે ‘એક પરિવાર એક નોકરી’ યોજના ચલાવી નથી. સિક્કિમમાં રાજ્ય સરકાર દ્વારા તેને ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ દાવો ભ્રામક છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે સરકાર ‘એક પરિવાર એક નોકરી’ યોજના ચલાવી રહી છે, જેના હેઠળ પરીક્ષા વિના સીધી ભરતી થશે. આમાં કાયમી નિમણૂક થશે અને વય મર્યાદા 18થી 55 વર્ષ સુધી છે. વીડિયોમાં નોકરી માટે ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવી રહી છે. વીડિયોમાં પીએમ મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એવું પણ લખ્યું છે કે દેશના લોકો તેને ભરી શકે છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. સિક્કિમ સરકારે આવી યોજના ચલાવી હતી. સોશિયલ મીડિયા પર ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

Instagram યુઝર govt_job_vacancy1 (આર્કાઇવ લિંક)એ 6 માર્ચે વીડિયો પોસ્ટ કર્યો. એમાં જણાવવામાં આવ્યું છે કે ‘એક પરિવાર એક નોકરી’ યોજના હેઠળ સમગ્ર દેશમાં મહિલાઓ અને પુરુષોને નોકરીઓ આપવામાં આવી રહી છે. જેમાં પગાર 35 હજાર રુપિયા દર્શાવવામાં આવ્યો છે. એમાં નિયમ જણાવવામાં આવ્યા છે કે પરિવારમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ. ભરતી પરીક્ષા વિના અને ઈન્ટરવ્યુ દ્વારા થશે. આ માટે અશિક્ષિત, ધોરણ 8 અને 10 પાસ લોકોને ક્રમશઃ 28000, 32000 અને 36000 રૂપિયા પગાર મળશે. આ માટે ઉમેદવારે ફોર્મ ભરવાનું રહેશે. વીડિયોના અંતે એક વેબસાઇટની લિંક આપવામાં આવી છે, જેના પર ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે.

કેટલાક અન્ય ફેસબુક યુઝર્સે પણ આ વીડિયોને શેર કર્યો છે.

તપાસ

સરકારી યોજનાના નામે વાયરલ મેસેજની તપાસ માટે અમે કીવર્ડ્સથી આ વિશે ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ આવો કોઈ મીડિયા રિપોર્ટ ન મળ્યો. આ કારણે વાયરલ પોસ્ટ અમને શંકાસ્પદ લાગી.

સર્ચ કરતા અમને PIB દ્વારા કરવામાં આવેલી પોસ્ટ (આર્કાઇવ લિંક) મળી. 6 માર્ચ 2020ના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ‘એક પરિવાર એક નોકરી’ યોજના ચલાવી રહી નથી. આ અંતર્ગત પરિવારના એક સભ્યને નોકરી આપવાનો દાવો ખોટો છે.

8 ડિસેમ્બર 2022ના રોજ પણ PIB (આર્કાઇવ લિંક) એ એક્સ પર પોસ્ટ કરીને આવી પોસ્ટને ખોટી ગણાવી છે.

આ પછી અમે પોસ્ટમાં જણાવેલી વેબસાઈટને સ્કેન કરી તો તેમાં ભરતીના ફોર્મ ભરવાની રીત જણાવવામાં આવી છે. તેમાં નીચે લખેલું છે કે આ યોજના સિક્કિમ સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી. તેને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી નથી.

નોર્થ ઈસ્ટ નાઉની વેબસાઈટ પર 6 જૂન, 2022ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, સિક્કિમ હાઈકોર્ટે રાજ્ય સરકારની ‘એક પરિવાર એક સરકારી નોકરી’ યોજનાને સમર્થન આપ્યું છે. સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ બિશ્વનાથ સોમદ્દર અને ન્યાયમૂર્તિ મીનાક્ષી મદન રાયની ખંડપીઠ કહ્યું કે, આ યોજના હેઠળ 13 હજારથી વધુ નાગરિકોને નોકરીઓ મળી છે. આ યોજના સિક્કિમમાં અગાઉના SDF શાસન દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી પવન ચામલિંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

સિક્કિમ એક્સપ્રેસમાં 22 ડિસેમ્બર 2023ના રોજ છપાયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે  મુખ્યમંત્રી પીએસ ગોલેએ જાહેરાત કરી કે જાન્યુઆરી 2024 સુધી સિક્કિમના દરેક તે પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે, જેમનો એક પણ સભ્ય સરકારી સેવામાં નથી. 

આ પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે. તે સમયે વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણના નેશનલ બ્યુરોના પ્રમુખ આશુતોષ ઝા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આવી કોઈપણ યોજના શરૂ કરી નથી.

અંતે અમે ભ્રામક દાવો કરનાર યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. યુઝરના લગભગ 1 લાખ 92 હજાર ફોલોઅર્સ છે.

निष्कर्ष: કેન્દ્ર સરકારે ‘એક પરિવાર એક નોકરી’ યોજના ચલાવી નથી. સિક્કિમમાં રાજ્ય સરકાર દ્વારા તેને ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ દાવો ભ્રામક છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ