X
X

Fact Check : ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીના 11 વર્ષ જૂના વીડિયોને ઓડિશા ટ્રેન દુર્ઘટના સાથે જોડીને કરાઈ રહ્યો છે શેર

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): ઓડિશાના બાલાસોરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના સાથે જોડીને ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાની પાર્ટીની વિરુદ્ધ જઈ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરાવી છે.

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને ફેક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવીનો આ વીડિયો વર્ષ 2012નો છે. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. વીડિયોમાં તેઓ ભાજપ નહીં, પણ કોંગ્રેસ સરકાર વિશે વાત કરી રહ્યા છે. તેઓ ઓડિશા નહીં, પરંતુ આંધ્રપ્રદેશમાં થયેલી એક ટ્રેન દુર્ઘટના વિશે વાત કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ટ્વિટર યુઝર ‘ચયન’એ 3 જૂન 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “ચાલો, કોઈ બીજેપી નેતાએ તો પોતાની સરકારને સવાલ પૂછવાની હિંમત દેખાડી.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે વીડિયોમાં કમળનો લોગો લાગેલો છે. તેના આધારે અમે ભાજપની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર શોધવાનું શરૂ કર્યું. અમને અસલી વીડિયો 23 મે, 2012ના રોજ અપલોડ કરાયેલો મળ્યો. જેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુખ્તાર અબ્બાસ નકવી આંધ્રપ્રદેશમાં થયેલી ટ્રેન દુર્ઘટના માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા હતા.

તપાસને આગળ વધારતા અમે ગૂગલ પર આ ટ્રેન દુર્ઘટના સંબંધિત રિપોર્ટ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર 22 મે 2012ના રોજ પ્રકાશિત એક રિર્પોટ મળ્યો. રિર્પોટ મુજબ, હુબલી-બેંગલુરુ હમ્પી એક્સપ્રેસ એક માલગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકોના મોત થયા હતા.

અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં જોઈ શકાય છે.

રેલવે અને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નેતા મુકુલ રોય રેલવે મંત્રી હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.

વધુ માહિતી માટે અમે ભાજપના પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે.

આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ટ્રેન દુર્ઘટનાનો એક સીસીટીવી વીડિયોને ઓડિશા ટ્રેન અકસ્માત સાથે જોડીને શેર કરવામાં આવ્યો હતો. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી હતી. જેમાં દાવો ભ્રામક સાબિત થયો હતો. વાસ્તવમાં આ વીડિયો 11 નવેમ્બર 2019ના રોજ હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર થયેલ અકસ્માતનો હતો. વિશ્વાસ ન્યૂઝના આ ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને એક તસવીર વાયરલ થઈ હતી, જેને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે અકસ્માતના સ્થળે મસ્જિદ હતી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું હતું. આ દાવાની સાથે વાયરલ તસવીરમાં દેખાતી ઈમારત મસ્જિદ નહીં, પરંતુ ઈસ્કોન મંદિર હતું. વિશ્વાસ ન્યૂઝના આ ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે. બાલાસોર ટ્રેન દુર્ઘટના સંબંધિત અન્ય સમાચારોને અહીં વાંચો.

અંતે અમે વીડિયોને ફેક દાવાની સાથે શેર કરનાર યુઝરના પેજને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર જાન્યુઆરી 2014થી Twitter પર સક્રિય છે. યુઝરને 5,265 લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર યૂઝરે પોતાને દિલ્હીનો રહેવાસી ગણાવ્યો છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેન દુર્ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરાવતા મુખ્તાર અબ્બાસ નકવીનો આ વીડિયો વર્ષ 2012નો છે. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તેઓ વીડિયોમાં ભાજપની નહીં, પરંતુ કોંગ્રેસ સરકાર વિશે વાત કરી રહ્યા છે. તેઓ ઓડિશાની નહીં, પણ આંધ્રપ્રદેશમાં થયેલી એક ટ્રેન દુર્ઘટનાની વાત કરી રહ્યા છે.

  • Claim Review : ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.
  • Claimed By : ચયન'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later