X
X

Fact Check : અયોધ્યાના નામે વાયરલ થયો ફેક વીડિયો, પોલીસે પણ કર્યું ખંડન

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. વીડિયોનો અયોધ્યા સાથે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં સક્રિય ચોમાસાની વચ્ચે અયોધ્યાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં વરસાદ અને પૂરનો કહેર જોવા મળી શકે છે. વીડિયોમાં એક રોડને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોઈ શકાય છે. આ સિવાય પાણીથી ભરેલા સબવેમાં લોકોને જોઈ શકાય છે. આ જ વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછીની દુર્દશાને આ વીડિયો દર્શાવે છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની વિગતવાર તપાસ કરી. જાણવા મળ્યું કે અયોધ્યાના નામે જે વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે દુબઈના નામે પહેલેથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. અયોધ્યા પોલીસે પણ વાયરલ પોસ્ટનું ખંડન કર્યું છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ Fastway Post એ 21 જુલાઈના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો. તેની ઉપર લખવામાં આવ્યું છે કે, ”રામ મંદિર બન્યા પછી આ થયું છે. ‘ચંદા દો ધંધા લો’નું વધુ એક પડ ખુલીને સામે આવી ગયું છે. અયોધ્યા પ્રભુ શ્રી રામ મંદિર માર્ગ.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું સમજીને અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ ટૂલ દ્વારા સર્ચ કર્યા અને અમને એક યૂટ્યૂબ ચેનલ પર વાયરલ વીડિયોનો એક ભાગ મળ્યો. તેને 21 એપ્રિલના રોજ પોસ્ટ કરીને UAEનો જણાવવામાં આવ્યો છે.

https://youtu.be/5EapWxmOqmI

આખો વીડિયો પણ અમને એક યૂટ્યૂબ ચેનલ પર મળ્યો. તેને 21 એપ્રિલ 2023ના રોજ અપલોડ કરીને દુબઈનો જણાવવામાં આવ્યો છે.

સર્ચ દરમિયાન અમને અયોધ્યા પોલીસના એક્સ હેન્ડલ પર એક વાયરલ વીડિયો સાથે સંબંધિત પોસ્ટ મળી. તેને 21 જુલાઈના રોજ પોસ્ટ કરતાં લખવામાં આવ્યું છે કે, “અમુક ટ્વિટર હેન્ડલ્સ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત ખોટા સમાચારોનું #AyodhyaPolice ખંડન કરે છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે વાયરલ વીડિયો અયોધ્યાનો નથી. ભ્રામક સમાચાર ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.”

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, અયોધ્યાના સંપાદકીય પ્રભારી રમા શરણ અવસ્થી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે વાયરલ વીડિયો અયોધ્યાનો નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.

વિશ્વાસ ન્યૂઝ સ્વતંત્ર રીતે આ વાતની પુષ્ટિ કરતું નથી કે વાયરલ વીડિયો ક્યાંનો છે, પરંતુ એટલું નક્કી છે કે વીડિયોનો અયોધ્યા સાથે કોઈ સંબંધ નથી.

તપાસના અંતે ફેસબુક પેજની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે Fastway Post નામના આ પેજને 20 હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ પેજ પંજાબના મોગાથી સંચાલિત થાય છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. વીડિયોનો અયોધ્યા સાથે કોઈ સંબંધ નથી.

  • Claim Review : અયોધ્યાનો વીડિયો
  • Claimed By : FB user Fastway post
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later