X
X

Fact Check: 4 વર્ષ જૂની તસવીરને ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના સાથે જોડીને કરાઈ રહી છે શેર

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ તસવીર 2019થી સોશિયલ મીડિયા પર હાજર છે. અમે એ વાતની પુષ્ટિ કરતા નથી કે તસવીરે ક્યારની છે અને ક્યાંની છે, પરંતુ એ સ્પષ્ટ છે કે વાયરલ તસવીરનો ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સ્થિત સિલ્ક્યારાની નિર્માણાધીન ટનલમાં લગભગ 41 શ્રમિકો ફસાઈ ગયા હતા, જેમને 17 દિવસની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની સાથે જોડીને એક તસવીરને ઝડપથી શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અંધારાવાળી જગ્યા પર હેલ્મેટ પહેરીને બેઠેલા એક વૃદ્ધની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર ઉત્તરાખંડના ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોમાંથી એકની છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ તસવીર 2019થી સોશિયલ મીડિયા પર હાજર છે. અમે એ વાતની પુષ્ટિ કરતા નથી કે તસવીરે ક્યારની છે અને ક્યાંની છે, પરંતુ એ સ્પષ્ટ છે કે વાયરલ તસવીરનો ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કોઈ સંબંધ નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર  ‘ઉદય મૌર્ય’એ વાયરલ તસવીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ” જો તમે 10-15 દિવસ સુધી ટનલમાં ફંસાયેલા શ્રમિકો સુધી નથી પહોંચી શકતા તો ચંદ્ર પર પહોંચવાનો શું ફાયદો? વર્લ્ડ કપ જીતવા માટે હવન કરે છે, ટનલમાં ફસાયેલા 15 દિવસથી તેમના જીવ બચાવવા માટે હવન કેમ કરતા નથી. આ શ્રમિકોના જીવની કોઈ કિંમત નથી કે શું?”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. અમે વાયરલ તસવીર અરબ ફેસબુક પેજ હોશિયાર બનો હોશિયાર બનો પર મળી. તસવીરને સંઘર્ષ કરતા પિતાને સમર્પિત કરતા 28 સપ્ટેમ્બર 2020ના રોજ શેર કરવામાં આવી છે.

તપાસને આગળ વધારતા અમે એકવાર ફરી તસવીરને યાન્ડેક્સ દ્વારા સર્ચ કરી. અમે વાયરલ તસવીર  Qasem sultani નામના એક ફેસબુક પેજ પર 2 મે 2019ના રોજ શેર થયેલી મળી. કેપ્શનમાં તસવીરને યુદ્ધ સાથે જોડતા શેર કરવામાં આવી છે. અહીં પણ તસવીરને લઈને કોઈ સ્પષ્ટ વાત જણાવવામાં આવી નથી.

તપાસને આગળ વધારતા અમે ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા શ્રમિકો વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને તેની સાથે સંબંધિત વીડિયો રિર્પોટ આજતકની વેબસાઈટ પર મળ્યો. વીડિયોને 1 ડિસેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 શ્રમિકો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા અને સરકારનો માન્યો આભાર. વીડિયોમાં મજદૂરોને પણ જોઈ શકાય છે.

અમારી અત્યાર સુધીની તપાસથી એ તો સાબિત થાય છે કે વાયરલ તસવીરનો ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કોઈ સંબંધ નથી. જોકે, અમે તેની પુષ્ટિ કરતા નથી કે તસવીર કયાંની છે અને ક્યારે લેવામાં આવી છે.

વધુ માહિતી માટે અમે આ ઘટનાને કવર કરનાર અને દૈનિક જાગરણ ઉત્તરકાશીના જિલ્લા પ્રભારી શૈલેન્દ્ર પ્રસાદ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, ”વાયરલ દાવો ખોટો છે. આ તસવીર ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે સંબંધિત નથી. આ તસવીર દુર્ઘટનાના દિવસથી વાયરલ થઈ રહી છે. લોકો ત્યારથી તેમને સુરંગમાં ફસાયેલા શ્રમિક તરીકે જણાવીને શેર કરી રહ્યાં છે.”

અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 1.6 હજાર લોકો ફોલો કરે છે. યુઝરના પ્રોફાઈલ પર આપેલી માહિતી અનુસાર તે ઝારખંડનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ તસવીર 2019થી સોશિયલ મીડિયા પર હાજર છે. અમે એ વાતની પુષ્ટિ કરતા નથી કે તસવીરે ક્યારની છે અને ક્યાંની છે, પરંતુ એ સ્પષ્ટ છે કે વાયરલ તસવીરનો ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કોઈ સંબંધ નથી.

  • Claim Review : સિલ્ક્યારાની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા શ્રમિકની તસવીર
  • Claimed By : ઉદય મોર્યા
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later