Fact Check: ‘સત્યાગ્રહ’ના ખોટા મતલબના દાવાની સાથે વાયરલ રાહુલ ગાંધીનો વીડિયો એડિટેડ, દુષ્પ્રચારના ઈરાદાથી થઈ રહ્યો છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના ભાષણની ખૂબ જ ટૂંકી વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. વીડિયો ક્લિપને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી માટે મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’નો અર્થ છે “સત્તાના માર્ગને ક્યારેય ન છોડવો”. વીડિયો ક્લિપમાં પણ તેમને આવું જ કહેતા સાંભળી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો અને રાહુલ ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચાર હોવાનું જણાયું હતું. વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ ઑલ્ટર્ડ વીડિયો ક્લિપ છે, જેને જાણી જોઈને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ભાષણના મૂળ ભાગને અલગ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. સત્યાગ્રહનો ઉલ્લેખ કરતી વખતે રાહુલ ગાંધીની જીભ લપસી અને તેમણે તેને “સત્તાનો માર્ગ” કહ્યો, પરંતુ તેમણે બીજી જ ક્ષણે આ ભૂલ સુધારી અને તેને “સત્યનો માર્ગ” ગણાવ્યો.

શું થઈ રહ્યું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘Rakesh Asati’એ રાહુલ ગાંધીના વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે કે,”સત્યાગ્રહ એટલે સત્તાનો માર્ગ.”

અન્ય કેટલાક યુઝર્સે આ વીડિયો ક્લિપને સમાન અને મળતા દાવા સાથે શેર કરી છે. ટ્વિટર પર પણ ઘણા યુઝરે આ વીડિયો ક્લિપને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ 24 સેકન્ડની છે, જેમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, “……આ માટે એક શબ્દ છે. મહાત્મા ગાંધી કહેતા હતા… સત્યાગ્રહની વાત કરતા હતા. સત્યાગ્રહ એટલે સત્તાનો માર્ગ ક્યારેય ન છોડવો.”

નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર દુષ્પ્રચારની આ સૌથી લોકપ્રિય પદ્ધતિ છે, જેમાં તેમના ભાષણની એક ક્લિપને સંદર્ભથી અલગ શેર કરવામાં આવે છે, જેનાથી તેનો અર્થ બદલાઈ જાય છે. રાહુલ ગાંધીની વાયરલ ક્લિપને સાંભળીને સ્પષ્ટ છે કે તે તેમના ભાષણનો અંશ છે, જેને સંદર્ભની અલગ કરીને શેર કરવામાં આવી રહ્યો છે.

કી-વર્ડ સર્ચમાં ઘણા ન્યૂઝ રિપોર્ટ્સ મળ્યા, જેનાથી વાયરલ વીડિયોની ક્લિપનો સંદર્ભ સ્પષ્ટ થઈ જાય છે. વાયરલ વીડિયો ક્લિપ છત્તીસગઢમાં આયોજિત ત્રણ દિવસીય કોંગ્રેસ સંમેલન દરમિયાન રાહુલ ગાંધીના સંબોધનની છે અને આ દરમિયાન સંબોધન કરતી વખતે તેમની જીભ લપસી ગઈ હતી, પરંતુ તેમણે તરત જ પોતાની ભૂલ સુધારી લીધી હતી.

રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના સત્યાગ્રહનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેને અર્થ થાય છે- સત્તાનો માર્ગ ક્યારેય ન છોડો, પરંતુ તેમણે બીજી જ ક્ષણે તેને સુધારી દીધું અને કહ્યું કે સત્યાગ્રહનો અર્થ સત્યના માર્ગ પર ચાલવું અને તેના માટે અડગ રહવું થાય છે.

ઘણી ન્યૂઝ ચેનલોએ આ સંમેલનમાં રાહુલ ગાંધીના સંબોધનને રિપોર્ટ કર્યું છે. ન્યૂઝ 18 મધ્યપ્રદેશ-છત્તીસગઢના વેરિફાઇડ યુ-ટ્યુબ ચેનલ પરથી પણ રાહુલ ગાંધીના આ સંબોધનને શેર કરવામાં આવ્યું છે.

https://youtu.be/2ICax0oMcOQ

વીડિયો બુલેટિન સાથે આપવામાં આવેલી માહિતીમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે સંબોધન દરમિયાન રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હતી. રાહુલ ગાંધીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પરથી પણ રાહુલ ગાંધીના આ ભાષણને લાઈવ કરવામાં આવ્યું છે. 50.55 મિનિટના વીડિયોમાં 38.06 મિનિટની ફ્રેમને જોઈને અને સાંભળીને વાયરલ વીડિયો ક્લિપનો સંદર્ભ સ્પષ્ટ થઈ જાય છે.

કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા રાહુલ ગાંધી કહે છે, “……તેમના માટે એક શબ્દ છે. મહાત્મા ગાંધી કહેતા હતા…સત્યાગ્રહની વાત કરતા હતા. સત્યાગ્રહનો અર્થ…સત્તાનો માર્ગ ક્યારેય ન છોડો. સોરી…..સત્યનો માર્ગ ક્યારેય ન છોડો.”

તેમણે આગળ કહ્યું, “……તેમના માટે એક નવો શબ્દ છે…ભાજપ અને આરએસએસના લોકો માટે…અમે સત્યાગ્રહી છીએ અને તેઓ સતાગ્રહી છે. તેઓ સત્તા માટે કંઈ પણ કરશે.

સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીએ સત્યાગ્રહનો અર્થ સત્યના માર્ગ પર ચાલવાનો કહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને સત્યને બદલે તેઓ સત્તા બોલ્યા. બીજી જ ક્ષણે તેમણે માફી માગીને ભૂલ સુધારી. વાયરલ વીડિયો ક્લિપમાં તેમના ભાષણનો આ ભાગ જાણીજોઈને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી કાઢી નાખવામાં આવ્યો છે.

અમે આ ક્લિપને લઈને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગીનો સંપર્ક કર્યો હતો. તેમણે આને રાહુલ ગાંધી વિરૂદ્ધ દુષ્પ્રચાર ગણાવતા કહ્યું હતું કે શાસક પક્ષ રાહુલ ગાંધીથી ભયભીત છે અને તે આવી યુક્તિઓ અપનાવીને લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓ પરથી હટાવવા માંગે છે, જેનો રાહુલ ગાંધી સતત તેમના ભાષણોમાં ઉલ્લેખ કરી રહ્યા છે.

“ભારત જોડો” યાત્રાની શરૂઆત થઈ ત્યારથી રાહુલ ગાંધી વિરુદ્ધ સતત દુષ્પ્રચારના ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં તેમના ભાષણની એડિટેડ ક્લિપને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી છે. વિશ્વાસ ન્યૂઝ પર આને લગતા તમામ ફેક્ટ ચેટ રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.

ખોટા દાવા સાથે વાયરલ વીડિયો શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 6,000 લોકો ફોલો કરે છે અને આ પ્રોફાઈલ પરથી કોઈ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત કન્ટેન્ટ શેર કરવામાં આવે છે.

નિષ્કર્ષ: છત્તીસગઢમાં આયોજિત કોંગ્રેસના ત્રણ દિવસીય અધિવેશન દરમિયાન મહાત્મા ગાંધીના સત્યાગ્રહનો ઉલ્લેખ કરતી વખતે રાહુલ ગાંધીની જીભ લપસી હતી અને તેમણે તેને “સત્તાનો માર્ગ” ગણાવ્યો, પરંતુ તેમણે આગલી જ ક્ષણે આ ભૂલને સુધારીને “સત્યનો માર્ગ” ગણાવ્યો હતો. જોકે, વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જાણી જોઈને આ ભાગને કાઢી નાખવામાં આવ્યો છે, જેનાથી એવું લાગે છે કે તેઓ સત્યાગ્રહનો ખોટો અર્થ કાઢી રહ્યા હતા.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ