Fact Check: મુકેશ અંબાણીના જન્મદિવસ પર Jio કંપની નથી આપી રહી ₹239નું ફ્રી રિચાર્જ, ફેક છે વાયરલ લિંક

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર Jio કંપનીના નામે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે Jio કંપનીએ મુકેશ અંબાણીના જન્મદિવસ પર તમામ ભારતીય યુઝર્સને ₹239નું 28 દિવસનું રિચાર્જ ફ્રી આપવાનો વચન આપ્યું છે. પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર ક્લિક કરીને તમે તમારા નંબર પર રિચાર્જ કરી શકો છો.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. Jioના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ફેક છે. Jio દ્વારા ફ્રી રિચાર્જ જેવી કોઈ ઓફર આપવામાં આવી રહી નથી. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે ભૂલથી પણ આવી લિંક્સ પર ક્લિક ન કરવું જોઈએ.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર ‘Ankita’એ 9 ઓગસ્ટના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે, “*અંબાણી બર્થડે* ઑફર *Jio કંપની* તેમના *મુકેશ અંબાણી*ના જન્મદિવસ પર આપી રહી છે* તમામ ભારતીય યુઝર્સને *₹239*નું 28 દિવસનું રિચાર્જ ફ્રી, તો નીચે આપેલી વાદળી રંગની લિંક પર ક્લિક કરીને તમારા નંબર પર રિચાર્જ કરો.

ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સે પણ આ જ દાવાની સાથે પોસ્ટ શેર કરી છે.

તપાસ

વાયરલ દાવાનું સત્ય જાણવા માટે અમે સૌથી પહેલા લિંકને ધ્યાનથી જોઈ. અમને જાણવા મળ્યું કે લિંકનું URL Jioની વેબસાઇટની લિંક નથી, પરંતુ કોઈ અન્ય અવિશ્વસનીય વેબસાઇટની લિંક છે. Jio કંપનીની વેબસાઇટનું URL jio.com છે, જ્યારે વાયરલ લિંકનું URL kur.cat છે. જેના કારણે શંકા થાય છે કે આ કોઈ ફ્રોડની વેબસાઇટની લિંક છે.

તપાસને આગળ વધારતા અમે Jioની વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. અહીં સર્ચ કરવા પર અમને વાયરલ દાવા સાથે  સંબંધિત કોઈ પોસ્ટ ન મળી.

અમે દિલ્હી પોલીસના સાયબર સલાહકાર કિસલય ચૌધરી સાથે સંપર્ક કર્યો. અમે તેમની સાથે તમામ પોસ્ટ શેર કરી. તેમણે વાયરલ લિંકને ફેક ગણાવી છે. તેમનું કહેવું છે કે લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઈ શકે છે. તેઓએ અમને કહ્યું કે સાયબર ઠગો લોકોને છેતરવા માટે આવી લિંક બનાવે છે અને તેને અલગ-અલગ લાલચની સાથે શેર કરે છે. તેથી આપણે આ શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાથી બચવું જોઈએ.

અનેકવાર ઘણા પ્રખ્યાત લોકો અને કંપનીઓના નામે આવી ફ્રોડ લિંક વાયરલ કરવામાં આવી છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી છે. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.

અંતે અમે ફેક લિંકને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 22 હજાર લોકો ફેસબુક પર ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં મુકેશ અંબાણીના જન્મદિવસ પર JIO કંપની દ્વારા ₹239નું 28 દિવસનું રિચાર્જ ફ્રી આપવાનો વાયરલ થઈ રહેલો દાવો ફેક નિકળ્યો. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે આવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ